CWG 2022: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લેવા જઈ રહેલા ભારતીય ખેલાડીઓને કોઈ પણ પ્રકારના તણાવ વિના સખત રમવા માટે પ્રોત્સાહિત કરતા કહ્યું હતું કે તેઓ આઝાદીના 75મા વર્ષમાં દેશને શ્રેષ્ઠ પ્રદર્શનની ભેટ આપવાના ઈરાદા સાથે રમે છે. વડાપ્રધાન મોદીએ બર્મિંગહામમાં 28 જુલાઈથી 8 ઓગસ્ટ દરમિયાન યોજાનારી કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લેવા જઈ રહેલા ખેલાડીઓને લગભગ 45 મિનિટ સુધી વર્ચ્યુઅલ વાતચીત કરીને પ્રોત્સાહિત કર્યા હતા. અગાઉ તેણે ગયા વર્ષે ટોક્યો ઓલિમ્પિક અને પેરાલિમ્પિક ખેલાડીઓ સાથે પણ વાત કરી હતી.
Published On - 6:58 pm, Thu, 21 July 22