Viral Video: Pakistanના રક્ષા મંત્રીએ નહેરમાં માર્યો કુદકો, લોકો ખુશીથી તાળીઓ પાડવા લાગ્યા, જુઓ વીડિયો

|

Jul 02, 2023 | 3:36 PM

પાકિસ્તાનના 73 વર્ષીય રક્ષા મંત્રી ખ્વાજા આસિફનો કેનાલમાં કૂદવાનો વીડિયો ચર્ચામાં છે. આ વીડિયોમાં તે સિયાલકોટ કેનાલમાં કૂદતા જોવા મળી રહ્યા છે. તેમને કૂદતા જોઈને બ્રિજ પર હાજર લોકો તાળીઓ પાડવા લાગ્યા. આ વીડિયો ઈદ ઉલ અઝહાના દિવસનો જણાવવામાં આવી રહ્યો છે.

Viral Video: Pakistanના રક્ષા મંત્રીએ નહેરમાં માર્યો કુદકો, લોકો ખુશીથી તાળીઓ પાડવા લાગ્યા, જુઓ વીડિયો
Image Credit source: Twitter

Follow us on

Pakistan: પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફનો એક વીડિયો આ દિવસોમાં ચર્ચામાં છે. આ વીડિયોમાં ખ્વાજા આસિફ પુલ પરથી કેનાલમાં કૂદતા જોઈ શકાય છે. આ દરમિયાન પુલ પર ઉભેલી ભીડ ખ્વાજા આસિફના આ વિચિત્ર કૃત્ય પર તાળીઓ પાડતી જોવા મળે છે. ખ્વાજા આસિફ આ પહેલા પણ ઘણી વખત આ કેનાલમાં કૂદી ચૂક્યા છે. ખ્વાજા આસિફ 73 વર્ષના છે. નવાઝ શરીફના કાર્યકાળ દરમિયાન તેઓ નવેમ્બર 2013થી જુલાઈ 2017 સુધી પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન પણ રહી ચૂક્યા છે.

આ પણ વાંચો: Viral Video: તમંચે પે ડિસ્કોનો વીડિયો થયો વાયરલ, ઓર્કેસ્ટ્રા સામે બંદૂક લહેરાવી, હવે શોધી રહી છે પોલીસ

આજનું રાશિફળ તારીખ : 10-09-2024
'હું મુસ્લિમ છું, ચર્ચમાં જાઉં છું, મારા દીકરાને હિન્દુ નામ આપ્યું છે' - કિશ્વર મર્ચન્ટ
ટેસ્ટમાં ભારતના સૌથી સફળ ટોપ-10 વિકેટકીપરમાં ત્રણ ગુજ્જુ સામેલ
સુરતના 3 સૌથી મોટા મોલ, જાણો તેમના નામ
માત્ર એક એલચી દરરોજ ખાવાથી જાણો શું થાય છે?
જાણો કોણ છે કૌશિક ભરવાડ, જેનું મારે કપડાં મેચિંગ કરવા છે ગીત ફેમસ થયું છે

આ પહેલા ખ્વાજા આસિફ શાહિદ ખાકાન અબ્બાસીની સરકારમાં ઓગસ્ટ 2017થી એપ્રિલ 2018 સુધી પાકિસ્તાનના વિદેશ મંત્રી પણ રહી ચૂક્યા છે. આ સિવાય ખ્વાજા આસિફ ઘણા મંત્રી પદ પર રહી ચૂક્યા છે.

ઈદ-ઉલ-અઝહા પર નહેરમાં કૂદી પડયા હતા ખ્વાજા આસિફ

ઈદ-ઉલ-અઝહાના દિવસે ખ્વાજા આસિફનો કેનાલમાં કૂદવાનો વીડિયો જણાવવામાં આવી રહ્યો છે. આ પહેલા પણ ખ્વાજા આસિફ અનેક વખત કેનાલમાં કૂદી ચૂક્યા છે. 2016માં ખ્વાજા આસિફે જળ અને ઉર્જા મંત્રી રહીને પણ કેનાલમાં છલાંગ લગાવી દીધી હતી.

Credit- Twitter @ghulamabbasshah

ત્યારબાદ તેના પર જિલ્લા વહીવટીતંત્રની કલમ 144નું ઉલ્લંઘન કરવાનો આરોપ પણ લાગ્યો હતો. તે સમયે ખ્વાજા આસિફ જાહેર સભામાં ભાગ લીધા બાદ તેના મિત્રો સાથે રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા. તેમની સાથે સાંસદ મનશાઉલ્લાહ બટ્ટ, પૂર્વ ડેપ્યુટી મેયર બાબર ખાન, મ્યુનિસિપલ કોર્પોરેશનના ચેરમેન ચૌધરી તૌહીદ અખ્તર પણ હતા. તેમાંથી મોટાભાગના લોકોએ સિયાલકોટની મોત્રા કેનાલમાં નાહવા પડ્યા હતા.

કોણ છે ખ્વાજા આસિફ

ખ્વાજા મુહમ્મદ આસિફ પાકિસ્તાનના વરિષ્ઠ રાજકારણી છે. તેઓ એપ્રિલ 2022થી પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન તરીકે સેવા આપી રહ્યા છે. ખ્વાજા આસિફ 1993થી 1999 અને ફરીથી 2002થી અત્યાર સુધી સતત પાકિસ્તાનના સંસદ સભ્ય રહ્યા છે. મે 2019 માં, તેમણે પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીમાં PML-N ના સંસદીય પક્ષના નેતા તરીકે પણ કાર્યભાર સંભાળ્યો હતો. તેમણે ઓગસ્ટ 2017થી એપ્રિલ 2018 સુધી અબ્બાસી કેબિનેટમાં વિદેશી બાબતોના પ્રધાન તરીકે તેમજ નવાઝ શરીફ હેઠળ 2013થી 2017 સુધી સંરક્ષણ પ્રધાન અને પાણી અને વીજળી પ્રધાન તરીકે સેવા આપી હતી. નવાઝ શરીફના પ્રથમ કાર્યકાળ દરમિયાન પાકિસ્તાનની સેનેટમાં ચૂંટાયા બાદ ખ્વાજા આસિફે 1991માં પોતાની રાજકીય કારકિર્દી શરૂ કરી હતી.

વાયરલ અને ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article