Social Media: સોશિયલ મીડિયા Influencers માટે હાલ ચેતવણી રુપ સમાચાર સામે આવ્યા છે. ભારતની કેન્દ્ર સરકાર બ્રાન્ડ પ્રમોશન કરવાવાળા સોશિયલ મીડિયા Influencers પર લગામ લગાવવાની તૈયારીમાં છે. જે હેઠળ આ સોશિયલ મીડિયા Influencers, જે બ્રાન્ડ પ્રમોશન કરે છે તેમણે તેનાથી મળતા પૈસાની જાહેરાત કરવી પડશે. જો તેઓ આ નહીં કરે તો તેમણે તેના માટે ભારે દંડ ભરવો પડશે. આ મામલે સરકાર જલ્દી નવી ગાઈડલાઈન જાહેર કરશે. આ નવી ગાઈડલાઈન આવતા 10થી 15 દિવસમાં જાહેર કરવામાં આવશે. ભારત સરકારે જણાવ્યુ છે કે, Influencersએ તે જણાવવું પડશે કે તેઓએ જણાવવું પડશે કે તેઓ એડ કરી રહ્યા છે. જો તેઓ આવું નહીં કરશે તો તેમણે દંડ ભરવો પડશે.
સરકારી સૂત્રો અનુસાર આ નવી ગાઈડલાઈનમાં સેલેબ્રિટીસનો પણ સમાવેશ થશે. એક આધિકારીક સૂત્ર એ જણાવ્યું છે કે ગ્રાહક મામલાના વિભાગ, સોશિયલ મીડિયા Influencers માટે દિશા-નિર્દેશ લાવશે. તેમાં જણાવવામાં આવશે કે સોશિયલ મીડિયા Influencers એ બ્રાંડ પ્રમોશન કરતી વખતે શું-શું કરવું છે અને શું-શું ન કરવું?
સૂત્રોએ જણાવ્યું હતું કે, નવી ગાઈડલાઈન મુજબ, જો સોશિયલ મીડિયા Influencers ભંડોળ પ્રાપ્ત કર્યા પછી કોઈ બ્રાન્ડને પ્રમોટ કરે છે, તો તેઓએ તે બ્રાન્ડ સાથે તેમનું જોડાણ જાહેર કરવું પડશે. તેઓએ પ્રમોશનલ પોસ્ટ પર આ સંબંધમાં જાહેરાત જારી કરવાની રહેશે. દરમિયાન કેન્દ્ર સરકારે બુધવારે દિલ્હી હાઈકોર્ટને જણાવ્યું હતું કે, તે સોશિયલ મીડિયા પ્લેટફોર્મને નિયંત્રિત કરવા માટે એક માળખું બનાવશે, જેમાં આ પ્લેટફોર્મ્સ પરથી યુઝર્સ પ્રતિબંધિત કરવાનો સમાવેશ થાય છે.
કેન્દ્રએ કહ્યું કે, માળખું પ્રસ્તાવિત છે, તેથી સોશિયલ મીડિયા એકાઉન્ટ સસ્પેન્શનના હાલના કેસોનો નિર્ણય હાલના નિયમો અનુસાર કરવો પડશે. આ દલીલ જસ્ટિસ યશવંત વર્મા સમક્ષ કેન્દ્ર સરકાર માટે હાજર રહેલા વકીલ દ્વારા કરવામાં આવી હતી, જેઓ ટ્વિટર યુઝર્સ સહિત અનેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મના યુઝર્સના એકાઉન્ટ સસ્પેન્ડ કરવા સામેની વિવિધ અરજીઓની સંયુક્ત રીતે સુનાવણી કરી રહ્યા હતા.
આવનારા સમયમાં સરકાર સોશિયલ મીડિયા પરથી આવક ઉભી કરે તો નવાઈ નહીં. કદાચ ભવિષ્યમાં ફ્રી સોશિયલ મીડિયા, પેઈડ સોશિયલ મીડિયા સુવિધા બની શકે છે.