IND vs ENG: અમ્પાયર પર ભડક્યો વિરાટ કોહલી, જો રુટને નોટ આઉટના નિર્ણયને લઇને સર્જાયો વિવાદ

|

Feb 15, 2021 | 7:58 PM

ભારત અને ઇંગ્લેંડ (India vs England) વચ્ચે બીજી ચેન્નાઇ ટેસ્ટ (Chennai Test)ના ત્રીજા દીવસની રમત દરમ્યાન અંપાયરના એક નિર્ણય એ ટીમ ઇન્ડીયા (Team India) ને નારાજ કરી દીધા છે. ઇંગ્લેંડના કેપ્ટન જો રુટ (Joe Root) ની સામે અપિલમાં મેદાન પરના અંપાયર નિતિન મેનન ને કારણે ભારતને વિકેટ નહોતી મળી.

IND vs ENG: અમ્પાયર પર ભડક્યો વિરાટ કોહલી, જો રુટને નોટ આઉટના નિર્ણયને લઇને સર્જાયો વિવાદ
અંપાયર નિતિન મેનન એ બોલની ઇમ્પેક્ટને સ્ટંપ પર માની નહોતી

Follow us on

ભારત અને ઇંગ્લેંડ (India vs England) વચ્ચે બીજી ચેન્નાઇ ટેસ્ટ (Chennai Test)ના ત્રીજા દીવસની રમત દરમ્યાન અંપાયરના એક નિર્ણય એ ટીમ ઇન્ડીયા (Team India) ને નારાજ કરી દીધા છે. ઇંગ્લેંડના કેપ્ટન જો રુટ (Joe Root) ની સામે અપિલમાં મેદાન પરના અંપાયર નિતિન મેનન ને કારણે ભારતને વિકેટ નહોતી મળી. જ્યારે તે માટે DRS પણ લીધો હતો. ભારતીય કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) અને મુખ્ય કોચ રવિ શાસ્ત્રી (Ravi Shastri) તેના થી ખુબ ખફા જોવા મળ્યા હતા.

કોહલી તો અંપાયર પાસે જઇને ભિડાઇ ગયો હતો. તો શાસ્ત્રી ડ્રેસિંગ રુમમાં અંપાયરના નિર્ણય સામે નારાજગી ભર્યો ઇશારા કરતા હતા. આ ઘટના ત્રીજા દિવસની રમતની અંતિમ ઓવરમાં થઇ હતી. ઇંગ્લેંડ એ ત્રણ વિકેટ પર 53 રન સાથે ત્રીજા દિવસની રમત પૂર્ણ કરી હતી. ઇંગ્લેંડ એ ત્રણ વિકટ પર 53 રન સાથે ત્રીજા દિવસની રમત પુર્ણ કરી હતી. ભારત એ જીત માટે 482 રનનુ લક્ષ્ય રાખ્યુ છે.

ત્રીજા દિવસની રમતની આખરી ઓવર અક્ષર પટેલ (Akshar Patel) એ કરી હતી. ઓવરની પ્રથમ બોલમાં જ જો રુટની સામે ઋષભ પંત એ કેચની અપિલ કરી હતી. પરંતુ મેદાન પરના અંપાયર નિતિન મેનન એ અપીલને ઠુકરાવી દીધી હતી. એવામાં પંત એ કેપ્ટન વિરાટ કોહલીથી DRS લેવા માટે કહ્યુ હતુ. લાંબી ચર્ચા બાદ ભારતે DRS લીધુ હતુ. આવામાં સામે આવ્યુ કે બોલ બેટના કિનારાને સ્પર્શ્યો નહોતો. એવામાં રુટ સુરક્ષિત હતો. પરંતુ એલબીડબલ્યુના રિપ્લેમાં ઇંગ્લેંડના કેપ્ટન ફસાઇ રહ્યો હતો. અક્ષર પટેલનો બોલ સ્ટંપ ની સામે જ રુટના પેડથી ટકરાયો હતો.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

બોલ ટ્રેકીંગમાં બોલ સ્ટંપ પર જઇને વાગી રહ્યો હતો. પરંતુ ભારત ને જો રુટને વિકેટ નહોતી મળી. કારણ કે મેદાન પર અંપાયર નિતિન મેનન એ બોલની ઇમ્પેક્ટને સ્ટંપ પર માની નહોતી. આ કારણ થી જો રુટ બચી ગયો હતો. કારણ કે ઇંમ્પેક્ટ અંપાયર કોલ હતો.

આ જોઇને ટીમ ઇન્ડીયાનો કેપ્ટન વિરાટ કોહલી ભડક્યો હતો. તે સીધો જ અંપાયરની પાસે પહોંચ્યો હતો અને આ અંગે વાત કરી હતી. તેના હાવભાવ થી સ્પષ્ટ હતુ કે જો રુટ આઉટ હતા અને ખોટો નિર્ણય આપ્યો હતો. જોકે અંપાયર પણ પોતાની વાત પર અડ્યા રહ્યા હતા. તેમનુ કહેવુ હતુ કે ઇંપેક્ટ અલગ સ્થાન પર હતી. કોહલી તે મત થી ખૂબ જ નાખુશ જોવા મળ્યો હતો. લાંબા સમય સુધી તેની નિતિન મેનન સાથે વાતચિત થઇ હતી. ત્યાં ડ્રેસિંગ રુપમમાં બેઠેલા મુખ્ય કોચ રવિ શાસ્ત્રી પણ આ નિર્ણય થી સહમત નથી જોવા મળ્યો. તે હાથનો ઇશારો કરીને નારાજગી દર્શાવતો જોવા મળ્યા હતા.

ઉપરાંત કોમેન્ટ્રીમાં લક્ષ્મણ શિવરામાકૃષ્ણન અને ઇંગ્લેંડના માર્ક બુચર પણ અંપાયરના નિર્ણયથી અસહમત જોવા મળ્યા હતા. તેમણે કહ્યુ હતુ કે, ઇંમ્પેક્ટ પર અમ્પાયર કોલ કેવી રીતે હોઇ શકે છે. આ તો સ્તબ્ધ કરી દેવા વાળો નિર્ણય કર્યો હતો.

Published On - 7:57 pm, Mon, 15 February 21

Next Article