IND vs NZ: ટીમ ઇન્ડિયા સંકટમાં મુકાતા દેખાડ્યો દમ, ટીકાકારોના નિશાને રહેલા બેટ્સમેને 4 વર્ષ બાદ ખરા સમયે ફીફટી નોંધાવી

|

Nov 28, 2021 | 11:04 PM

ભારતીય ટીમે (Team India) 103 રનમાં 6 વિકેટ ગુમાવી દીધી હતી અને ટીમને સારી ભાગીદારીની જરૂર હતી. આવી સ્થિતિમાં અનુભવી બેટ્સમેને નવોદિત શ્રેયસ અય્યર (Shreyas Iyer) સાથે મળીને ટીમને મુશ્કેલીમાંથી બહાર કાઢી હતી.

1 / 6
ટીમ ઈન્ડિયા ના વિકેટકીપર-બેટ્સમેન રિદ્ધિમાન સાહા (Wriddhiman Saha) એ ભારત અને ન્યૂઝીલેન્ડ ( India Vs New Zealand) વચ્ચે કાનપુર ટેસ્ટના ચોથા દિવસે લડાયક ઇનિંગ રમીને શાનદાર અડધી સદી ફટકારી હતી. ઋષભ પંતની ગેરહાજરીમાં આ શ્રેણીમાં ટીમ ઈન્ડિયા (Team India) ના નંબર વન કીપર તરીકે રમી રહેલા સાહાએ તેની 39મી ટેસ્ટમાં છઠ્ઠી અડધી સદી ફટકારી હતી. સાતમા નંબરે બેટિંગ કરવા આવેલો સાહા 61 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો.

ટીમ ઈન્ડિયા ના વિકેટકીપર-બેટ્સમેન રિદ્ધિમાન સાહા (Wriddhiman Saha) એ ભારત અને ન્યૂઝીલેન્ડ ( India Vs New Zealand) વચ્ચે કાનપુર ટેસ્ટના ચોથા દિવસે લડાયક ઇનિંગ રમીને શાનદાર અડધી સદી ફટકારી હતી. ઋષભ પંતની ગેરહાજરીમાં આ શ્રેણીમાં ટીમ ઈન્ડિયા (Team India) ના નંબર વન કીપર તરીકે રમી રહેલા સાહાએ તેની 39મી ટેસ્ટમાં છઠ્ઠી અડધી સદી ફટકારી હતી. સાતમા નંબરે બેટિંગ કરવા આવેલો સાહા 61 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો.

2 / 6
આ ટેસ્ટની પ્રથમ ઈનિંગ બાદ સાહાને ગળામાં જકડાઈ ગઈ હતી, જેના કારણે તે ત્રીજા દિવસે વિકેટો જાળવી શક્યો નહોતો. પરંતુ ચોથા દિવસે જ્યારે ટીમ ઈન્ડિયા મુશ્કેલીમાં હતી ત્યારે સાહા બેટિંગ કરવા આવ્યો હતો અને પહેલા શ્રેયસ અય્યર (Shreyas Iyer) સાથે 64 રનની ભાગીદારી કરી હતી. ત્યારબાદ અક્ષર પટેલ (Axar Patel) સાથે 67 રનની અણનમ ભાગીદારીએ ટીમને સારી સ્થિતિમાં પહોંચાડી દીધી હતી.

આ ટેસ્ટની પ્રથમ ઈનિંગ બાદ સાહાને ગળામાં જકડાઈ ગઈ હતી, જેના કારણે તે ત્રીજા દિવસે વિકેટો જાળવી શક્યો નહોતો. પરંતુ ચોથા દિવસે જ્યારે ટીમ ઈન્ડિયા મુશ્કેલીમાં હતી ત્યારે સાહા બેટિંગ કરવા આવ્યો હતો અને પહેલા શ્રેયસ અય્યર (Shreyas Iyer) સાથે 64 રનની ભાગીદારી કરી હતી. ત્યારબાદ અક્ષર પટેલ (Axar Patel) સાથે 67 રનની અણનમ ભાગીદારીએ ટીમને સારી સ્થિતિમાં પહોંચાડી દીધી હતી.

