ટી-20 લીગમાં મહેન્દ્રસિંહ ધોની માટે જાણે કે આ સિઝનમાં મુશ્કેલીઓ ઓછી થવાનુ નામ જ લેતી નથી. એક બાજુ ટીમ તેની કંગાળ રમતને લઇને ટુર્માન્ટમાંથી બહાર ફેંકાય તેવી સ્થિતી પર આવીને ઉભી છે. ત્યા હવે હવે થોડી ઘણી જે આશાઓ પર પણ હવે પાણી ફરી રહ્યુ છે. કારણ હવે એ છે કે, ટીમના સૌથી વધુ અનુભવી ઓલરાઉન્ડર અને સૌથી મોટા મેચ વિનર ડ્વેન બ્રાવો પણ ઇજાને લઇને હવે ટુર્નામેન્ટ થી બહાર થઇ ગયો છે. ચેન્નાઇ સુપર કિંગ્સના સીઇઓ કાશી વિશ્વનાથનને આ અંગેની જાણકારીની પુષ્ટી કરી હતી.
બ્રાવોને દિલ્હી કેપીટલ્સ સામેની મેચ દરમ્યાન ઇજા પહોંચી હતી. તેના પછી તે મેચની આખરી ઓવર પણ નાંખી શક્યો નહોતો. જોકે હવે ચેન્નાઇના સીઇઓ દ્રારા જાણકારી ને સાચી હોવાનુ દર્શાવ્યુ છે, કે ડ્વેન બ્રાવો હવે આગળની મેચોમાં ચેન્નાઇની ટીમનો હિસ્સો નહી હોય. વિશ્વનાથનના મુજબ બ્રાવો હવે આગળના એક બે દિવસમાં ઘરે પરત ફરી જશે.
ટી-20 લીગના ગૃપ સ્ટેજમાં ચેન્નાઇ સુપર કિંગ્સને હવે માત્ર ચાર જ મેચ રમવાની બાકી છે. શરુઆતની દશ મેચમાં તેને ફક્ત ત્રણ જીત મળી છે, અને તે પોઇન્ટ ટેલીમાં સૌથી નિચેના ક્રમે છે. ઇજાના કારણે બ્રાવો પહેલી દશ માંથી માત્ર છ મેચમાં જ રમી શક્યો હતો. ઓલરાઉન્ડરના રુપમાં છ મુકાબલાઓમાં ચેન્નાઇ માટે છ વિકેટ ઝડપી હતી અને બે ઇનીંગમાં સાત રન બનાવ્યા હતા. આમ બ્રાવો ફીટ પણ નહોતો ને ટીમ માટે હીટ પણ નિવડ્યો નહોતો. બ્રાવોના રિપ્લેશમેન્ટના રુપમાં કોને સ્થાન અપાશે એ હજુ સ્પષ્ટ નથી, છતાં ઇમરાન તાહિરની શક્યતાઓ વધુ લાગી રહી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો