ભારતીય જનતા પાર્ટીના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ (Subramanian Swamy) ટીવી9 ભારતવર્ષ સાથેના એક ખાસ ઈન્ટરવ્યુમાં કહ્યું, “હું નહેરુ-ગાંધી પરિવાર પાછળ પડ્યો નથી. રાજીવ ગાંધી મારા ખૂબ સારા મિત્ર હતા. ઈન્દિરા ગાંધી સાથે મારી નારાજગી ઈમરજન્સીને લઈને થઈ હતી. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi) વિશે સ્વામીએ કહ્યું કે સોનિયા ગાંધી સાથે પહેલા મેં મિત્રો બનાવવાની કોશિશ કરી હતી કારણ કે તે રાજીવની પત્ની હતી. પરંતુ તેમના કામોને કારણે મારે મોરચો ખોલવો પડ્યો. નેશનલ હેરાલ્ડ કેસમાં સ્વામીએ કહ્યું કે રાહુલ અને સોનિયા ગાંધીને આજીવન કેદ થશે.