Viral Video: શાકભાજી વાસી થઇ ગઇ હતી, આ વ્યક્તિએ કેમિકલની મદદથી શાકભાજીને તાજી કરી, યુઝર્સ ગુસ્સે થયા

Viral Video: કેમિકલની મદદથી વાસી શાકભાજીને કેવી રીતે તાજી બનાવીને આપણને વેચવામાં આવે છે અને આપણા સ્વાસ્થ્ય સાથે રમત થઇ રહી છે, આ બાબતનો પુરાવો રજુ કરતો તમે આ વાયરલ વીડિયો જોઈ શકો છો. આ વીડિયો જોયા પછી કોઈપણ મૂંઝવણમાં મુકાઇ જાય કે તે વાસી શાકભાજીને તાજી સમજી રહ્યો છે.

Viral Video: શાકભાજી વાસી થઇ ગઇ હતી, આ વ્યક્તિએ કેમિકલની મદદથી શાકભાજીને તાજી કરી, યુઝર્સ ગુસ્સે થયા
| Edited By: | Updated on: Mar 18, 2023 | 6:06 PM

Viral Video: તાજા શાકભાજી કોને ખાવી નથી ગમતી. તાજા શાકભાજી ખાવાથી તબિયત સારી રહે છે તેમ ડોકટરો પણ કહે છે. તેથી જ જ્યારે લોકો શાક માર્કેટમાં જાય છે ત્યારે તેઓ તાજા શાકભાજીની જ શોધ કરતા રહે છે. લોકો એકદમ તાજું લાગે તે શાકભાજી ખરીદે છે. જોકે, ઘણી વખત એવું બને છે કે તાજા દેખાતા શાકભાજી પણ સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થાય છે, કારણ કે તે શાકભાજી ખરેખર રસાયણોથી ઝડપથી ઉગાડવામાં આવ્યા છે અથવા તેને તાજા દેખાવા માટે પણ કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે.

આ બાબતની જ સાબિતી આપતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, આ વીડિયોએ બધાને ચોંકાવી દીધા છે. ટ્રેન્ડિંગ ન્યુઝ અહીં વાંચો.

થોડા સમય પહેલા સોશિયલ મીડિયા પર એક વીડિયો જોવા મળ્યો હતો, જેમાં એક દુકાનદાર રીંગણ પર પર્પલ કલર છાંટતો જોવા મળ્યો હતો, જ્યારે અન્ય એક દુકાનદાર પાલકને લીલા રંગમાં ડુબાડીને તાજી રાખવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આ વીડિયોએ લોકોના હોશ ઉડાવી દીધા હતા.

આ સમયે જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે પણ કંઈક ઓછો નથી. આમાં પણ એક વ્યક્તિ રસાયણોની મદદથી વાસી શાકભાજીને તાજી કરતો જોવા મળે છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ સંપૂર્ણપણે સુકાઈ ગયેલી શાકભાજીઓને કેમિકલવાળા પાણીમાં નાખે છે અને તેને બહાર કાઢે છે. આ પછી, થોડી જ વારમાં, તે શાકભાજી સંપૂર્ણપણે તાજી થઈ જાય છે.

 

આ ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @amitsurge નામની આઈડી સાથે શેર કરવામાં આવ્યો છે. અને તેને ‘બે મિનિટની વાસ્તવિક જીવનની ‘હોરર સ્ટોરી’ તરીકે વર્ણવવામાં આવી છે. એક મિનિટ 42 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 2 લાખ 60 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે 3 હજારથી વધુ લોકોએ વીડિયોને લાઈક પણ કર્યો છે.

વીડિયો જોયા પછી, લોકોએ અલગ-અલગ પ્રતિક્રિયાઓ પણ આપી છે. કેટલાક કહી રહ્યા છે કે ‘આ ખૂબ જ ડરામણી છે’, જ્યારે કેટલાક કહી રહ્યા છે કે ‘આનો કોઈ ઈલાજ નથી અથવા તેઓ લોકોને આ રીતે ઝેર આપતા રહેશે’, જ્યારે કેટલાક યુઝર્સ એવું પણ પૂછી રહ્યા છે કે આ કયું રસાયણ છે, જે શાકભાજીને તાજી બનાવે છે.