જાણો એક એવા શિવમંદિર વિશે જે મોટેભાગે દરિયામાં જ ડૂબેલું રહે છે, આજે સોમવતી અમાસના દિવસે ત્યાં અનેક ભક્તો દર્શન માટે ઉમટી પડ્યાં

|

Feb 04, 2019 | 2:16 PM

કંબોઇ શિવતીર્થ ખાતે આજે સોમવતી અમાસે શિવ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું. કંબોઈના શીવતીર્થ ખાતે શિવલિંગ મોટેભાગે ભરતીમાં દરિયામાં જ સમાઈને રહે છે. ભરતી ઉતરે ત્યાં શિવભક્તો ત્યાં જઈને દર્શન કરી શકે છે. ભરુચના કંબોઇ તીર્થક્ષેત્ર ખાતે સમુદ્રદેવ દૂર ખસી ભક્તોને શિવજીની આરાધના માટે માર્ગ આપે છે.  ખંભાતના અખાત નજીક સમુદ્ર કિનારે આવેલ મંદિરમાં મોટાભાગના સમય […]

જાણો એક એવા શિવમંદિર વિશે જે મોટેભાગે દરિયામાં જ ડૂબેલું રહે છે, આજે સોમવતી અમાસના દિવસે ત્યાં અનેક ભક્તો દર્શન માટે ઉમટી પડ્યાં

Follow us on

કંબોઇ શિવતીર્થ ખાતે આજે સોમવતી અમાસે શિવ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું. કંબોઈના શીવતીર્થ ખાતે શિવલિંગ મોટેભાગે ભરતીમાં દરિયામાં જ સમાઈને રહે છે. ભરતી ઉતરે ત્યાં શિવભક્તો ત્યાં જઈને દર્શન કરી શકે છે.

ભરુચના કંબોઇ તીર્થક્ષેત્ર ખાતે સમુદ્રદેવ દૂર ખસી ભક્તોને શિવજીની આરાધના માટે માર્ગ આપે છે.  ખંભાતના અખાત નજીક સમુદ્ર કિનારે આવેલ મંદિરમાં મોટાભાગના સમય શિવલિંગ સમુદ્રમાં સમાઈ જતું હોય છે ભરતી ઉતર્યા બાદ શિવલિંગ તરફનો માર્ગ ખુલે છે અને ભરતી પરત ફરતા સુધીના સમયે ભક્તો શિવજીની પૂજા કરે છે.  ભગવાન કાર્તિકેય દ્વારા સ્થાપિત શિવલિંગની સોમવતી અમાસે પૂજાનું અનેરું માહાત્મ્ય છે.

TV9 Gujarati

સ્કંદ   પુરાણમાં જેનો ઉલ્લેખ છે તેવા કંબોઈ શિવતીર્થે  શિવલિંગની પૂજાથી ભક્તોનું કલ્યાણ થતું  હોવાની વર્ષો જૂની માન્યતા છે.આજે સોમવતી અમાસે મોટી સંખ્યામાં શિવભક્તો કંબોઇ શિવતીર્થ ખાતે પહોંચ્યા હતા જેમણે શિવઆરાધના કરી ધન્યતા અનુભવી હતી.
[yop_poll id=1080]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]
Next Article