3 / 6
સાહાએ 4 વર્ષ બાદ પોતાની પ્રથમ અડધી સદી ફટકારી છે. આ પહેલા 2017માં સાહાએ શ્રીલંકા સામે કોલંબો ટેસ્ટમાં 67 રન બનાવ્યા હતા. તે પછી રમાયેલી 11 ટેસ્ટમાં તે નિષ્ફળ ગયો હતો.

સાહાએ 4 વર્ષ બાદ પોતાની પ્રથમ અડધી સદી ફટકારી છે. આ પહેલા 2017માં સાહાએ શ્રીલંકા સામે કોલંબો ટેસ્ટમાં 67 રન બનાવ્યા હતા. તે પછી રમાયેલી 11 ટેસ્ટમાં તે નિષ્ફળ ગયો હતો.

4 / 6
ખાસ વાત એ છે કે રિદ્ધિમાન સાહાને ન્યૂઝીલેન્ડ સામે રન બનાવવાનું પસંદ છે. તેની 6 અડધી સદીઓમાંથી ત્રણ ન્યૂઝીલેન્ડ સામે આવી છે. અગાઉ 2016માં તેણે કોલકાતા ટેસ્ટની બંને ઇનિંગ્સમાં 54 અને 58 રન બનાવ્યા હતા અને બંને ઇનિંગ્સમાં તે અણનમ રહ્યો હતો.

ખાસ વાત એ છે કે રિદ્ધિમાન સાહાને ન્યૂઝીલેન્ડ સામે રન બનાવવાનું પસંદ છે. તેની 6 અડધી સદીઓમાંથી ત્રણ ન્યૂઝીલેન્ડ સામે આવી છે. અગાઉ 2016માં તેણે કોલકાતા ટેસ્ટની બંને ઇનિંગ્સમાં 54 અને 58 રન બનાવ્યા હતા અને બંને ઇનિંગ્સમાં તે અણનમ રહ્યો હતો.

5 / 6
તેણે ન્યૂઝીલેન્ડ સામે 4 ટેસ્ટની 5 ઇનિંગ્સમાં 87ની એવરેજથી 174 રન બનાવ્યા છે. અન્ય કોઈ ટીમ સામે તેનું પ્રદર્શન આવુ નથી. તે પોતાની ત્રણેય અડધી સદીમાં અણનમ રહ્યો હતો.

તેણે ન્યૂઝીલેન્ડ સામે 4 ટેસ્ટની 5 ઇનિંગ્સમાં 87ની એવરેજથી 174 રન બનાવ્યા છે. અન્ય કોઈ ટીમ સામે તેનું પ્રદર્શન આવુ નથી. તે પોતાની ત્રણેય અડધી સદીમાં અણનમ રહ્યો હતો.

6 / 6
ભારતીય ટીમે કાનપુર ટેસ્ટમાં ન્યુઝીલેન્ડ સામે 284 રનનો પડકાર રાખ્યો છે. ભારતે બીજો દાવ 7 વિકેટ પર ટીમ રમતમાં હતી એ દરમિયાન ડિક્લેર કર્યો હતો. કિવી ટીમે ચોથા દીવસની રમતના અંતે એક વિકેટ ગુમાવીને 4 રનનો સ્કોર કર્યો છે. આમ ભારત માટે અંતિમ દિવસે 9 વિકેટની જરુર જીત માટે છે.

ભારતીય ટીમે કાનપુર ટેસ્ટમાં ન્યુઝીલેન્ડ સામે 284 રનનો પડકાર રાખ્યો છે. ભારતે બીજો દાવ 7 વિકેટ પર ટીમ રમતમાં હતી એ દરમિયાન ડિક્લેર કર્યો હતો. કિવી ટીમે ચોથા દીવસની રમતના અંતે એક વિકેટ ગુમાવીને 4 રનનો સ્કોર કર્યો છે. આમ ભારત માટે અંતિમ દિવસે 9 વિકેટની જરુર જીત માટે છે.

Next Photo Gallery