
આપણે બધા સ્વસ્થ રહેવા માટે ફળો ખાઈએ છીએ અને ખાતા પહેલા તેને સારી રીતે ધોઈએ છીએ. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમે જે ફળ ખાઈ રહ્યા છો, તેને સ્વચ્છ માનીને, તેની અંદર અથવા તેની છાલ પર ખતરનાક જંતુઓ હોઈ શકે છે? તાજેતરમાં, આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, અને તેને જોયા પછી, તમે જામફળ ખાતા પહેલા બે વાર વિચારશો.
જામફળમાં ઈયળ હોવાનો એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. માત્ર બે કલાક પાણીમાં પલાળી રાખ્યા પછી જામફળની ચામડીમાંથી કેવી ખતરનાક કીડા નીકળ્યા જાણો.
સોશિયલ મીડિયા પર પુજા મહેશ્વરી નામના એક યુઝરનો વીડિયો હાલ ચર્ચામાં છે. આ વીડિયોમાં તેમણે જામફળનું સત્ય દેખાડ્યું છે. જેને જોઈ બધા ચોંકી ગયા છે. પુજા જણાવે છે કે, તેમણે પહેલા ક્યારેય આવું કર્યું નથી. તે હંમેશા જામફળને ધોઈને ખાય છે. પરંતુ આ વખતે તેમણે એક ખાસ ટ્રિક અપનાવી હતી. ત્યારબાદ જે પરિણામ આવ્યું તે જોઈ બધા ચોંકી ગયા હતા.
વીડિયોમાં પુજાએ જામફળને 2 થી 3 કલાક પાણીની અંદર રાખ્યું હતુ. થોડા સમય જામફળ પાણીમાં રહ્યા પછી જામફળની અંદર રહેલી ઈયળો બહાર આવવા લાગે છે. આ જીવાત એટલી સુક્ષ્મ છે કે, સામાન્ય રીતે ધોવા પર પણ આ ઈયળ દેખાય નહી. આ કારણે અજાણતા લોકો આ જીવાત પણ ખાય જાય છે.
આ વાયરલ વીડિયો સામે આવ્યા પછી સોશિયલ મીડિયા પર અનેક પ્રકારની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. વીડિયમાં કોમેન્ટ કરી એક યુઝરે સલાહ આપી કે, ચોમાસાની ઋતુમાં ક્યારેય જામફળ ખાવા જોઈએ નહી.બીજા એક યુઝરે પૂછ્યું કે જામફળને પાણીમાં કેવી રીતે રાખવું, જેના જવાબમાં પૂજાએ સ્પષ્ટતા કરી કે આ આ યુક્તિ તેને સામાન્ય નળના પાણીમાં થોડા કલાકો સુધી પલાળી રાખવાથી કામ કરે છે.
Published On - 2:09 pm, Tue, 18 August 26