Viral Video: મગરની ઉદારતા… નદીમાં ડૂબી ગયેલા બાળકનો મૃતદેહ પરિવારને સોંપવા આવ્યો, લોકોએ કહ્યું- આ ચમત્કાર છે

આ પ્રાણીઓ માત્ર પોતાની સંતાન કે સંબંધીઓ માટે જ લાગણીઓ રાખી શકે છે પણ ક્યારેક કોઈ મગરને માણસો પ્રત્યે દરિયાદિલી બતાવતા જોયો છે? હાલમાં વાયરલ થઈ રહેલા વીડિયોમાં મગરની દરિયાદિલીના દ્રશ્યો જોવા મળી રહ્યાં છે.

Viral Video: મગરની ઉદારતા... નદીમાં ડૂબી ગયેલા બાળકનો મૃતદેહ પરિવારને સોંપવા આવ્યો, લોકોએ કહ્યું- આ ચમત્કાર છે
Shocking Viral Video
Image Credit source: Twitter
| Edited By: | Updated on: Jan 24, 2023 | 11:53 PM

પાણી અને જમીન પર ફરતા મગર દુનિયાના સૌથી ખતરનાક પ્રાણીઓમાંથી એક છે. આ પ્રાણીની ટક્કર જ્યારે માણસ સાથે થાય છે, ત્યારે તે ભયાનક લડાઈમાં માણસને જ જીવ ગુમાવો પડે છે. ઘણીવાર તો મગરના ઝાપટામાં આવવાથી માણસના મૃતદેહ પણ નથી મળતા. સોશિયલ મીડિયા પર મગરની લડાઈના અને તેના શિકારના અનેક ચોંકાવનારા વીડિયો વાયરલ થતા રહે છે.

મગર, સિંહ, વાઘ, ચિંત્તા પાસે ક્યારેય દરિયાદિલીની આશા ન રાખી શકાય. દુનિયાના દરેક જીવની જેમ આ ખતરનાક પ્રાણીઓની બનાવટ અને ખાસિયત પણ અલગ અલગ હોય છે. આ પ્રાણીઓ માત્ર પોતાની સંતાન કે સંબંધીઓ માટે જ લાગણીઓ રાખી શકે છે. પણ ક્યારેક કોઈ મગરને માણસો પ્રત્યે દરિયાદિલી બતાવતા જોયો છે? હાલમાં વાયરલ થઈ રહેલા વીડિયોમાં મગરની દરિયાદિલીના દ્રશ્યો જોવા મળી રહ્યાં છે.

આ વાયરલ વીડિયો કઈ જગ્યાનો અને કયા સમયનો છે તે જાણવા નથી મળ્યું પણ આ વીડિયોમાં મગરની દરિયાદિલી જોઈ સૌ કોઈ ભાવુક થયા છે. વાયરલ વીડિયોમાં એક જળાશયમાં કોઈ બાળકનો મૃતદેહ તરીતો દેખાય છે. આ મૃતદેહ ધીરે ધીરે કિનારા તરફની બોટ પાસે આવે છે. તમને જાણીને નવાઈ લાગશે કે એક મગર પોતાની પીઠ પર નાના બાળકનો મૃતદેહ લઈને તેમના પરિવારને સોંપવા આવ્યો હતો.

આ રહ્યો એ ચોંકાવનારો વાયરલ વીડિયો

 

આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક સોશિયલ મીડિયા યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, બાપ રે બાપ. બીજા સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, મારી પ્રાર્થના તે બાળક અને પરિવાર સાથે છે. અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, ભગવાનને પ્રાર્થના કે કોઈને આવી મૌત ન આપે.