IND vs PAK : ભારતે પાકિસ્તાનને મહા મુકાબલા પહેલા જ હરાવ્યું, આ મામલે પાછળ છોડ્યું

અફઘાનિસ્તાન સામેની જીત સાથે ભારતે એક કાંકરે બે શિકાર કર્યા હતા. અફગાનિસ્તાન સામે શાનદાર જીત બાદ પોઈન્ટ ટેબલમાં ભારત બીજા ક્રમે પહોંચ્યું હતું, સાથે જ પાકિસ્તાનને આ લિસ્ટમાં પાછળ પણ છોડ્યું હતું. મતલબ અમદાવાદમાં મહા મુકાબલા પઅહેલ જ ભારતે પાકિસ્તાનને હરાવ્યું હતું.

IND vs PAK : ભારતે પાકિસ્તાનને મહા મુકાબલા પહેલા જ હરાવ્યું, આ મામલે પાછળ છોડ્યું
IND vs PAK
| Edited By: | Updated on: Oct 12, 2023 | 9:31 AM

અમદાવાદમાં 14 ઓક્ટોબરે ભારત (Team India) સાથે પાકિસ્તાનની ટક્કર છે. પરંતુ, તે પહેલા પણ તેણે પોતાના કટ્ટર હરીફ સામે હારનો સ્વાદ ચાખ્યો છે. પાકિસ્તાન (Pakistan) ભારત સામે રમ્યા વિના જ હારી ગયું હતું. આ હાર ક્રિકેટના મેદાન પર નહીં પરંતુ મેદાનની બહાર ICC લેટેસ્ટ વર્લ્ડ કપ 2023 (World Cup 2023) ના પોઈન્ટ ટેબલમાં મળી છે. અફઘાનિસ્તાન સામેની જીત બાદ ભારતનો રન રેટ સુધર્યો અને પોઈન્ટ ટેબલમાં પાકિસ્તાનને પછાડ્યું હતું.

અફઘાનિસ્તાનની હાર, પાકિસ્તાનને નુકસાન

જો કે પોઈન્ટ ટેબલમાં પાકિસ્તાન સામે ભારતની મોટી જીત દિલ્હી મેચમાં અફઘાનિસ્તાનના પ્રદર્શન સાથે જોડાયેલી છે. અફઘાનિસ્તાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરીને 50 ઓવરમાં 8 વિકેટે 272 રન બનાવ્યા હતા. જવાબમાં ટીમ ઈન્ડિયાએ જ્યારે ટાર્ગેટનો પીછો કરવાનું શરૂ કર્યું તો તેણે 35 ઓવરમાં જ 90 બોલ બાકી રહેતા મેચ જીતી લીધી હતી.

ભારતે પોઈન્ટ ટેબલમાં પાકિસ્તાનને પાછળ છોડ્યું

હવે, જો તમે 90 બોલ પહેલા ODI મેચ જીતો છો અને માત્ર 2 વિકેટ ગુમાવો છો, તો તેની અસર રન રેટ પર ચોક્કસપણે જોવા મળશે. વર્લ્ડ કપ 2023ના પોઈન્ટ ટેબલમાં પણ આવું જ જોવા મળ્યું છે. હકીકતમાં, અફઘાનિસ્તાન સામેની મેચ પહેલા પાકિસ્તાનની ટીમ 0.927ના રન રેટ સાથે બીજા સ્થાને હતી. જ્યારે ભારતનો રન રેટ 0.88 હતો અને તે ચોથા સ્થાને હતો. પરંતુ, જ્યારે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની દિલ્હી મેચ સમાપ્ત થઈ ત્યારે પોઈન્ટ ટેબલની આ સ્થિતિ બદલાઈ ગઈ.

ટીમ ઈન્ડિયા નંબર 2 પર પહોંચી

આ મેચ બાદ ટીમ ઈન્ડિયા ચોથા નંબરથી સીધી નંબર 2 પર પહોંચી ગઈ છે. જ્યારે બીજા સ્થાને રહેલી પાકિસ્તાનની ટીમ ત્રીજા સ્થાને સરકી ગઈ હતી. અફઘાનિસ્તાન સામેની જીત બાદ ભારતનો રન રેટ 1.500 પર પહોંચી ગયો છે. ભારત અને પાકિસ્તાન બંનેના 2-2 મેચ રમીને 4-4 પોઈન્ટ છે.

આ પણ વાંચો : Pakistan: પાકિસ્તાનના દિગ્ગજ ક્રિકેટરો તેમની જ ટીમના સ્ટાર ખેલાડીના વર્લ્ડ કપમાં પ્રદર્શનથી નારાજ

અમદાવાદમાં ટક્કર પહેલા ‘જીત’નો પાવર બૂસ્ટર

ભારતે વર્લ્ડ કપ 2023માં તેની આગામી એટલે કે ત્રીજી મેચ અમદાવાદમાં પાકિસ્તાન સામે રમવાની છે. પાકિસ્તાનની ટીમ અમદાવાદ પહોંચી ગઈ છે. અમદાવાદમાં પગ મૂકતા પહેલા જ પોઈન્ટ ટેબલમાં પાકિસ્તાનને હરાવીને ટીમ ઈન્ડિયાએ આ સંદેશ આપ્યો છે, હવે 14 ઓક્ટોબરે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનાર મેચનું પરિણામ પણ આવું જ આવશે. આ એટલા માટે કારણ કે તે શાનદાર મેચ પહેલા ટીમ ઈન્ડિયાએ જે જોઈએ તે બધું હાંસલ કરી લીધું છે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો