અહીં વીત્યું સીતાજીનું બાળપણ ! આ જ છે ત્રેતાયુગની ‘જનકપુરી’

|

May 20, 2021 | 1:16 PM

વૈશાખ સુદ નોમ એ દેવી સીતાનો પ્રાગટ્ય દિવસ માનવામાં આવે છે. નેપાળની રાજધાની કાઠમંડુથી લગભગ 123 કિલોમીટરના અંતરે આવેલું છે જનકપુર.

અહીં વીત્યું સીતાજીનું બાળપણ ! આ જ છે ત્રેતાયુગની ‘જનકપુરી’
જાનકી મંદિર

Follow us on

દેવી સીતા (SITA) એટલે તો સ્ત્રીત્વનું, સહનશીલતાનું, સુશીલતાનું અને સમજદારીનું ઉત્કૃષ્ટ ઉદાહરણ. દેવી સીતા એટલે તો ત્યાગની દેવી. આજનો દિવસ એટલે કે વૈશાખ સુદ નોમ એ દેવી સીતાનો પ્રાગટ્ય દિવસ માનવામાં આવે છે. શું તમે જાણો છો કે દેવી સીતાનું બાળપણ ક્યાં વીત્યું હતું ? જ્યાં દેવી સીતાનું બાળપણ વીત્યું તે સ્થાન આજે ક્યાં આવ્યું છે ? ચાલો, આજે આપને લઈ જઈએ ત્રેતાયુગની જનકપુરીમાં. એ જનકપુરીમાં કે જ્યાં આજે પણ દૃશ્યમાન છે રાજા જનકનો મહેલ અને આ મહેલના કણ-કણમાં સચવાયા છે દેવી સીતાના સ્પંદન.

આમ તો સમગ્ર નેપાળમાં ‘આધ્યાત્મિક્તા’ની અનુભૂતિ ડગલે ને પગલે મળતી જ રહે છે. પરંતુ, નેપાળની રાજધાની કાઠમંડુથી લગભગ 123 કિલોમીટરના અંતરે આવેલું જનકપુર ભક્તોના હ્રદયમાં અદકેરું જ સ્થાન ધરાવે છે. ધનુષા જિલ્લામાં આવેલું આ એ શહેર છે કે જેને લોકો જનકપુરના બદલે જનકપુરધામ કહેવું વધારે પસંદ કરે છે. અને કેમ ન કહે કારણ કે અહીં જ તો હતી રામાયણ કાળની મનોહારી મંગળકારી અને મનશાપૂર્તિ મિથિલા નગરી.

ત્રેતાયુગમાં મિથિલા નગરીમાં રાજા જનકનું રાજ હતું અને લોકવાયકા એવી છે કે આ જનકપુર જ તે સમયે મિથિલાની રાજધાની હતું. દેવી સીતાનો જન્મ કયા સ્થાન પર થયો તેને લઈને ભલે મતમતાંતર હોય પરંતુ, એ વાત તો દ્રઢપણે મનાઈ રહી છે કે આ જનકપુરના ‘જનકમહેલ’માં જ વિત્યું હતું દેવી સીતાનું બાળપણ.

પાણી નહીં જમીન પર રહે છે આ રહસ્યમય માછલી, ચાલે પણ છે, કુદકા પણ મારે છે
Running Horses Painting: ઘરમાં 7 દોડતા ઘોડાની તસવીર લગાવવાથી શું થાય છે?
Patel Surname History : ભારતમાં જ નહીં વિશ્વભરમાં પ્રસિદ્ધ છે પટેલ સમુદાય, જાણો અટકનો ઈતિહાસ
Snake Crossing Path: સાપનું રસ્તો કાપવું શુભ છે કે અશુભ? જાણો વાસ્તુશાસ્ત્ર શુ કહે છે
નિવૃત્તિ છતાં વિરાટ, રોહિત અને જાડેજાને ગ્રેડ A+ માં કેમ સ્થાન મળ્યું?
ભારતીય ક્રિકેટના 'બડે મિયાં-છોટે મિયાં' બંનેને મળી ખુશખબર

સીતાનું બાળપણ

લોકમાન્યતા અનુસાર પ્રાચીનકાળમાં વિદેહના નામે પ્રસિદ્ધ આ સ્થાન પરથી જ ‘જનક’ રાજાઓ શાસન ચલાવતાં. વાસ્તવમાં વિદેહની ગાદિ પર બેસનાર દરેક રાજા ‘જનક’ તરીકે જ ઓળખાતો. અને તે જ કુળમાં રાજા ‘સીરધ્વજ’નું પ્રાગટ્ય થયું. આ ‘સીરધ્વજ’ એટલાં ગુણી અને જ્ઞાની હતાં કે તે જ ‘જનક’ રૂપે પ્રસ્થાપિત થઈ ગયા. અને તેમને જ ધરતી ખેડતાં એક ‘કન્યારત્ન’ની પ્રાપ્તિ થઈ. તે કન્યા એટલે જ તો દેવી ‘સીતા’. એ સીતા કે જે જનકપુરની આ જ ધરા પર ઉછર્યા હોવાની છે માન્યતા.

ત્રેતાયુગીની આ જનકપુરીએ દેવી સીતાના બાળપણને નિહાળ્યું પણ છે. અને સાથે જ શ્રીરામ પ્રત્યેના સીતાજીના અનુરાગનું તે સર્વપ્રથમ સાક્ષી પણ બન્યું છે. આ એ જ ભૂમિ છે કે જેની વાટિકામાં સિયા-રામજી પ્રથમવાર મળ્યા હતાં. અને આ જ ભૂમિ પર ધનુષ ભંગ કરી શ્રીરામ ‘મૈથિલી’ને વર્યા હતાં. સિયારામજીની એ યાદો અને સ્પંદનો આજે પણ આ ભૂમિ પર સચવાયેલી છે. અને તેને વધારે જ દ્રઢતા પ્રદાન કરી રહ્યો છે અહીંનો આ જનક મહેલ. જે પ્રસિદ્ધ છે જાનકી મંદિરના નામે.

 

આ પણ વાંચો : બાળવયે સંન્યાસ લેવાં આદિ શંકરાચાર્યજીએ શું કરી હતી લીલા ?