રોહિત કે હાર્દિક – T20 વર્લ્ડ કપમાં કોણ બનશે કેપ્ટન? BCCIની મન કી બાત

રોહિત શર્માએ ટી20 વર્લ્ડ કપ 2022 પછી ટીમ ઈન્ડિયા માટે એક પણ ટી20 ઈન્ટરનેશનલ મેચ રમી નથી. આ દરમિયાન હાર્દિક પંડ્યા છેલ્લા એક વર્ષથી ટીમની કપ્તાની કરી રહ્યો હતો. વર્લ્ડ કપ 2023માં ફાઈનલ પહેલા ટીમ ઈન્ડિયાના શાનદાર પ્રદર્શન બાદ સવાલો ઉઠી રહ્યા છે કે શું આગામી વર્લ્ડ કપમાં રોહિતને કમાન સોંપવામાં આવે.

રોહિત કે હાર્દિક - T20 વર્લ્ડ કપમાં કોણ બનશે કેપ્ટન? BCCIની મન કી બાત
Rohit & Hardik
| Updated on: Dec 01, 2023 | 8:04 AM

વર્લ્ડ કપ 2023ની ફાઈનલમાં ટીમ ઈન્ડિયાની હાર બાદથી સતત ચર્ચા ચાલી રહી છે કે શું રોહિત શર્માએ T20 અને ODI ફોર્મેટમાં કેપ્ટનશિપ છોડી દેવી જોઈએ. આ ચર્ચાનું એક મોટું કારણ આવતા વર્ષે યોજાનાર T20 વર્લ્ડ કપ છે. રોહિત શર્મા છેલ્લા એક વર્ષથી T20 ઈન્ટરનેશનલ રમ્યો ન હતો અને હાર્દિક પંડ્યા કેપ્ટન હતો. આવી સ્થિતિમાં, સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની પસંદગીના દિવસે પણ આ ચર્ચા રહી હતી અને અંતે રોહિત શર્મા આ પ્રવાસમાં પણ ટી-20 શ્રેણીથી દૂર રહ્યો હતો પરંતુ BCCI તેને વિશ્વ કપમાં કેપ્ટન તરીકે રાખવાના મૂડમાં છે.

રોહિતને T20નું સુકાનીપદ ચાલુ રાખવા મનાવવાનો પ્રયાસ!

BCCIની પસંદગી સમિતિની બેઠક ગુરુવારે 30 નવેમ્બરે યોજાઈ હતી. નવી દિલ્હીમાં આયોજિત આ બેઠક પહેલા એવા અહેવાલો આવ્યા હતા કે બોર્ડ રોહિત શર્માને T20 ટીમનું સુકાનીપદ ચાલુ રાખવા માટે મનાવવાનો પ્રયાસ કરશે. જોકે, વર્લ્ડ કપ ફાઈનલ બાદ એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે રોહિતે પસંદગીકારોને કહ્યું હતું કે જો તેને ટી20 માટે પસંદ ન કરવામાં આવે તો તેને કોઈ વાંધો નથી. T20 વર્લ્ડ કપ 2022માં ટીમની હાર બાદ રોહિતે એકપણ T20 ઈન્ટરનેશનલ મેચ રમી નથી.

દક્ષિણ આફ્રિકામાં સૂર્યા T20 ટીમનો કેપ્ટન

આવી સ્થિતિમાં, સિલેક્શનના દિવસે આ ચર્ચાનો વિષય રહ્યો હતો. ટીમની સત્તાવાર જાહેરાત પહેલા જ કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે રોહિત T20 કેપ્ટન તરીકે વાપસી કરી રહ્યો છે. જો કે, જ્યારે ટીમની જાહેરાત કરવામાં આવી ત્યારે સૂર્યકુમાર યાદવ T20 કેપ્ટન હતો, જ્યારે રોહિત ટીમનો ભાગ નહોતો. ત્યારબાદ BCCIએ પોતાના એક ટ્વિટમાં કહ્યું કે રોહિત અને સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ આ પ્રવાસ પર T20 અને ODI સિરીઝમાંથી બ્રેક માંગ્યો હતો, જેને બોર્ડે સ્વીકારી લીધો હતો.

વર્લ્ડ કપ માટે રોહિત પ્રથમ પસંદગી

સમાચાર એજન્સી પીટીઆઈએ તેના એક અહેવાલમાં જણાવ્યું છે કે ભલે હાર્દિક પંડ્યા છેલ્લા એક વર્ષથી T20 ટીમનું નેતૃત્વ કરી રહ્યો છે, પરંતુ તે વર્લ્ડ કપ માટે સુકાનીપદની પહેલી પસંદગી નહીં હોય. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે બોર્ડે દક્ષિણ આફ્રિકાના પ્રવાસ દરમિયાન રોહિતને T20 ટીમની કેપ્ટનશિપ કરવાની ઓફર પણ કરી હતી, પરંતુ રોહિતે આ સિરીઝ માટે બ્રેકની વિનંતી કરી હતી, જેને બોર્ડે સ્વીકારી લીધી હતી.

રોહિતે IPL દરમિયાન પણ સારૂ પ્રદર્શન કરવું પડશે

બોર્ડનો વિચાર છે કે જો રોહિત ટી-20 વર્લ્ડ કપ દરમિયાન ટીમની કમાન સંભાળવા માંગે છે તો તેને કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવે. આનું એક કારણ છે તાજેતરના વર્લ્ડ કપમાં ફાઈનલ પહેલા ટીમ ઈન્ડિયાનું જોરદાર પ્રદર્શન અને ડ્રેસિંગ રૂમમાં રોહિત માટે સાથી ખેલાડીઓમાં આદર. જો કે, તેના માટે રોહિતે IPL દરમિયાન પણ સારૂ પ્રદર્શન કરવું પડશે, ટીમની પસંદગીનો ખરો માપદંડ વર્લ્ડ કપમાં રહેશે.

આ પણ વાંચો: IPL 2024 શેડ્યૂલ: જાણો ક્યારે થશે મેચોની તારીખ, સ્થળ અને સમયની સત્તાવાર જાહેરાત?

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો