ભારતીય ટીમ અને સાઉથ આફ્રિકા વચ્ચે 12મી માર્ચે વનડે મેચ યોજાવાની છે. આ મેચને લઈને ટીમ કાંગડા એરપોર્ટ પર પહોંચી હતી અને ત્યાં બંને ટીમનું ક્રિકેટના ચાહકો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. ભારત સરકાર અને રાજ્ય સરકારે કોરોનાના વધતા જતા કેસની સામે એડવાઈઝરી જારી કરી છે અને કોઈ મોટા મેળાવડા ના યોજવા માટે સલાહ આપી છે.
જો કે આ આયોજન અંગે પણ પ્રશાસને બીસીસીઆઈને પત્ર લખ્યો છે અને તેમાં કહ્યું કે કોરોનાને લઈને તમામ જવાબદારી બીસીસીઆઈની રહેશે. આ અંગે શું શું ઉપાયો કરવામાં આવ્યા તેની પણ જાણકારી પ્રશાસને બીસીસીઆઈ પાસેથી માગી છે. જો કે બોર્ડ દ્વારા કોઈપણ પ્રત્યુત્તર મળ્યો નથી.
આ પણ વાંચો : હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ સિંધિયાએ પહેલીવાર મીડિયાના સવાલનો આપ્યો જવાબ!
ભારતીય ટીમમાં એક ખેલાડીએ જ પહેર્યું હતું માસ્ક
કોરોનાને અટકાવવા માટે માસ્ક ખૂબ જ જરૂરી છે. જો કે ભીડ આવી હોવા છતાં તમામ ભારતીય ખેલાડીઓમાંથી માત્ર એક યુજવેન્દ્ર ચહલે માસ્ક પહેર્યું. ઉલ્લેખનીય છે કે વિરાટ કોહલી ટીમ સાથે કાંગડા એરપોર્ટ પહોંચ્યા નહોતા તે અલગ ફ્લાઈટથી આવશે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]
Published On - 2:10 pm, Tue, 10 March 20