T20 World Cup 2021: ટી20 વર્લ્ડ કપ 2021(T20 World Cup 2021)માં પાકિસ્તાનના હાથે મળેલી હાર બાદ ભારતીય ટીમ (Indian Cricket Team) દબાણમાં છે. પ્રથમ મેચમાં તેને 10 વિકેટથી કારમી હાર મળી હતી. આ દરમિયાન તેની પ્લેઈંગ ઈલેવન (Playing XI)ની પસંદગીને લઈને પણ ઘણા સવાલો ઉભા થયા હતા. જ્યારે ભુવનેશ્વર કુમાર (Bhuvneshwar Kumar)ને ટીમમાં લેવામાં આવ્યો ત્યારે સવાલો ઉભા થયા હતા. બાદમાં ભુવી આ મેચમાં ઘણો મોંઘો સાબિત થયો હતો. હવે ભારતે ટૂર્નામેન્ટમાં તેની આગામી મેચ ન્યૂઝીલેન્ડ સામે રમવાની છે.
આ મેચ 31 ઓક્ટોબરે રમાવાની છે. આ માટે ટીમ ઈન્ડિયા (Team India)ની તૈયારીઓ ચાલી રહી છે. આગામી મેચમાં ભારતીય ટીમની પ્લેઈંગ ઈલેવન કેવી રહેશે તેની ચર્ચા સર્વત્ર થઈ રહી છે. હવે આ તો મેચ પહેલા જ ખબર પડશે. પરંતુ આ પહેલા વર્લ્ડ કપ બ્રોડકાસ્ટર સ્ટાર સ્પોર્ટ્સે ભારત-ન્યૂઝીલેન્ડ (India vs New Zealand) મેચને લઈને માહોલ બનાવવાનું શરૂ કરી દીધું છે.
આ અંતર્ગત તેણે વિરાટ કોહલી (Virat Kohli)અને ઋષભ પંત માટે એક જાહેરાત બહાર પાડી છે. આમાં કોહલી ન્યૂઝીલેન્ડ સામેની મેચ દરમિયાન પંતને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરવાની વાત કરી રહ્યો છે. જાહેરાતમાં વિરાટ કોહલી અને ઋષભ પંત વાતચીત કરતા જોવા મળે છે. આમાં બંને વચ્ચે આગામી મેચ વિશે વાતચીત થઈ રહી છે, જેમાં પંત ચાહકો તરફથી મળી રહેલા સૂચનો વિશે જણાવે છે. આ દરમિયાન કોહલી આગામી મેચમાં પંતને હટાવવાની વાત કરે છે. આ સાંભળીને ઋષભનું મોંઢું ઉતરી જાય છે.
T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમમાં ત્રણ વિકેટકીપર કેએલ રાહુલ, ઈશાન કિશન અને રિષભ પંત છે. પરંતુ કીપરની જવાબદારી પંતના ખભા પર છે. રાહુલ અને કિશન બંને બેટ્સમેન તરીકે રમી રહ્યા છે. પાકિસ્તાન સામેની મેચમાં પણ પંતે આ જવાબદારી લીધી હતી. તેણે બેટિંગમાં પણ પોતાની છાપ છોડી હતી અને 30 બોલમાં બે ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 39 રન બનાવ્યા હતા. તેણે કેપ્ટન વિરાટ કોહલી સાથે 53 રનની ભાગીદારી નોંધાવી હતી.