IPL 2021: હરભજનસિંહ 699 દિવસ બાદ મેચ રમવા મેદાને ઉતર્યો, માત્ર એક જ ઓવરનું પ્રદર્શન થયું નસીબ

|

Apr 11, 2021 | 11:50 PM

ઈન્ડીયન પ્રિમીયર લીગની ત્રીજી મેચ રવિવારે સનરાઈઝર્સ હૈદરાબાદ અને કલકત્તા નાઈટ રાઈડર્સ (Sunrisers Hyderabad vs Kolkata Knight Riders) વચ્ચે રમાઈ હતી. કલકત્તા નાઈટ રાઈડર્સ તરફથી હરભજનસિંહે તેનુ ડેબ્યૂ કર્યુ હતુ.

IPL 2021: હરભજનસિંહ 699 દિવસ બાદ મેચ રમવા મેદાને ઉતર્યો, માત્ર એક જ ઓવરનું પ્રદર્શન થયું નસીબ
Harbhajan Singh

Follow us on

ઈન્ડીયન પ્રિમીયર લીગની ત્રીજી મેચ રવિવારે સનરાઈઝર્સ હૈદરાબાદ અને કલકત્તા નાઈટ રાઈડર્સ (Sunrisers Hyderabad vs Kolkata Knight Riders) વચ્ચે રમાઈ હતી. કલકત્તા નાઈટ રાઈડર્સ તરફથી હરભજનસિંહે તેનુ ડેબ્યૂ કર્યુ હતુ. આ પહેલા હરભજનસિંહ મુંબઈ ઈન્ડીયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વતીથી IPLમાં રમી ચુક્યો છે. હરભજનસિંહ (Harbhajan Singh) 699 દિવસ બાદ ક્રિકેટ મેચ રમવા માટે મેદાનમાં ઉતર્યો હતો. તેણે તેની અંતિમ મેચ 12 મે 2019ની આઈપીએલ ફાઈનલ મેચ રમી હતી. જોકે આમ છતાં પણ મેદાનમાં તેને માત્ર એક જ ઓવર કરવાની તક મળી હતી. આ દરમ્યાન તેણે માત્ર 8 રન ગુમાવ્યા હતા.

 

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

 

હરભજનસિંહ આ વર્ષે 41 વર્ષનો થઈ જશે. જોકે આ પહેલા કલકત્તાના દિનેશ કાર્તિક અને કેપ્ટન ઈયોન મોર્ગેને ખૂબ વખાણ કર્યા હતા, પરંતુ તેનો ઉપયોગ કરવામાં જાણે કે કરકસર થઈ ગઈ હતી. ભજ્જીએ માત્ર એક જ ઓવર કરીને સંતોષ માન્યો હતો. જ્યારે બેટીંગમાં તો તેનો ક્રમ જ આવ્યો નહોતો. KKR ગયા વર્ષે પ્લેઓફથી દુર રહી ગઈ હતી. હરભજન સિંહને આઈપીએલ 2021ના ઓક્શનમાં કેકેઆરએ 2 કરોડ રુપિયાની તેની બેઝ પ્રાઈઝમાં ખરીદ્યા હતા. KKRના કેપ્ટન ઈયોન મોર્ગને કહ્યુ હતુ કે, હરભજનના આવવાથી તેમની ફેન્ચાઈઝની સ્પિન લાઈનઅપ ખૂબ મબજબૂત બનશે તો વળી દિનેશ કાર્તિકે હરભજન સિંહના વખાણ કરતા કહ્યુ હતુ કે, તે બિલકુલ અલગ જ અંદાજમાં નજર આવી રહ્યો છે.

 

દિનેશ કાર્તિકે કહ્યુ કે મને લાગે છે કે તેને પસંદ કરવો આસાન નથી. જોકે પાછળના એક સપ્તાહમાં તેમણે જે દિલચસ્પી અને તીવ્રતા દર્શાવી છે તે શાનદાર છે. જો કે અન્ય તમામ ખેલાડીઓ પહેલા તે પ્રેકટીસ સેશનમાં પહોંચી જાય છે. તે આવુ સતત કરી રહ્યો છે. આ સપ્તાહ દરમ્યાન મે જે કાંઈ પણ જોયુ છે, તેનાથી મને તે અલગ વ્યક્તિ લાગ્યા છે.

 

આ પણ વાંચો: IPL 2021 SRH vs KKR: કલકત્તાનો હૈદરાબાદ સામે 10 રનથી વિજય, મનિષ પાંડેનો પ્રયાસ નિષ્ફળ

Next Article