BCCI: રાજીવ શુકલા ફરીથી બની શકે છે ઉપાધ્યક્ષ, અન્ય કોઇ એ ઉમેદવારી જ ના નોંધાવી

|

Jan 16, 2021 | 2:49 PM

છ વર્ષ સુધી બીસીસીઆઇના ઉપાધ્યક્ષ રહી ચુકેલા કોંગ્રેસી દિગ્ગજ નેતા રાજીવ શુકલા ફરી ઉપાધ્યક્ષ બનશે. શુકલા આઇપીએલ ચેરમેન પણ રહી ચુક્યા છે. ઉત્તર પ્રદેશ ક્રિકેટ સંઘના પૂર્વ સચિવ શુકલા બીસીસીઆઇ કાર્યલયમાં ઉમેદવારી ફોર્મ ભર્યુ હતુ. આ પદ માટે તેમના એક માત્ર ફોર્મ ભરવાને લઇને તેમનુ ઉપાઘ્યક્ષ તરીકે ચુંટાઇ આવવુ નક્કિ મનાય છે. 24 તારીખે અમદાવાદમાં […]

BCCI: રાજીવ શુકલા ફરીથી બની શકે છે ઉપાધ્યક્ષ, અન્ય કોઇ એ ઉમેદવારી જ ના નોંધાવી
Rajiv Shukla

Follow us on

છ વર્ષ સુધી બીસીસીઆઇના ઉપાધ્યક્ષ રહી ચુકેલા કોંગ્રેસી દિગ્ગજ નેતા રાજીવ શુકલા ફરી ઉપાધ્યક્ષ બનશે. શુકલા આઇપીએલ ચેરમેન પણ રહી ચુક્યા છે. ઉત્તર પ્રદેશ ક્રિકેટ સંઘના પૂર્વ સચિવ શુકલા બીસીસીઆઇ કાર્યલયમાં ઉમેદવારી ફોર્મ ભર્યુ હતુ. આ પદ માટે તેમના એક માત્ર ફોર્મ ભરવાને લઇને તેમનુ ઉપાઘ્યક્ષ તરીકે ચુંટાઇ આવવુ નક્કિ મનાય છે. 24 તારીખે અમદાવાદમાં મળનારી બીસીસીઆઇની વાર્ષિક સાધારણ સભામાં જેની અધિકારીક ઘોષણાં થશે.

ઉત્તરાખંડ ક્રિકેટ સંઘના સચિવ માહિમ વર્માના રાજીનામા બાદ થી આ પદ ખાલી હતુ. આઇપીએલ ગવર્નિંગ કાઉન્સીલ ના સભ્યપદ માટે બ્રિજેશ પટેલ અને મજમૂદારે ફોર્મ ભર્યુ હતુ. આમ તેમાં પણ બે સ્થાનો માટે બે જ ફોર્મ ભરાતા બંને પદ માટે નક્કિ મનાય છે. બંને વર્તમાન આઇપીએલ ગવર્નીંગ કાઉન્સીલના સભ્ય છે. આઇપીએલના ગવર્નીંગ કાઉન્સીલના ચેરમેન તરીકે બ્રીજેશ પટેલ યથાવત રહેશે એમ પણ મનાઇ રહ્યુ છે. લોઢા સમિતિની ભલામણો મુજબ સુપ્રિમના આદેશાનુસાર એક સદસ્ય બે પદ પર રહી શકે નહી. માહિમ એ ઉત્તરાખંડ ક્રિકેટ સંઘના સચિવ બનવા માટે બીસીસીઆઇ ઉપાધ્યક્ષ પદ છોડી દીધુ હતુ.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

શુકલા ઉત્તરુપ્રદેશ નુ પ્રતિનિધીત્વ કરે છે. તેમના ઉપાધ્યક્ષ બનવાને લઇને ઉત્તરપ્રદેશ ક્રિકેટની ગતિવીધીઓ વધી જશે. સાથે જ બીસીસીઆઇને પણ તેમના અનુભવનો ફાયદો મળશે. રાજીવ શુકલા પાછલા વર્ષે જ ઉપાધ્યક્ષ બની જતા, પરંતુ ચુંટણી અધિકારીએ તેમની ઉમેદવારીનો ટેકનીકલ પેચ ફસાવ્યો હતો. જેના બાદ રાજીવ શુકલાના કહેવાનુસાર જ માહિમને ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા.

Published On - 8:47 am, Sat, 19 December 20

Next Article