Wrestlers Protest: પહેલવાનોએ ફરી ખાવા-પીવાનું કર્યુ બંધ, વિનેશ ફોગાટનો પોલીસ પર ગંભીર આરોપ

|

Apr 24, 2023 | 6:56 AM

Vinesh Phogat વિનેશ ફોગટે કહ્યું કે તેની તબિયત સારી નથી અને તેથી જ તે કારમાં દવા લેવા ગઈ હતી પરંતુ આ દરમિયાન રસ્તા ચારે બાજુથી બંધ હતા. વિનેશે પોલીસ પર તેની સાથે મારપીટ કરવાનો આરોપ પણ લગાવ્યો છે.

Wrestlers Protest: પહેલવાનોએ ફરી ખાવા-પીવાનું કર્યુ બંધ, વિનેશ ફોગાટનો પોલીસ પર ગંભીર આરોપ
Wrestlers Protest

Follow us on

રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના પ્રમુખ બ્રિજ ભૂષણ શરણ સિંહના વિરુદ્ધ શનિવારે ફરી એકવાર જંતર-મંતર પર ધરણા પર બેઠેલા કુસ્તીબાજોએ પોલીસકર્મીઓ પર ગંભીર આરોપ લગાવ્યા છે. બજરંગ પુનિયા, વિનેશ ફોગટ, સાક્ષી મલિક સહિત દેશના ઘણા રેસલર ગઈકાલ સાંજથી ધરણા પર બેઠા છે. આ ખેલાડીઓનો આરોપ છે કે, પોલીસે તેમને ભોજન આપવાનું બંધ કરી દીધું છે અને ખેલાડીઓને હેરાન કરી રહી છે.

ધરણા પર બેઠેલી વિનેશ ફોગટે ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાત કરતા કહ્યું કે, તેની તબિયત સારી નથી અને તેથી જ તે કારમાંથી દવા લેવા ગઈ હતી, પરંતુ આ દરમિયાન પોલીસે રસ્તાને ચારે બાજુથી બ્લોક કરી દીધા અને તેને અંદર આવવા દેવાઈ નહોતી. વિનેશે કહ્યું કે તેની સાથે ધક્કા મુક્કી કરવામાં આવી હતી.

માથાનો દુખાવો મિનિટોમાં જ થઈ જશે દૂર, અપનાવો આ ઘરેલુ ઉપચાર
ભારતીય રેલ્વે મહિલાઓને આપે છે 10 વિશેષ સુવિધાઓ
કારતક મહિનામાં તુલસીની પૂજા કરતી વખતે શું બોલવું જોઈએ? જાણી લો
ગુજરાતના આ ગામમાં થાય છે સૌથી પહેલા સૂર્યાસ્ત
Karwa chauth માટે ક્યો કરવો વધારે શુભ માનવામાં આવે છે ?
Karwa Chauth 2024 : કરવા ચોથની થાળીને આ રીતે સજાવો, તમને મળશે અખંડ સૌભાગ્યના આશીર્વાદ !

ખાવા-પીવા પર પ્રતિબંધ

વિનેશે એ પણ જણાવ્યું કે તેના ઘણા સાથીદારોને પોલીસે ધરણા સ્થળે આવતા અટકાવ્યા હતા. તેણે કહ્યું કે તેના ઘણા સાથીઓ બહાર છે અને પોલીસકર્મીઓ તેમને અંદર પ્રવેશવા દેતા નથી. તેમણે કહ્યું કે પાણી પણ અંદર લાવવાની મંજૂરી નથી. વિનેશે કહ્યું કે તેમનું ભોજન અને પાણી બંધ કરી દેવામાં આવ્યું છે.


ઓલિમ્પિક મેડલ વિજેતા બજરંગ પુનિયાએ કહ્યું છે કે તે ધરણાસ્થળેથી હટશે નહીં. મીડિયા સાથે વાત કરતા બજરંગે કહ્યું કે દિલ્હી પોલીસ તેની સાથે જે રીતે વર્તન કરી રહી છે તે ખોટું છે. જંતર-મંતર પર રાત્રે પ્રદર્શનની મંજૂરી નથી. પરંતુ ખેલાડીઓએ આ માટે પરવાનગી માંગી હતી, જે દિલ્હી પોલીસ દ્વારા આપવામાં આવી ન હતી. બજરંગે કહ્યું કે જ્યાં સુધી તેમની માંગણીઓ પૂરી ન થાય ત્યાં સુધી તેઓ હડતાળ ચાલુ રાખશે.

હડતાલ ફરી શરૂ કરી

આ કુસ્તીબાજોએ જાન્યુઆરીમાં જંતર-મંતર ખાતે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના પ્રમુખ બ્રિજ ભૂષણ શરણ સિંહના વિરુદ્ધ ધરણા કર્યા હતા અને આરોપ લગાવ્યો હતો કે WFI પ્રમુખે મહિલા ખેલાડીઓનું યૌન શોષણ કર્યું હતું. ભારતીય ઓલિમ્પિક એસોસિએશન અને રમતગમત મંત્રાલયે આ મામલે એક કમિટી બનાવી હતી. પિકેટિંગ કરનારા ખેલાડીઓનું કહેવું છે કે કમિટી બન્યા બાદ પણ આ મામલે હજુ સુધી કંઈ થયું નથી, તેથી આ લોકો ફરીથી ધરણા પર બેઠા છે. આ તમામ આંદોલનકર્તા પહેલવાનો, બ્રિજ ભૂષણ શરણ સિંહ સામે વહેલી તકે FIRની માંગ કરી રહ્યા છે.

Published On - 6:54 am, Mon, 24 April 23

Next Article