Bhakti : તમને ખબર છે ? અર્જુનના મૃત્યુ થવા પર ગંગા મૈયા શા માટે હસતા રહ્યા ? વાંચો આ પોસ્ટ

|

Mar 23, 2021 | 9:57 AM

Bhakti : કુંતી પુત્ર અર્જુન મહાભારત સમયના મહાન ધનુર્ધર હતા. એવું માનવામાં આવે છે કે જો અર્જુન પાસે ધનુષ ચલાવવાનું કૌશલ્ય ના હોત તો પાંડવો મહાભારત યુદ્ધ ના જીતી શક્યા હોત.

Bhakti : કુંતી પુત્ર અર્જુન મહાભારત સમયના મહાન ધનુર્ધર હતા. એવું માનવામાં આવે છે કે જો અર્જુન પાસે ધનુષ ચલાવવાનું કૌશલ્ય ના હોત તો પાંડવો મહાભારત યુદ્ધ ના જીતી શક્યા હોત. લોકો જાણે છે કે અર્જુનનું મૃત્યુ સ્વર્ગ યાત્રા દરમિયાન થયું હતું. પરંતું તે પહેલા પણ એક વાર અર્જુનનું મૃત્યુ થયું હતું અને તે સમયે ગંગા મૈયા હસતા હતા. તો ચાલો જાણીએ કે અર્જુનના મૃત્યુ થવા પર ગંગા મૈયા શા માટે હસતા રહ્યા?

કથા અનુસાર મહાભારત યુદ્ધમાં વિજય મળ્યા બાદ જ્યેષ્ઠ પાંડવ યુધિષ્ઠિર હસ્તિનાપુરના રાજા બન્યા. ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણના કહેવા પર યુધિષ્ઠિરે અશ્વમેઘ યજ્ઞનો પ્રારંભ કર્યો. નિયમ અનુસાર યજ્ઞના ઘોડાને અર્જુનના નેતૃત્વ હેઠળ છોડી દેવામાં આવ્યો. ઘોડો જ્યાં પણ જતો અર્જુન તેની સેના સાથે તેની પાછળ ફરતા હતા. આ સમય દરમિયાન યજ્ઞનો ઘોડો ઘણાં રાજ્યોમાંથી પસાર થયો હતો. જેમાંથી ઘણા રાજ્યોના રાજાઓએ અર્જુન સામે યુદ્ધ લડ્યા વિના જ હસ્તિનાપુરને આધિન થઈ ગયા અને જે રાજાઓએ આવું ના કર્યું તેઓને અર્જુને યુદ્ધમાં પરાસ્ત કરી આધીન કર્યા.

એક દિવસ અશ્વમેધ યજ્ઞનો ઘોડો મણિપુર રાજ્યમાં પહોંચ્યો. તે સમયે મણિપુરના રાજા અર્જુન અને ચિત્રાંગદાના પુત્ર બભ્રુવાહન હતા. જ્યારે બભ્રુવાહનને સાંભળ્યું કે, તેના પિતા અર્જુને તેના રાજ્યમાં પ્રવેશ કર્યો, ત્યારે તેઓ તેમનું સ્વાગત કરવા રાજ્યની સરહદ પર ગયા. પિતા અર્જુનને જોઇ તેમનું સ્વાગત કરવા બભ્રુવાહન આગળ વધ્યા ત્યારે અર્જુને તેને અટકાવ્યા. અર્જુને બભ્રુવાહનને કહ્યું કે, હું આ સમયે તમારો પિતા નથી, પરંતુ હસ્તિનાપુરના રાજાનો પ્રતિનિધિ છું. તેથી ક્ષત્રિય ધર્મ અને નિયમ મુજબ તમારે આ સમયે મારી સાથે લડવું જોઈએ. ત્યારબાદ અર્જુનના બીજા પત્ની ઉલૂપી પણ ત્યા પહોચ્યા હતા અને તેણે પણ બભ્રુવાહનને ક્ષત્રિય ધર્મ નિભાવવા કહ્યું. ઉલૂપીએ બભ્રુવાહનને કહ્યું કે, જો તમે યુદ્ધ નહી કરો તો, તમારા પિતાનું અપમાન થશે. માતાની આજ્ઞાથી બભ્રુવાહન યુદ્ધ માટે તૈયાર થયા.

પુરાણોમાં જણાવ્યા મુજબ આ છે ખાસ કથા, તો આગળની કથા માટે ક્લીક કરો વિડિયો.

આગળની કથા જુઓ આ વીડિયોમાં

 

આ કથા પણ જુઓ : ભગવાન શ્રીકૃષ્ણ સ્વયં પોતાના ભક્ત માટે સાક્ષી બની પધાર્યા હતા, જાણવા માટે વાંચો આ ખાસ પોસ્ટ

Next Video