Indian Railways : હવે દરેક યાત્રા પહેલા તમારી ટ્રેનને એક રોબોટ કરશે સેનિટાઇઝ, જુઓ VIDEO

|

Sep 09, 2021 | 3:08 PM

આ પ્રકારની આવી પહેલી સિસ્ટમ છે કે જેને રેલવેએ અપનાવી છે. આમાં બે પ્રકારના વિંગ આપવામાં આવ્યા છે જે ડબ્બાના કોઇ પણ ખૂણામાં જઇને લાઇટની મદદથી વાયરસનો ખાત્મો કરી દેશે.

Indian Railways : હવે દરેક યાત્રા પહેલા તમારી ટ્રેનને એક રોબોટ કરશે સેનિટાઇઝ, જુઓ VIDEO
Indian Railways finds a new way to disinfected trains

Follow us on

ભારતીય રેલવે (Indian Railways) પોતાના નેટવર્કને વધારવાની સાથે સાથે મુસાફરોને સારામાં સારી સુવિધાઓ આપવાની દિશામાં પ્રયત્ન કરતી હોય છે. ભારતીય રેલવે નવી નવી સુવિધાઓ લઇને આવતી રહે છે. હાલમાં જ અત્યાધુનિક સુવિઘાઓથી સજ્જ હોટેલ જેવા નવા કોચ શરૂ કરવામાં આવ્યા છે.

ભારતીય રેલવે આ સાથે સાથે કોરોનાને પણ ધ્યાનમાં રાખીને બચાવના ઉપાયો કરી રહી છે. કોરોનાની ત્રીજી લહેરની આશંકાઓ વચ્ચે હવે યાત્રીઓની સુરક્ષિત યાત્રા સુનિશ્ચિત કરવા માટે દરેક કોચમાં કોરોના સંભવિત જગ્યાઓને ડિસઇંફેક્ટ કરવા માટે UVC લાઇટનો ઉપયોગ કરવામાં આવશે. આમાં ખાસ વાત તો એ છે કે આ કામ એર રોબોટની (Robot) મદદથી કરવામાં આવશે.

તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
SBI પાસેથી 3 વર્ષ માટે 3 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

 

કોરોના મહામારીના આ સમયમાં યાત્રીઓને સંક્રમણથી બચાવવા માટે રેલવેએ એક ખાસ પ્રકારનું વાયરલેસ યૂવી ડિવાઇસ તૈયાર કર્યુ છે. આ રોબોટની મદદથી ફક્ત અઢી મિનીટમાં આખો કોચ સેનિટાઇઝ થઇ શક્શે. આ ડિવાઇસની મદદથી આવનાર સમયમાં સંક્રમણને રોકવામાં મદદ મળશે. આ રોબોટના માધ્યમથી આખી ટ્રેનના 20 કોચને સોનિટાઇઝ કરવામાં 40 થી 45 મિનીટ લાગશે.

હાલમાં રેલવે તરફથી દિલ્લી – લખનૌ શતાબ્દીમાં આનો પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે જ્યારે કાલકા શતાબ્દીમાં જલ્દી જ તેની શરૂઆત કરવામાં આવશે. ગ્રીનકાઇઝ એવિએશનના ડાયરેક્ટર કૈપ્ટન પવન અરોરાએ જણાવ્યુ કે, આ પ્રકારની આવી પહેલી સિસ્ટમ છે કે જેને રેલવેએ અપનાવી છે. આમાં બે પ્રકારના વિંગ આપવામાં આવ્યા છે જે ડબ્બાના કોઇ પણ ખૂણામાં જઇને લાઇટની મદદથી વાયરસનો ખાત્મો કરી દેશે.

આ પણ વાંચો –

Ganesh Chaturthi 2021: મીઠાઈથી રીઝશે મંગલમૂર્તિ ! જાણો ગણેશોત્સવ દરમિયાન ગજાનનને અર્પણ કરવાના વિશેષ ભોગ

આ પણ વાંચો –

Viral Video : રિકી પોન્ડે શેરશાહના સોન્ગ પર કર્યો એવો જબરદસ્ત ડાન્સ જેને જોઇને તમારો દિવસ સુધરી જશે

આ પણ વાંચો –

Mumbai : ભાજપ અને શિવસેના પહેલીવાર બુલેટ ટ્રેન માટે થયા સહમત, જમીન સોંપવાના પ્રસ્તાવને આપવામાં આવી મંજૂરી

Next Article