IPL 2022 મેગા ઓક્શનમાં રજીસ્ટ્રેશન કરાવનાર એક હજાર ખેલાડીઓ પર બોલી નહી લાગે, તેનું કારણ બીસીસીઆઈના નિયમ છે

|

Jan 24, 2022 | 4:14 PM

IPL 2022 મેગા ઓક્શન 12-13 ફેબ્રુઆરીએ છે. ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 15) ની 15મી સીઝન પર મોટા સમાચાર છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ નિર્ણય લીધો છે કે ટૂર્નામેન્ટનું આયોજન ભારતમાં કરવામાં આવશે.

IPL 2022 મેગા ઓક્શનમાં રજીસ્ટ્રેશન કરાવનાર એક હજાર ખેલાડીઓ પર બોલી નહી લાગે, તેનું કારણ બીસીસીઆઈના નિયમ છે
IPLmega auction (file photo)

Follow us on

IPL 2022: મેગા ઓક્શનની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. દરેક જગ્યાએ અટકળો લગાવવામાં આવી રહી છે કે સૌથી મોંઘા ખેલાડીઓ કોણ હશે, પરંતુ સૌથી મોટી વાત એ છે કે આ હરાજીમાં એટલે કે IPL 2022 ની હરાજીમાં લગભગ એક હજાર ખેલાડીઓ વેચાયા વગરના રહી જશે. ખેલાડીઓએ ખૂબ જ ઉત્સાહ સાથે નોંધણી કરાવી છે, પરંતુ લગભગ એક હજાર ખેલાડીઓ એવા છે જેના પર બોલી લાગશે નહિ તેનું કારણ બીસીસીઆઈના નિયમો છે.

આ વખતે IPL 2022ની હરાજી માટે 1214 ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. BCCIએ તમામ ટીમો માટે એક નિયમ બનાવ્યો છે કે IPLમાં 18 કરતા ઓછા ખેલાડીઓ સાથે કોઈપણ ટીમ ભાગ લઈ શકશે નહીં. મતલબ કે તમામ ટીમોની ટીમમાં ઓછામાં ઓછા 18 ખેલાડીઓ હોવા જોઈએ. જો કે આ નિયમમાં કોઈ સમસ્યા નથી, પરંતુ તેની સાથે એક નિયમ જોડાયેલ છે કે એક ટીમ વધુમાં વધુ 25 ખેલાડીઓ રાખી શકે છે. એટલે કે એક ટીમ 25 થી વધુ ખેલાડીઓને ખરીદી શકતી નથી.

1214 ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

હવે IPL 10માં ટીમો છે. એટલે કે તમામ ટીમો 25-25 ખેલાડીઓ ખરીદે તો પણ 250 ખેલાડીઓ જ વેચાશે. એટલે કે, 1214 માંથી, ફક્ત 250 ખેલાડીઓ જ ખરીદાશે, તે પણ જ્યારે ટીમો સંપૂર્ણ 25 ગણે. જોકે સામાન્ય રીતે ટીમોની ટુકડી 20ની આસપાસ રહે છે. આવી સ્થિતિમાં માત્ર 200 ખેલાડીઓ જ વેચાશે. આ રીતે, લગભગ 1000 ખેલાડીઓ એવા હશે જેને IPLમાં કોઈ ખરીદશે નહીં. હવે કયા ખેલાડીને ખરીદવામાં આવશે અને કોણ નિરાશ થઈને પરત ફરશે, તે બેંગલુરુમાં 12-13 ફેબ્રુઆરીએ યોજાનારી હરાજીમાં જાણી શકાશે.

ટુર્નામેન્ટ માર્ચના અંતમાં શરૂ થશે

ભારતીય પ્રીમિયર લીગ (IPL 2022) ની 15મી સીઝન પર ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા એક મોટી જાહેરાત કરવામાં આવી છે. 22 જાન્યુઆરી શનિવારના રોજ બોર્ડ અને IPL ફ્રેન્ચાઇઝીના માલિકો વચ્ચે યોજાયેલી બેઠકમાં ટૂર્નામેન્ટના સંગઠનને લઈને ચર્ચા બાદ ખાસ જાહેરાત કરવામાં આવી હતી, જેમાં ટૂર્નામેન્ટની શરૂઆત સૌથી મહત્વપૂર્ણ છે. બોર્ડના સેક્રેટરી જય શાહે (Jay Shah) જાહેરાત કરી છે કે ટુર્નામેન્ટ માર્ચના અંતમાં શરૂ થશે. આ સાથે શાહે એમ પણ કહ્યું છે કે તમામ ફ્રેન્ચાઇઝી લીગની 15મી સીઝનનું દેશમાં જ આયોજન કરવા માંગે છે અને બોર્ડ તેના માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે.

મેગા ઓક્શન 12 અને 13 ફેબ્રુઆરીએ જ યોજાશે અને હંમેશની જેમ આ વખતે પણ બેંગલુરુમાં જ ખેલાડીઓની બોલી લગાવવામાં આવશે. આ વખતે લીગની હરાજી માટે 1214 ખેલાડીઓએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે, જેમાં 896 ભારતીય અને 318 વિદેશી ખેલાડીઓ છે.

 

આ પણ વાંચોઃ

IND VS SA: દીપક ચાહર મેદાનમાં જીત માટે ખૂબ લડ્યો પણ જીતી શક્યો નહીં, હાર બાદ આંખ ભીની થઈ

આ પણ વાંચોઃ

દક્ષિણ આફ્રિકામાં ભારતના ખરાબ પ્રદર્શન વચ્ચે Ravi Shastriનું મોટું નિવેદન, જાણો શું કહ્યું

Next Article