Viral: IASએ લગ્નમાં બચેલા ભોજનની તસ્વીર કરી શેર, લોકોએ કહ્યું આનાથી કેટલાય ભૂખ્યા ગરીબોનું પેટ ભરી શકાત

|

Feb 20, 2022 | 8:39 AM

નાનપણથી આપણે બધા એ સાંભળતા આવીએ છીએ કે ભોજનનું ક્યારેય અપમાન ન કરવું જોઈએ અને ખોરાકનો બગાડ ન કરવો જોઈએ, પરંતુ લગ્ન કે કોઈપણ મોટા કાર્યક્રમમાં આપણે બાળપણનો આ પાઠ ભૂલી જઈએ છીએ.

Viral: IASએ લગ્નમાં બચેલા ભોજનની તસ્વીર કરી શેર, લોકોએ કહ્યું આનાથી કેટલાય ભૂખ્યા ગરીબોનું પેટ ભરી શકાત
Wasted food in the wedding (Image Credit Source: Twitter)

Follow us on

ભારતમાં લગ્નોમાં પાણીની જેમ પૈસા વેડફાય છે! ડેકોરેશનથી લઈને ફૂડ અને વર-કન્યાના ડ્રેસ બધું જ ખાસ હોય છે. આ જ કારણ છે કે આપણા દેશમાં લગ્ન (Wedding)દરમિયાન લાખો રૂપિયા માત્ર ખાવા પર જ ખર્ચવામાં આવે છે. આવી સ્થિતિમાં ભોજનનો સૌથી વધુ બગાડ લગ્નોમાં જ જોવા મળે છે. ઘણી વખત લગ્નોમાં જોવા મળે છે કે લોકો આખી થાળી કચરાપેટીમાં ભરીને જ ખાવાનું ફેંકી દે છે.

આ સ્થિતિ ત્યારે છે જ્યારે ગ્લોબલ હંગર ઈન્ડેક્સ (Global Hunger Index) 2021માં 116 દેશોની યાદીમાં ભારત 101મા ક્રમે છે. આવી સ્થિતિમાં લગ્ન અને પાર્ટીઓમાં ભોજનનો બગાડ વિડંબના સમાન છે. હાલના દિવસોમાં એક તસવીર વાયરલ થઈ રહી છે. જે ખરેખર ચિંતાજનક છે.

LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે
પાકિસ્તાનમાં માહિરા સાથે થઈ બદતમીઝી, અજાણ્યા વ્યક્તિએ ફેંક્યો સામાન, હસીનાએ કહ્યું..
તમે અમીર બનવા માગતા હોવ તો વોરેન બફેટના આ 7 સરળ રસ્તા જાણી લો
દરરોજ શરીરમાં કેટલું કેલ્શિયમ હોવું જરુરી? જો આટલું કરી લીધુ તો નહીં રહે કેલ્શિયમની ઉણપ

નાનપણથી આપણે બધા એ સાંભળતા આવીએ છીએ કે ખોરાકનું ક્યારેય અપમાન ન કરવું જોઈએ અને ખોરાકનો બગાડ ન કરવો જોઈએ, પરંતુ લગ્ન કે કોઈપણ મોટા કાર્યક્રમમાં આપણે બાળપણનો આ પાઠ ભૂલી જઈએ છીએ. આનો પુરાવો આ વાયરલ તસ્વીર છે, જેમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ હેઠી થાળીઓ તેમજ લગ્નમાં બચેલો બગાડાયેલો ખોરાક સાફ કરતો જોવા મળી રહ્યો છે. જો આ ખોરાક ઘણા ભૂખ્યા લોકોનું પેટ સરળતાથી ભરી શકત.

વાયરલ થઈ રહેલી આ તસવીર IAS ઓફિસર અવનીશ શરણે પોતાના ટ્વિટર એકાઉન્ટ પરથી શેર કરી છે. જેની સાથે તેણે કેપ્શનમાં લખ્યું- ‘એ ફોટો જે તમારા વેડિંગ ફોટોગ્રાફરથી છૂટી ગઈ, ખાવાનું બગાડવાનું બંધ કરો.’ આ તસવીર જોયા બાદ લોકો ખૂબ જ ગુસ્સામાં જોવા મળી રહ્યા છે અને કમેન્ટ્સ દ્વારા તેમની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

એક યુઝરે લખ્યું, ‘આમ તો, લોકો થાળી પણ ચાડી જતા હોય છે તો પછી લગ્નમાં ભોજનનો બગાડ શા માટે કરે છે.’ જ્યારે અન્ય એક યુઝરે લખ્યું, ‘એવા નિયમો બનાવવા જોઈએ જેથી ખોરાકનો આવો બગાડ ટાળી શકાય.’ લખ્યું કે, ‘લગ્ન દરમિયાન બચેલો ખોરાક જરૂરિયાતમંદોમાં વહેંચવો જોઈએ.’ આ સિવાય અન્ય ઘણા યુઝર્સે આ અંગે કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપ્યો હતો.

આ પણ વાંચો: Technology: Google એ કહ્યું Chrome બ્રાઉઝરમાં છે 11 સિક્યોરિટી બગ્સ, જાણો તેને કઈ રીતે દૂર કરવા

આ પણ વાંચો: Viral: નાના ડોગીએ સૂંવરને ચાલવા કર્યું મજબૂર, વીડિયો જોઈ હસવું નહીં રોકી શકો

Next Article