કામની વાત : ટ્રેનમાં યાત્રા દરમિયાન રેલ્વેનો આ નંબર ચોક્કસ યાદ રાખજો, કોઈ પણ સમસ્યા હશે તો મદદ મળી રહેશે

તમે રેલ મદદ હેલ્પલાઈન નંબર 139 પર કોલ કરીને રેલવે સંબંધિત તમામ માહિતી મેળવી શકો છો. આ સાથે જો કોઈ સમસ્યા હોય તો પણ આ નંબર પર કોલ કરી શકાય છે.

કામની વાત : ટ્રેનમાં યાત્રા દરમિયાન રેલ્વેનો આ નંબર ચોક્કસ યાદ રાખજો, કોઈ પણ સમસ્યા હશે તો મદદ મળી રહેશે
Rail madad helpline number 139 (Symbolic photo)
| Edited By: | Updated on: Feb 12, 2022 | 7:35 AM

દેશભરમાં દરરોજ કરોડો લોકો ટ્રેનોમાં મુસાફરી કરે છે. આ જ કારણ છે કે ભારતીય રેલ્વેને (Indian Railways) દેશની લાઈફલાઈન કહેવામાં આવે છે. જો કે ભારતીય રેલ્વે તેના મુસાફરોની સુવિધા, સલામતી અને આરામદાયક મુસાફરી માટે રાત-દિવસ કામ કરે છે. પરંતુ તેમ છતાં ઘણી વખત ટ્રેનમાં મુસાફરી (Rail Passengers) કરતા મુસાફરોએ ઈચ્છા ન હોવા છતાં વિવિધ કારણોસર મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

આવી સ્થિતિમાં, ભારતીય રેલ્વેની રેલ મદદ હેલ્પલાઇન નંબર 139 મુસાફરોની ઘણી સમસ્યાઓ હલ કરવામાં સક્ષમ છે. ટ્રેનની મુસાફરી દરમિયાન મુસાફરી કરતા મુસાફરો જો કોઈ પણ પ્રકારની સમસ્યા અથવા મૂંઝવણનો સામનો કરે છે. તો તેઓ ભારતીય રેલ્વેના રેલ મદદ હેલ્પલાઈન નંબર 139 પર કૉલ કરી શકે છે. જ્યાંથી તેમની સમસ્યાઓ પર તાત્કાલિક પગલાં લેવામાં આવે છે.

રેલ્વે મંત્રાલયે ટ્વીટ કરીને 139નું મહત્વ જણાવ્યુ છે

મુસાફરી દરમિયાન, 139 ઘણી રીતે રેલવે મુસાફરો માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થાય છે. મુસાફરોની સુવિધાઓ અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને રેલ્વે મંત્રાલયે તેના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર રેલ મદદ હેલ્પલાઇન નંબર 139ની કેટલીક મહત્વપૂર્ણ બાબતો શેર કરી છે. રેલ્વે મંત્રાલયે એક ટ્વીટમાં લખ્યું છે કે 139 એક એવો હેલ્પલાઇન નંબર છે. જ્યાં તમને ઘણી માહિતી મળે છે. રેલ્વે મંત્રાલયે મુસાફરોને અપીલ કરી છે કે તેઓ ભારતીય રેલ્વે સંબંધિત કોઈપણ માહિતી અથવા ફરિયાદ માટે રેલ મદદ હેલ્પલાઈન નંબર 139 પર કોલ કરી શકે છે.

139 પર અનેક પ્રકારની મદદ અને માહિતી ઉપલબ્ધ છે

તમને જણાવી દઈએ કે રેલ મદદ હેલ્પલાઈન નંબર 139 પર કોલ કરીને તમે રેલ્વે સંબંધિત તમામ માહિતી મેળવી શકો છો. આ સાથે જો કોઈ સમસ્યા હોય તો પણ આ નંબર પર કોલ કરી શકાય છે. તમે 139 પર કૉલ કરીને સુરક્ષા સંબંધિત માહિતી અથવા ફરિયાદ કરી શકો છો. જો તમને મુસાફરી દરમિયાન કોઈપણ પ્રકારની તબીબી સહાયની જરૂર હોય, તો પણ તમે આ નંબર પર કૉલ કરી શકો છો. આ ઉપરાંત આ નંબર પર કોલ કરીને અકસ્માતની માહિતી, ટ્રેન સંબંધિત ફરિયાદ, સ્ટેશન સંબંધિત ફરિયાદ, ફરિયાદની કાર્યવાહીની સ્થિતિ, તકેદારીની માહિતી, નૂર કે પાર્સલ સંબંધિત પ્રશ્નો, સામાન્ય માહિતી સહિત અન્ય ઘણી માહિતી મેળવી શકાય છે અને ફરિયાદ કરી શકાય છે.

તેથી, ટ્રેનમાં મુસાફરી કરતા તમામ મુસાફરોએ ભારતીય રેલ્વેના રેલ મદદ હેલ્પલાઈન નંબર 139 ને હંમેશા યાદ રાખવો જોઈએ અને આ નંબર પોતાના મોબાઈલ ફોનમાં રાખવો જોઈએ જેથી જરૂર પડે ત્યારે તેમને ફોન કરી શકાય અને જરૂરી મદદ કે માહિતી કે ફરિયાદ મેળવી શકાય.

આ પણ વાંચો : સોશિયલ મીડિયા પર ટોપ ટ્રેન્ડ થયું Twitter Down, યુઝર્સએ Memesનો કર્યો વરસાદ

આ પણ વાંચો : ઓવૈસી ભાજપ અને અખિલેશ પર આક્રમક, પરંતુ આઝમ ખાન પ્રત્યે વ્યક્ત કરી સહાનુભૂતિ, કહ્યું તેમની સાથે અન્યાય થયો, ચોક્કસપણે નિર્દોષ સાબિત થશે