Bhakti : અહીં દેવી-દેવતાઓને પણ મળે છે તેમના અપરાધોની સજા! દંડ આપવાની જોગવાઈ પૌરાણિક સમયથી ચાલી આવી છે. પહેલાના સમયમાં ભગવાન અને મહર્ષિઓ દ્વારા દોષિતોને સજા આપવામાં આવતી હતી. આધુનિક યુગમાં લોકોને સજા કરવા અદાલતની સ્થાપના કરવામાં આવી છે. જો કોઈ વ્યક્તિ કાયદાની વિરુદ્ધ જઈ કંઈક ખોટું કરે છે, તો તેને સજા થાય છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે, ભારતમાં એક એવી પણ અદાલત છે કે જ્યાં કોઈ વ્યક્તિને નહીં પરંતુ દેવી-દેવતાઓને સજા આપવામાં આવે છે. અહીં લોકો ભગવાનને સજા થાય તે માટે ફરિયાદ કરે છે. જુઓ ભારતની એક એવી જગ્યા કે, જ્યાં દેવ-દેવીઓને સજા કરવા માટે અદાલત છે.
લોકો દેવી-દેવતાઓની ફરિયાદ શા માટે કરે છે? આ પ્રશ્ન મનમાં જરૂરથી ઉદ્ભવતો હશે.