કલકત્તાના માટે ટી-20 લીગમાં હાશકારા રુપ સમાચાર પ્રાપ્ત થયા છે. કલકત્તાના મહત્વના બોલર સુનીલ નરેનના બોલીંગ એક્શન વિવાદને લઇને હવે સ્પષ્ટતા જાહેર થઇ છે. મુળ વેસ્ટ ઇન્ડીઝના સ્પિનર સુનિલ નરેનની બોલીંગ એકશનને ભારતીય ક્રિકેટ ટી-20 લીગ તરફથી આ સમાચાર મળ્યા છે.
ગત શનિવારે કિંગ્સ ઇલેવન પંજાબ ના સામે કલકત્તા નાઇટ રાઇડર્સ ની મેચ દરમ્યાન નરેન અંગે ફરીયાદ કરવામાં આવી હતી. તેની બોલીંગ એકશનને લઇને વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. આ તેની પ્રથમ ફરીયાદ લીગમાં હતી. બીજી ફરીયાદ થાય તો તેને લીગમાં બોલીંગ કરવા માટે પ્રતિબંધીત કરાર કરી શકાયો હોત.
લીગ તરફ થી રવિવારે જાહેર કરવામાં આવેલા નિવેદનમાં જણાવ્યુ હતુ કે, કલકત્તા નાઇટ રાઇડર્સના ખેલાડી સુનિલ નરેનની બોલીંગ એકશનમાં તે યોગ્ય છે. લીગ દ્રારા તેની શંકાસ્પદ એકશન સમિતિ દ્રારા આ અંગે નિર્ણય કરવામાં આવ્યો હતો. નરેન વિશેની ફરીયાદ થયા બાદ નરેનને લીગની ચેતવણી યાદીમાં સમાવિષ્ટ કરવામાં આવ્યો હતો. કલકત્તા નાઇટ રાઇડર્સ દ્રારા વિશિષ્ટ સમિતિને નરેનની એકશનની અધીકારીક આંકલન કરવા માટે આગ્રહ કરવામાં આવ્યો હતો. નરેનની બોલીંગના પાછળ અને સાઇડના દર્શ્યો સાથે તેની એકશનના સ્લો મોશન વિડીયો ફુટેજ પણ તેમને સોંપવામાં આવ્યા હતા.
તેમણે કહ્યુ છે કે, સમિતિએ નરેનના એકશન ફુટેઝ ના તમામ બોલનો ચોક્સાઇ પુર્વક અભ્યાસ સમિક્ષા કરવામાં આવી હતી. અને હવે તે આ નિર્ણય પર આવીને તેમને લાગ્યુ છે કે, તેની કોણી સ્વિકાર્ય સિમાની અંદર જ વળી રહી છે. નિવેદન મુજબ સમિતિએ સાથે જ કહ્યુ છે કે, નરેન ટી-20લીગ મેચોમાં આ જ પ્રકારની એકશન સાથે બોલીંગ કરી શકશે, જે પ્રકારના વિડીયો ફુટેઝ સમિતિને સોંપ્યા હતા. હવે તેને ચેતવણી ની યાદીમાંથી દુર કરી દેવામાં આવ્યો છે. અગાઉ પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સહિતની મેચોમાં તેની ર શઁકા ઉઠાવવામાં આવી હતી. જેમાં પણ તે શઁકાના સમાધાનમાં સફળ નિવડ્યો હતો.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો