Ravindra jadejas : ઓવલ ટેસ્ટમાં ફ્લોપ રહેનાર રવિન્દ્ર જાડેજા પર માંજરેકરે પ્રશ્ન ઉઠાવ્યો, કહ્યું ટીમ વધુ ભરોસો કરી રહી છે

|

Sep 04, 2021 | 10:21 AM

ઈંગ્લેન્ડ સામેની ઓવલ ટેસ્ટમાં ભારતનો પ્રથમ દાવ 191 રનમાં સમેટાઈ ગઈ હતી. ટીમમાં બેટિંગ ક્રમમાં ફેરફાર કર્યો પરંતુ તે તેના માટે ખોટો સાબિત થયો

Ravindra jadejas : ઓવલ ટેસ્ટમાં ફ્લોપ રહેનાર રવિન્દ્ર જાડેજા પર માંજરેકરે પ્રશ્ન ઉઠાવ્યો, કહ્યું ટીમ વધુ ભરોસો કરી રહી છે
india vs england sanjay manjrekar says india are overestimating ravindra jadejas batting ability overseas

Follow us on

Ravindra jadejas : સંજય માંજરેકર (Sanjay Manjrekar) ખુલ્લેઆમ વાત કરનારાઓમાંના એક છે. રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) સાથે વર્લ્ડ કપ દરમિયાન વિવાદ હોવા છતાં, જ્યારે પણ તેને લાગે છે તે આ સ્ટાર ઓલરાઉન્ડર સામે નિવેદન આપવામાં પાછળ નથી હટતો. ઓવલ ટેસ્ટ (Oval test)માં નબળી બેટિંગ બાદ તેણે જાડેજાને જ નહીં પણ ટીમ ઈન્ડિયાને પણ તેના પર વિશ્વાસ બતાવવા માટે નિવેદન આપ્યું છે.

ઓવલ ટેસ્ટ(Oval test)માં ભારતનો પ્રથમ દાવ 191 રનમાં સમેટાઈ ગયો હતો. બેટિંગ દરમિયાન જાડેજાને અજિંક્ય રહાણે પહેલા પણ પાંચમા નંબરે બેટિંગ માટે મોકલવામાં આવ્યો હતો. જોકે, જાડેજા વધુ કંઈ કરી શક્યો નહીં અને 34 બોલમાં માત્ર 10 રન બનાવી આઉટ થયો હતો. ક્રિસ વોક્સ (Chris Vokes)ના બોલ પર તે જો રૂટને કેચ આપી બેઠો હતો.

સંજય માંજરેકરે રવિન્દ્ર જાડેજા પર સવાલો ઉઠાવ્યા

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

ટીમ ઈન્ડિયાએ જાડેજા  (Ravindra jadejas)પર આત્મવિશ્વાસ બતાવ્યો પરંતુ તે તેના પર ટકી શક્યો નહીં. આવી સ્થિતિમાં, ટીમ ઈન્ડિયાના નિર્ણય પર સવાલ ઉઠાવતા સંજય માંજરેકરે (Sanjay Manjrekar) સ્પોર્ટ્સ ચેનલ પર કહ્યું, ‘મને લાગે છે કે, ટેસ્ટમાં પણ ટી 20 (T20)જેવી વિચારસરણી આવી છે. જાડેજાની ક્ષમતાને ટેસ્ટમાં વધુ પડતો અંદાજ આપવામાં આવી રહ્યો છે.

ટીમને લાગ્યું કે, આવી પરિસ્થિતિઓમાં જાડેજા પાંચમા નંબરે બેટિંગ કરી શકે છે જે ખોટી સાબિત થઈ. ભારતમાં તેને નંબર 5 પર બેટિંગ કરાવવામાં કોઈ સમસ્યા નથી પરંતુ અહીં આપણે જોયું કે, જ્યારે તે બેટિંગ કરવા આવ્યો ત્યારે બોલ સ્વિંગ થઈ રહ્યો હતો

ગાવસ્કરે પણ માંજરેકરને ટેકો આપ્યો હતો

રવિન્દ્ર જાડેજા  (Ravindra jadejas)ઇંગ્લેન્ડ સામેની સીરિઝની ચાર મેચ રમી ચૂક્યો છે. વિદેશમાં રવિન્દ્ર જાડેજાની સરેરાશ માત્ર 30 છે. તે જ સમયે, ટેસ્ટમાં તેની એકંદર સરેરાશ 34.32 છે. ઇંગ્લેન્ડમાં તેની સરેરાશ ઘટીને 27.93 થઈ ગઈ છે. અગાઉ કોમેન્ટ્રી બોક્સમાં પણ સંજય માંજરેકરે ((Sanjay Manjrekar))ટીમ મેનેજમેન્ટના આ નિર્ણયને ખોટો ગણાવ્યો હતો.

માંજરેકરે કહ્યું હતું કે, ‘ભારત પિચ પર લેફ્ટ-રાઇટ કોમ્બિનેશન બનાવવાની કોશિશ કરી રહ્યું હતું.’ તે જ સમયે, ભૂતપૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કરે (Former captain Sunil Gavaskar) પણ સ્વીકાર્યું હતું કે, જો ભારતે આવું કર્યું હોત તો ઇંગ્લેન્ડના બોલરો (England bowlers)ને તેમની લાઇન લેન્થ પકડવામાં મુશ્કેલી પડી હોત

ભારતીય બોલરોએ પ્રથમ દિવસની રમતના અંતિમ સત્રને પોતાને નામ રાખ્યુ હતુ. રુટ અને બંને ઓપનરોને ઝડપથી પોતાના શિકાર બનાવ્યા હતા.

આ પણ વાંચો : CPL 2021: આ ખેલાડીએ સુપરમેન સ્ટાઇલમાં મુશ્કેલ કેચ ઝડપ્યો, હવામાં ઉડીને એક હાથે કર્યો કેચ, જુઓ VIDEO

આ પણ વાંચો : Cricketers Retirement : ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન ચાર ભારતીય ક્રિકેટરો નિવૃત્ત થયા, તેમના નામ અને કામ વિશે જાણો

Next Article