Tribute to Pandit Shivkumar Sharma: અમૂલે પંડિત શિવકુમારને આપી ખાસ અંદાજમાં વિદાય, લખ્યું- તેમનો દરેક શ્વાસ એક સાધન હતું

|

May 12, 2022 | 7:49 AM

પ્રખ્યાત સંતૂર વાદક પંડિત શિવકુમાર શર્માના (Pandit Shivkumar Sharma) નિધન બાદ સોશિયલ મીડિયા તેમના ચાહકોના શોક સંદેશાઓથી છલકાઈ ગયું છે. દરેક વ્યક્તિ પોતાની રીતે મૃતકને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. અમૂલે તેના માટે ખાસ ડૂડલ (Amul Doodle) પણ બનાવ્યું છે, જે વાયરલ થયું છે.

Tribute to Pandit Shivkumar Sharma: અમૂલે પંડિત શિવકુમારને આપી ખાસ અંદાજમાં વિદાય, લખ્યું- તેમનો દરેક શ્વાસ એક સાધન હતું
amul tribute to pandit shivkumar sharma

Follow us on

પ્રખ્યાત સંતૂર વાદક પંડિત શિવકુમાર શર્માએ (Pandit Shivkumar Sharma) 84 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું. મુંબઈમાં કાર્ડિયાક અરેસ્ટને કારણે તેમનું અવસાન થયું હતું. તેઓ છેલ્લા છ મહિનાથી કિડનીની સમસ્યાથી પીડાતા હતા અને ડાયાલિસિસ કરાવી રહ્યા હતા. તેમના અવસાન બાદ દરેક લોકો પોતાની આગવી શૈલીમાં તેમને અંતિમ વિદાય આપી રહ્યા છે. ડેરી બ્રાન્ડ અમૂલે (Amul) પણ મૃતકને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલી આપી છે. અમૂલે પંડિતજી માટે ખાસ ડૂડલ (Amul Doodle) બનાવ્યું છે. જેના પર ડેરી બ્રાન્ડે લખ્યું છે કે, તેના દરેક શ્વાસમાં એક સાધન હતું. પદ્મ વિભૂષણ પુરસ્કાર વિજેતા પંડિત શિવકુમાર શર્માએ માત્ર દેશમાં જ નહીં, પરંતુ ભારતીય સંગીતને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ અપાવવામાં પણ યોગદાન આપ્યું હતું.

પંડિતજીનો જન્મ જમ્મુમાં થયો હતો. તેમને સંગીતનાં સાધન સંતૂરને લોકપ્રિય બનાવવાનો શ્રેય આપવામાં આવે છે. તેમના અવસાન પછી સોશિયલ મીડિયા તેમના પ્રિયજનોના શોક સંદેશાઓથી છલકાઈ ગયું છે. દરેક વ્યક્તિ પોતાની રીતે સ્વર્ગસ્થ વાદકને શ્રદ્ધાંજલી આપી રહ્યા છે. ડેરી બ્રાન્ડ અમૂલે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક ડૂડલ પણ શેયર કર્યું છે અને લખ્યું છે કે, મહાન ઉસ્તાદ સંતૂર વાદકને શ્રદ્ધાંજલી.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

અમૂલનું ડૂડલ અહીં જુઓ…

લોકો આ રીતે આપી રહ્યા છે શ્રદ્ધાંજલી

પંડિત શિવકુમાર શર્માનો જન્મ કાશ્મીરમાં એક સંગીત પરિવારમાં થયો હતો. તેમણે સંગીતનું પ્રારંભિક શિક્ષણ તેમના પિતા પાસેથી લીધું હતું. તેણે સંતૂરમાં નિપુણતા મેળવી હતી. તેણે 15 વર્ષની ઉંમરે જમ્મુ રેડિયોમાં બ્રોડકાસ્ટર તરીકે નોકરી પણ સ્વીકારી. પંડિતજીને 1955માં મુંબઈમાં એક કાર્યક્રમમાં સંતૂર વગાડવા માટે બોલાવવામાં આવ્યા ત્યારે તેમને ઓળખ મળી.

Published On - 5:48 pm, Wed, 11 May 22

Next Article