Pakistan થયું બરબાદ, ભારતમાં વિકાસની હરણફાળ… પાકિસ્તાની અર્થશાસ્ત્રીએ દિલ ખોલીને કરી ભારતની પ્રસંશા

Uzair Younus Video : પાકિસ્તાની અર્થશાસ્ત્રી ઉઝૈર યુનુસના એક પોડકાસ્ટનો વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તે ભારતના પ્રવાસના અનુભવો શેયર કરીને ભાવવિભોર થતો જોવા મળ્યો હતો.

Pakistan થયું બરબાદ, ભારતમાં વિકાસની હરણફાળ... પાકિસ્તાની અર્થશાસ્ત્રીએ દિલ ખોલીને કરી ભારતની પ્રસંશા
Viral video
| Edited By: | Updated on: Mar 10, 2023 | 11:36 PM

છેલ્લા કેટલાક વર્ષોથી ભારત દરેક ક્ષેત્રમાં હરણફાળ પ્રગતિ કરી રહ્યું છે. ભારતના વડાપ્રધાન મોદીના નેતૃત્વવાળી સરકાર આખી દુનિયામાં ભારતની છબી બદલી રહ્યું છે. વૈશ્વિક નેતાઓથી લઈને મોટા બિઝનેસમેન પણ ભારતની પ્રસંશા કરતા થાકતા નથી. ભારતના વિકાસથી હવે એક પાકિસ્તાની અર્થશાસ્ત્રી પણ પ્રભાવિત થયો છે. પાકિસ્તાની અર્થશાસ્ત્રી ઉઝૈર યુનુસના એક પોડકાસ્ટનો વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.આ વીડિયોમાં તે ભારતના પ્રવાસના અનુભવો શેયર કરીને ભાવવિભોર થતો જોવા મળ્યો હતો.

ઉઝૈર તાજેતરમાં જ ભારતથી પરત ફરીને પાકિસ્તાન ગયો હતો. તેમના કહેવા પ્રમાણે ભારતની ધરતી પર પહોંચ્યા બાદ તેમને લાગ્યું કે તેઓ ભવિષ્યમાં આવ્યા છે. દરેક નાની દુકાન પર ડિજિટલ પેમેન્ટ, દરેક ક્ષેત્રમાં રોકાણ, દરેક જગ્યાએ વિકાસ અને તેમને દરેક જગ્યાએ નવી ઉર્જાનો અનુભવ થયો.

‘ધ પાકિસ્તાન એક્સપિરિયન્સ’ નામની યુટ્યુબ ચેનલ પરનો તેનો ઈન્ટરવ્યુ ખૂબ જ લોકપ્રિય થઈ રહ્યો છે. ઉઝૈરે એ જ ઈન્ટરવ્યુમાં એમ પણ કહ્યું છે કે પાકિસ્તાનમાં રાજનીતિના નામે ભારત અને ભારતીયો વિરુદ્ધ નફરત ફેલાવવાના હેતુથી ઘણા જુઠ્ઠાણા ફેલાવવામાં આવી રહ્યા છે.

પાકિસ્તાનીને ગમી ગયો ભારતનો ‘વિકાસ’


 આ પણ વાંચો : Viral Video : શુભમન ગિલના સિક્સને કારણે થયો ડ્રામા, કોમેન્ટ્રેટર, ખેલાડીઓ અને દર્શકો હસી હસીને થયા લોટપોટ

ઉઝૈર પહેલા દિલ્હી આવ્યો અને પછી આગ્રા ગયો. ત્યારબાદ રાજકોટ, ગોવા અને મુંબઈ પહોંચ્યા. ઉઝૈરના કહેવા પ્રમાણે, ભારતીયો ખૂબ ખુશ છે અને વ્યક્તિ તેમની ઉર્જાનો અનુભવ કરી શકે છે. તમે તેમની નજીક જશો કે તરત જ તમે સકારાત્મક ઉર્જાનો અનુભવ કરશો. તેઓ માનવા લાગ્યા છે કે આ તેમનો સમય છે. દેશમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર મોટા પાયે રોકાણ થઈ રહ્યું છે અને વિકાસ દેખાઈ રહ્યો છે.

આ વિકાસ આ ઉર્જા અને ઉત્સાહ પાછળનું પ્રેરક બળ છે. તે જોઈને તે પ્રભાવિત થયા કે મુંબઈમાં એક મોચી પણ તેના ગ્રાહકો પાસેથી QR કોડ સ્કેન કરીને પેમેન્ટ મેળવે છે. કેશલેસ અર્થતંત્ર ભારતને સંપૂર્ણ રીતે બદલી રહ્યું છે.

રાજકોટના પૈતૃક ગામની પણ કરી ચર્ચા

ઉઝૈરે તેના પૈતૃક ગામ ઘેડ બગસરાની મુલાકાત પણ લીધી જે રાજકોટમાં છે. અહીં આવીને તેને ખૂબ જ આશ્ચર્ય થયું. તેણે કહ્યું કે આ ગામની વસ્તી માત્ર ત્રણ હજાર છે, પરંતુ આ તમામ લોકો પાસે 4G નેટવર્ક છે. ઉઝૈરના પિતાએ તેને દરગાહની મુલાકાત લેવા કહ્યું હતું. ઉઝૈરે ગામના નાગરિક ગોવિંદભાઈનો ઉલ્લેખ કર્યો. ગોવિંદભાઈ ઉઝૈરને તેમના ઘરે લઈ ગયા. ગોવિંદભાઈ તેમને તેના વડવાઓના જૂના મકાનોની મુલાકાતે લઈ ગયા હતા.