ખોવાયેલો ફોન શોધવામાં સરકાર કરશે મદદ, નંબર પણ કરી શકાશે બ્લોક, 17 મેના રોજ શરૂ થશે નવું પોર્ટલ

નવું પોર્ટલ લોકોને તેમના ખોવાયેલા અથવા ચોરાયેલા મોબાઈલ ફોનને ટ્રેક કરવામાં પણ મદદ કરશે. ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (DoT India)ના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી ટ્વિટ કરીને આ માહિતી આપવામાં આવી છે.

ખોવાયેલો ફોન શોધવામાં સરકાર કરશે મદદ, નંબર પણ કરી શકાશે બ્લોક, 17 મેના રોજ શરૂ થશે નવું પોર્ટલ
Sancharsaathi Portal
| Edited By: | Updated on: May 15, 2023 | 12:21 PM

જો તમારો ફોન ખોવાઈ જાય કે ચોરાઈ જાય તો તમારા માટે રાહતના સમાચાર છે. હકીકતમાં, સરકાર ખોવાયેલા મોબાઈલ ફોનને ટ્રેક કરવામાં મદદ કરતી વેબસાઈટનો વ્યાપ વિસ્તારવા માટે તૈયાર છે. sancharsaathi.gov.in નામનું પોર્ટલ સુધારવામાં આવી રહ્યું છે અને તે 17 મેના રોજ વિશ્વ ટેલિકોમ્યુનિકેશન એન્ડ ઇન્ફોર્મેશન સોસાયટી ડે નિમિત્તે લોન્ચ કરવામાં આવશે. નવું પોર્ટલ લોકોને તેમના ખોવાયેલા અથવા ચોરાયેલા મોબાઈલ ફોનને ટ્રેક કરવામાં પણ મદદ કરશે. ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (DoT India)ના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી ટ્વિટ કરીને આ માહિતી આપવામાં આવી છે.

આ પણ વાંચો: Modi Government 9 Years: મોદી સરકારના 9 વર્ષ પૂર્ણ થવા પર મેગા તૈયારી, ભાજપ ચલાવશે ખાસ સંપર્ક અભિયાન

અશ્વિની વૈષ્ણવ 17 મે, 2023 ના રોજ સંચાર સાથી પોર્ટલ લોન્ચ કરશે

કેન્દ્રીય ટેલિકોમ મંત્રી અશ્વિની વૈષ્ણવ 17 મે, 2023 ના રોજ સંચારસાથી પોર્ટલ લોન્ચ કરશે. અત્યાર સુધી આ પોર્ટલ માત્ર દિલ્હી અને મુંબઈ સર્કલમાં કામ કરી રહ્યું છે. આ પોર્ટલ દેશભરમાં પણ ઉપલબ્ધ હશે. તે તમામ ટેલિકોમ સર્કલ સાથે જોડાયેલા ખોવાયેલા કે ચોરાયેલા મોબાઈલ ફોનને ટ્રેક કરશે.

સંચારસાથી પોર્ટલ પર મોબાઈલ યુઝર્સ શું કરી શકે?

સંચારસાથી પોર્ટલની મદદથી, વપરાશકર્તાઓ તેમના સિમ કાર્ડ નંબરને ઍક્સેસ કરી શકે છે અને અન્ય ID દ્વારા સિમનો ઉપયોગ કરનાર કોઈપણને અવરોધિત કરી શકે છે. સંચાર સાથી નાગરીકો તેમના નામે જાહેર કરાયેલા મોબાઈલ કનેક્શન્સ જાણવા, કનેક્શન ડિસ્કનેક્ટ કરવા, ખોવાયેલા મોબાઈલ ફોન બ્લોક/ટ્રેસ કરવા અને પોર્ટલ પર આપેલી વિગતો મુજબ નવા/જૂના મોબાઈલ ફોન ખરીદતી વખતે સાધનસામગ્રીની વાસ્તવિકતા ચકાસવા માટે તેમને પરવાનગી આપીને સશક્ત કરે છે. સંચારસાથીમાં CEIR, TAFCOP જેવા વિવિધ મોડ્યુલોનો સમાવેશ થાય છે.

ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો