#LataMangeshkar : લતા મંગેશકરની હાલત ફરી લથડી, સોશિયલ મીડિયા પર લોકો તેમના સ્વાસ્થ્ય માટે કરી રહ્યા છે પ્રાર્થના

સ્વર કોકિલા તરીકે ઓળખાતી લતા મંગેશકરની હાલત ફરી એકવાર નાજુક બની ગઈ છે. તેમને ફરીથી વેન્ટિલેટર પર ખસેડવામાં આવ્યા છે.

#LataMangeshkar : લતા મંગેશકરની હાલત ફરી લથડી, સોશિયલ મીડિયા પર લોકો તેમના સ્વાસ્થ્ય માટે કરી રહ્યા છે પ્રાર્થના
| Edited By: | Updated on: Feb 05, 2022 | 9:15 PM

સ્વર કોકિલા તરીકે ઓળખાતી લતા મંગેશકરની (Lata Mangeshkar) હાલત ફરી એકવાર નાજુક બની ગઈ છે. તેમને ફરીથી વેન્ટિલેટર પર ખસેડવામાં આવ્યા છે. 8 જાન્યુઆરીએ કોરોનાથી સંક્રમિત થયા બાદ તેમને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને ત્યારથી તેઓ ICUમાં છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેમની તબિયતમાં સુધારો થયો હતો, પરંતુ અચાનક તેમની તબિયત ફરી બગડી હતી, જેના પછી તેમને વેન્ટિલેટર પર ખસેડવામાં આવ્યા હતા. હાલમાં ડોકટરોની ટીમ 24 કલાક તેમના પર નજર રાખી રહી છે અને તેમના સ્વાસ્થ્યની તપાસ કરી રહી છે.

હાલમાં જ માધુરી દિક્ષીતે પણ લતા મંગેશકરના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરતા એક ટ્વીટ કર્યુ છે.

 

તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા લતા મંગેશકરના નિધનની ઘણી અફવાઓ આવી હતી, ત્યારબાદ તેમના પરિવારના સભ્યોએ તેમના ટ્વિટર હેન્ડલ પરથી ટ્વિટ કરીને જાણકારી આપી હતી કે તેઓ બિલકુલ સ્વસ્થ છે. તેમજ ખોટા સમાચારો પર ધ્યાન ન આપવા અપીલ કરી હતી.

જો કે ફરી એકવાર તેમની તબિયત બગડી છે, પરંતુ તેમના ઝડપી સ્વસ્થ થવા માટે દેશભરમાં પ્રાર્થના કરવામાં આવી રહી છે. #LataMangeshkar ટ્વિટર પર ટ્રેન્ડ કરવાનું શરૂ કર્યું છે. લોકો ટ્વીટ કરીને તેમના સ્વસ્થ થવાની કામના કરી રહ્યા છે. ચાલો એક નજર કરીએ કેટલીક પસંદગીની ટ્વીટ્સ પર…

 

આ પણ વાંચો –

Lata Mangeshkar Critical Health : લતા મંગેશકરની હાલત ફરી લથડી, પીઢ ગાયિકા ફરી વેન્ટિલેટર પર

આ પણ વાંચો –

Gehraiyaan Memories: રિલીઝ પહેલા સિદ્ધાંત ચતુર્વેદીએ શેર કરી ફિલ્મ ‘ગહેરાઈયા’ની યાદો, તસ્વીરોમાં જોવા મળ્યા તમામ પાત્રો

આ પણ વાંચો –

Karishma Varun Wedding: કોણ છે વરુણ બંગેરા, જેણે ટીવી અભિનેત્રી કરિશ્મા તન્નાનું દિલ ચોરી લીધું

Published On - 4:39 pm, Sat, 5 February 22

Follow Us