Gujarat: ગુજરાતની છ મહાનગરપાલિકામાં 21 ફેબ્રુઆરી રવિવારે યોજાનારી ચુંટણી માટેના પ્રચાર પડધમ શાંત પડ્યા છે. 21 ફેબ્રુઆરીના રોજ અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, જામનગર અને ભાવનગર મહાનગરપાલિકાનું મતદાન યોજાવવાનું છે. જેની માટેના પ્રચાર પડધમ શાંત થયા છે. જેના પગલે હવે ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી સહિત તમામ રાજકીય પક્ષો પ્રચાર નહી કરી શકે. તેમજ હવે કાલથી તે માત્ર ડોર ટુ ડોર પ્રચાર કરી શકશે. Gujarat ચુંટણી પંચે આ માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે.