
ભારતીય પેરાલિમ્પિક ખેલાડીઓએ આ વખતે અજાયબીઓ કરીને ઐતિહાસિક પ્રદર્શન કર્યું અને કુલ 19 મેડલ જીત્યા જેમાં પાંચ ગોલ્ડ, આઠ સિલ્વર અને છ બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે.

આ પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટોક્યો ઓલિમ્પિકમાં ભાગ લેનાર તમામ ભારતીય રમતવીરોને સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લા પર ધ્વજવંદન સમારોહમાં ભાગ લેવા આમંત્રણ આપ્યું હતું, પીએમ મોદી 16 ઓગસ્ટના બ્રેકફાસ્ટ માટે તમામ ખેલાડીઓને મળ્યા હતા.

પીએમએ બરછી ફેંકમાં મેડલ જીતનાર દેવેન્દ્ર ઝાઝડિયા સાથે પણ વાત કરી. દેવેન્દ્રએ આ વખતે સિલ્વર મેડલ જીત્યો. આ પહેલા તેણે 2004માં ગોલ્ડ અને 2016માં રિયોમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

પીએમ મોદીએ પેરાલમ્પિક ગેમ્સનું સમાપન થયા બાદ રવિવારે ટ્વિટર પર લખ્યું, ભારતીય રમતોના ઇતિહાસમાં ટોક્યો પેરાલમ્પિકની એક ખાસ જગ્યા રહેશે. તે દરેક ભારતીયોની યાદ સાથે જોડાયેલ રહેશે અને ખેલાડીઓ પેઢીઓ સુધી રમતો સાથે જોડાઇ રહેવા માટે પ્રેરિત કરશે. આપણાં જૂથના (ટોક્યો પેરાલિમ્પિક)ના દરક સભ્ય એક ચેમ્પિયન છે. અને પ્રેરણા સ્ત્રોત છે.

પ્રધાનમંત્રીએ આગળ લખ્યું હતુ, ભારત દ્વારા રેકોર્ડ સંખ્યામાં મેડલ જીતીને અમારા દિલને ખુશીથી ભરપૂર કરી દીધા છે. હું ખેલાડીઓને સતત મદદ માટે તેમના કોચ, સપોર્ટ સ્ટાર્ફ અને પરિવારની સારાહના કરવા ઇચ્છુ છું. અમે રમતમાં અને વધુ ભાગીદારી સુનિશ્વિત કરીને સફળતાઓ મેળવવાની આશાઓ રાખીએ છે.