Bhakti: હિંદુ ધર્મમાં હિમાલયની ગોદમાં આવેલા કેદારનાથ ધામને બાર જ્યોતિર્લિંગોમાંથી એક જ્યોતિર્લિંગ ગણવામાં આવે છે. વર્ષમાં લગભગ છ મહિના સુધી બરફથી ઢંકાયેલ આ પવિત્ર ઘામમાં ભગવાન શિવનો વાસ હોવાનું માનવામાં આવે છે. ભગવાન શિવ અહીં ત્રિકોણ શિવલિંગના રૂપમાં રહે છે. કેદારનાથ ધામને લગતી ઘણી કથાઓ પૌરાણિક ગ્રંથોમાં ઉપલબ્ધ છે, પરંતુ આજે મહાભારતમાં જણાવેલ કથા વિશે જાણીશું.