bhakti : આજે આપણે એક એવા યોદ્ધાની વાત કરીશું કે જેઓ મહાભારતના યુદ્ધ સમયથી ભગવાન શ્રી કૃષ્ણએ આપેલા શ્રાપના કારણે આજે પણ પૃથ્વી પર ભટકી રહ્યા છે. એવું કહેવાય છે કે તે યોદ્ધા પાંચથી છ હજાર વર્ષ પૃથ્વી પર જીવંત રહેશે. કેટલાક લોકો એવું પણ માને છે કે તેઓ ત્રણ હજાર વર્ષ સુધી પૃથ્વી પર મનુષ્યના અલગ-અલગ રૂપમાં ભટકતા રહેશે. જુદા-જુદા લોકોની માન્યાતાઓ પણ જુદી-જુદી હોય છે. આ એક એવા વ્યાકિત છે જે મહાભારત કાળથી જીવંત છે અને આજે પણ ઘણા લોકો તેને જોઈ શકે છે. મહાભારત કાળથી આજદિન સુધી આ યોદ્ધા પૃથ્વી પર અલગ-અલગ સ્થળોએ ભટકી રહ્યા છે. આ યોદ્ધાએ એવી શું ભૂલ કરી કે તેમને આટલી મોટી કિંમત ચૂકવવી પડી? મહાભારતમાં ઘણા યોદ્ધાઓએ અનેક છળ-કપટ કર્યા હતા પરંતુ કોઈને આ પ્રકારની સજા નથી મળી.