Jasprit Bumrah: જસપ્રીત બુમરાહ મેદાનમાં ક્યારે પરત ફરશે? સ્ટાર બોલરને લઈ આવ્યા મોટા સમાચાર

|

Jun 18, 2023 | 5:43 PM

Indian Cricket Team: ભારતીય સ્ટાર ઝડપી બોલર લાંબા સમયથી ક્રિકેટના મેદાનથી બહાર છે, પીઠની સમસ્યાને લઈ તે મેદાનથી દૂર રહ્યા બાદ ન્યૂઝીલેન્ડમાં સર્જરી કરાવી ચૂક્યો છે.

Jasprit Bumrah: જસપ્રીત બુમરાહ મેદાનમાં ક્યારે પરત ફરશે? સ્ટાર બોલરને લઈ આવ્યા મોટા સમાચાર
When will Jasprit Bumrah return to the field

Follow us on

ભારતીય ક્રિકેટ ટીમ માટે હાલમાં રજાનો માહોલ છે. આગામી મહિના ટીમ ઈન્ડિયા વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસે જનારી છે. ભારતીય ટીમનો આ સાથે જ શેડ્યૂલ ડિસેમ્બર સુધી ખૂબ જ વ્યસ્ત રહેનારો છે. જોકે આ દરમિયાન એશિયા કપ પહેલા ભારતીય ટીમને લઈ એક રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. ભારતીય સ્ટાર બોલર જસપ્રીત બુમરાહ ભારતીય ટીમમાં પરત ફરવાને લઈ સમાચાર સામે આવ્યા છે. બુમરાહ એશિયા કપ પહેલા જ ટીમની સાથે જોડાઈ શકે છે. આયર્લેન્ડ સામેની સિરીઝનો તે હિસ્સો થઈ શકે છે.

જસપ્રીત બુમરાહ પીઠની સમસ્યાને લઈ ગત વર્ષે ટી20 વિશ્વકપ રમવાથી દૂર રહેવા મજબૂર રહ્યો હતો. આ ઉપરાંત તે મહત્વની સિરીઝથી અને આઈપીએલથી પણ દૂર રહેવા માટે મજબૂર રહ્યો હતો. પરંતુ હવે સમાચાર છે કે આગામી ઓગષ્ટ મહિનામાં ભારત અને આયર્લેન્ડ વચ્ચે સિરીઝ રમાનારી છે, આ દરમિયાન બુમરાહ પણ ટીમ સાથે જોડાઈ શકે છે.

પૂર્વ દિશામાં પગ રાખીને સૂવાથી શું થાય છે ?
ગુજરાતી સિંગર અરવિંદ વેગડાના ગીત વગર ખેલૈયાની નવરાત્રી અધુરી છે, જુઓ ફોટો
આ 5 લોકોના ઘરે ક્યારેય ન કરવુ જોઈએ ભોજન
શ્રાદ્ધમાં આ સરળ ટીપ્સની મદદથી બનાવો દૂધપાક
આજનું રાશિફળ તારીખ : 20-09-2024
કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?

આયર્લેન્ડ સામેની ટી20 સિરીઝથી પરત ફરશે

હાલમાં જસપ્રીત બુમરાહ નેશનલ ક્રિકેટ એકડમીમાં છે. જયાં તે મેદાન પર પરત ફરવાને લઈ તૈયારીઓ કરી રહ્યો છે. થોડાક સમય અગાઉ બુમરાહે પીઠની સમસ્યાને લઈ ન્યુઝીલેન્ડમાં સર્જરી કરાવી હતી. ત્યાર બાદ તે ભારત પરત ફર્યા બાદ મેદાન પર પરત ફરવાને લઈ તૈયારીઓ કરી રહ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ મુજબ બુમરાહ હવે ત્રણ મેચની ટી20 સિરીઝથી ટીમ ઈન્ડિયા સાથે ફરી જોડાઈ શકે છે. આ સિરીઝ ભારત અને આયર્લેન્ડ વચ્ચે રમાનારી છે. આ સાથે જ બુમરાહની ફિટનેસને લઈ સ્થિતી સ્પષ્ટ બની જશે.

 

 

બુમરાહ હાલમાં સારી લયમાં છે અને તે તૈયારીઓમાં વ્યસ્ત છે. તે આયર્લેન્ડ સામેની સિરીઝથી પરત ફરવા માટે તૈયાર છે. રિપોર્ટ્સ મુજબ બુમરાહ લાંબા સમયથી ક્રિકેટથી દૂર છે અને તે મેદાનમાં સમય વિતાવીને પોતાને સાબિત કરશે. બેંગ્લુરુમાં તેને એકડમીના વડા વીવીએસ લક્ષ્મણ, મેડિકલ વિભાગના વડા નિતીન પટેલના નિરીક્ષણ હેઠળ તૈયારીઓ કરી રહ્યો છે.

 

બુમરાહના પરત ફરવાથી મોટી રાહત

એનસીએમાં બુમરાહ ખૂબ જ મહેનત કરી રહ્યો છે. નિતીન પટેલ અને રજનીકાંત બંને બુમરાહને પીઠની સમસ્યા બાદ ફરીથી મેદાનમાં ઉતરવા માટેની તૈયારીઓ કરાવી રહ્યા છ. બંને દ્વારા બુમરાહને લઈ બારીકાઈથી નજર રાખવામાં આવી રહી છે. ભારતીય ક્રિકેટ બોર્ડ પણમ બુમરાહને લઈ કોઈ જ રિસ્ક લેવા માંગતુ નથી. આવામાં તેનુ ઠીક થવુ હવે ભારતીય ટીમ માટે મહત્વનુ બની રહેશે. એશિયા કપ અને વનડે વિશ્વ કપ સામે હોવાને લઈને મોટી રાહત ભારતીય ક્રિકેટ ટીમને સર્જાઈ શકે છે.

આ પણ વાંચોઃ  MS Dhoni: ધોની રાંચીના રસ્તાઓ પર વિન્ટેજ Mini Cooper ડ્રાઈવ કરતો જોવા મળ્યો, જુઓ Video

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 5:37 pm, Sun, 18 June 23

Next Article