T-20: કેપ્ટન ધોનીના સ્પાર્કવાળા નિવેદન પર મચી ગઇ બબાલ, બચાવમાં પ્રજ્ઞાન ઓઝા આગળ આવ્યા

|

Oct 21, 2020 | 5:52 PM

ચેન્નાઇ સુપર કિંગ્સની સોમવારે રાજસ્થાન રોયલ્સ સામે સાત વિકેટ થી હારનો સામનો કરવો પડ્યો હતો. ટી-20 લીગની તેરમી સિઝનમાં ચેન્નાઇની આ સાતમી હાર હતી. આ હાર પછી ચેન્નાઇની પ્લેઓફની રેસમાં થી બહાર ફેંકાઇ જવાનો ભય સર્જાયો છે. આ મેચ બાદ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ કહ્યુ હતુ કે, યુવા ખેલાડીઓને એટલા માટે મોકો નહોતો આપ્યો કે તેમનામાં […]

T-20: કેપ્ટન ધોનીના સ્પાર્કવાળા નિવેદન પર મચી ગઇ બબાલ, બચાવમાં પ્રજ્ઞાન ઓઝા આગળ આવ્યા

Follow us on

ચેન્નાઇ સુપર કિંગ્સની સોમવારે રાજસ્થાન રોયલ્સ સામે સાત વિકેટ થી હારનો સામનો કરવો પડ્યો હતો. ટી-20 લીગની તેરમી સિઝનમાં ચેન્નાઇની આ સાતમી હાર હતી. આ હાર પછી ચેન્નાઇની પ્લેઓફની રેસમાં થી બહાર ફેંકાઇ જવાનો ભય સર્જાયો છે.

આ મેચ બાદ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ કહ્યુ હતુ કે, યુવા ખેલાડીઓને એટલા માટે મોકો નહોતો આપ્યો કે તેમનામાં સ્પાર્ક નજર નથી આવી રહ્યો. પુર્વ ક્રિકેટર કે શ્રીકાંત પછી હવે પ્રજ્ઞાન ઓઝાએ પણ હવે તેના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

શ્રીકાંત ને આ નિવેદન ને માટે ધોનીને આડે હાથ લેતા કહ્યુ હતુ કે, તેને પિયુષ ચાવલા અને કેદાર જાદવમાં કયો સ્પાર્ક નજર આવી રહ્યો છે. એક સમાચાર સંસ્થા સાતે વાત દરમ્યાન પ્રજ્ઞાન ઓઝાએ પણ કહ્યુ હતુ કે, કોણ યુવાન ખેલાડી છે,  જો તે પોતે સિનિયર ખેલાડીના રુપમાં પોતાને જોઇ રહ્યા છે તો તે વાત કરતા હશે. અથવા તો તેણે ઋતુરાજ ગાયકવાડ અને જગદીશન ના વિશે વાત કરી હશે. પણ મને લાગે છે કે તેમણે કેદાર જાદવ નો જિક્ર કર્યો હશે. મે ધોનીને જોયો છે, તેના બયાનમાં ઘણું બધુ છુપાયેલુ હોય છે.

તેમણે આગળ પણ વાત કરતા કહ્યુ કે, હું એકદમ મજબુતી થી કહી શકુ છુ. કે તે ક્યારેય તે આ બે યુવાન ક્રિકેટરો માટે આમ કોમેન્ટ નહી કરી શકે. આવામાં કેમ કોઇ ખેલાડી માટે કોમેન્ટ કરે, જેમે એક જ મેચ રમી હોય. આ નિવેદનના ઉંડાણમાં જવા માંગીશ. જો તેણે ઋતુરાજ અને જગદીશન ના માટે આમ કહ્યુ હોય તો હું તે માટે બિલકુલ સપોર્ટ નહી કરુ. 24 વર્ષના જગદીશને ચેન્નાઇ માટે એક જ મેચ રમી છે અને જેમાં તેણે 117.85 ના સ્ટ્રાઇક રેટ થી 33 રન બનાવ્યા હતા. ઋતુરાજે બે મેચમાં પાંચ રન બનાવ્યા હતા. કેદાર જાદવ આઠ મેચ રમીને 20.66 ની સરેરાશ થી 62 રન બનાવ્યા હતા.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

Next Article