સિદ્ધુએ રાજીનામું આપતા સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થવા લાગ્યું #ArchanaPuransingh, લોકોએ લખ્યુ અર્ચનાની નોકરી ખતરામાં ?

|

Sep 30, 2021 | 2:46 PM

અર્ચના પુરણ સિંહે, આ વિષય પર મીડિયા સાથે વાત કરતા કહ્યું, 'વર્ષોથી મારા પર મજાક કરવામાં આવે છે. પરંતુ મેં ન તો તેની પરવા કરી અને ન તો ક્યારેય તેને ગંભીરતાથી લીધી.

સિદ્ધુએ રાજીનામું આપતા સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થવા લાગ્યું #ArchanaPuransingh, લોકોએ લખ્યુ અર્ચનાની નોકરી ખતરામાં ?
Archana Puran Singh Trend On Social Media

Follow us on

નવજોત સિંહ સિદ્ધુએ (Navjot Singh Sidhu) મંગળવારે પંજાબ કોંગ્રેસ (Punjab Congress) અધ્યક્ષ પદેથી રાજીનામું આપીને બધાને ચોંકાવી દીધા છે. એક બાજુ સિદ્ધુના આ નિર્ણયથી કોંગ્રેસમાં હલચલ મચી ગઈ છે, તો બીજી તરફ ‘ધ કપિલ શર્મા શો’માં (The Kapil Sharma Show) પોતાની ખુરશી પર બેઠેલી અર્ચના પૂરણ સિંહ પણ લોકોમાં ચર્ચાનો વિષય બની છે. સોશિયલ મીડિયા પર તેના વિશે ઘણી ચર્ચાઓ શરૂ છે અને ઘણા રમુજી મીમ્સ પણ શેર કરવામાં આવી રહ્યા છે.

એક તરફ જ્યાં સિદ્ધુ રાજકીય વર્તુળોમાં ટ્રેન્ડ કરી રહ્યા હતા. તે જ સમયે, અર્ચના પૂરન સિંહ મનોરંજન જગતમાં ટ્રેન્ડ થઇ રહી છે. તમે આ વાત પરથી અનુમાન લગાવી શકો છો કે સિદ્ધુએ રાજીનામું આપતાંની સાથે જ, #ArchanaPuransingh ટ્વિટર અને અન્ય સોશિયલ મીડિયા પર સાઇટ પર ટ્રેન્ડ કરવાનું શરૂ કર્યું. અર્ચના વિશે ઘણા મીમ્સ વાયરલ થવા લાગ્યા. હવે અર્ચનાએ આ મીમ્સ પર પ્રતિક્રિયા આપી છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

અર્ચનાએ શેર કરેલા મીમ્સમાં, તમે જોઈ શકો છો કે તે ‘બુરખામાં રડતી અને કહેતી જોવા મળે છે કે મારે ઘરે જવું છે.’ “આ સાથે અર્ચનાએ હસતી ઇમોજી શેર કરી. તેને શેર કરતાં અર્ચનાએ લખ્યું, “હું મારા પોતાના મીમ્સ બનાવી રહી છું … કિસ્સા ખુરશી કા ..” આ સાથે અર્ચનાએ હસતા ઇમોજીસ શેર કર્યા.

તમારી માહિતી માટે, અમે તમને જણાવી દઈએ કે આ બધા પછી, અર્ચના પુરણ સિંહે, આ વિષય પર મીડિયા સાથે વાત કરતા કહ્યું, ‘વર્ષોથી મારા પર મજાક કરવામાં આવે છે. પરંતુ મેં ન તો તેની પરવા કરી અને ન તો ક્યારેય તેને ગંભીરતાથી લીધી. જો સિદ્ધુ શોમાં પરત ફરીને મને બદલવા માંગે છે, તો મારી પાસે બીજા ઘણા બધા પ્રોજેક્ટ્સ છે જે મેં છેલ્લા ઘણા મહિનાઓમાં ઠુકરાવી દીધા હતા.

આ પણ વાંચો –

સપ્ટેમ્બર મહિનામાં વિશ્વ દરિયાઈ દિવસ શા માટે ઉજવવામાં આવે છે ? જાણો આ દિવસનો રસપ્રદ ઈતિહાસ

આ પણ વાંચો –

Supreme Court News: ‘બહાના ન બનાવો, કાયદાનું પાલન કરાવવાનું તમારું કામ છે’, ખેડૂતોની કામગીરીને લઈને કેન્દ્રથી નારાજ સુપ્રીમ કોર્ટ

આ પણ વાંચો –

International Translation Day 2021: આજે આંતરરાષ્ટ્રીય અનુવાદ દિવસ, શું તમે આ દિવસનું મહત્વ જાણો છો ?

Next Article