Virat Kohliએ અનુષ્કા માટે નહીં પણ પોતાના પ્રથમ પ્રેમ માટે સરાજાહેર લખ્યો પ્રેમપત્ર!

વિરાટ કોહલી (Virat Kohli) પોતાના પહેલા અન સાચા પ્રેમને યાદ કરતા લવ લેટર લખ્યો છે. જે લવ લેટર તેણે ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. જોકે તે પ્રેમ અને લવ લેટર અનુષ્કા શર્મા (Anushka Sharma) માટે નથી.

Virat Kohliએ અનુષ્કા માટે નહીં પણ પોતાના પ્રથમ પ્રેમ માટે સરાજાહેર લખ્યો પ્રેમપત્ર!
Anushka Sharma-Virat Kohli
| Edited By: | Updated on: Jun 11, 2021 | 11:59 PM

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) સોશિયલ મીડિયામાં ક્યારેક ક્યારે મસ્તી કરી લેતો હોય છે. ફેન્સ પણ તેની મસ્તી ભરી પોસ્ટનો આનંદ પણ લેતા હોય છે. આ વખતે વિરાટ કોહલીને જરા હટકે મસ્તી ચઢી હતી. વિરાટ કોહલીએ પોતાના પહેલા અને સાચા પ્રેમને યાદ કરતા લવ લેટર લખ્યો છે. જે લવ લેટર તેણે ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. જોકે તે પ્રેમ અને લવ લેટર અનુષ્કા શર્મા (Anushka Sharma) માટે નથી.

 

વિરાટનો આ પ્રથમ અનુષ્કા શર્મા નથી, પરંતુ કંઈક ખાસ છે. જેને મળવા માટે વિરાટ કોહલી ખૂબ જ બેતાબ છે. કોહલી તેને ખૂબ મિસ કરે છે. તમે પણ તે પ્રેમ પત્ર વાંચીને હસી હસીને પાગલ થઈ જશો! કારણ કે વિરાટ કોહલી બટાકાને યાદ કરી રહ્યો છે. જેના માટે તેણે ખુલ્લો પ્રેમપત્ર પણ લખ્યો છે. વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા બંને ફીટનેસની બાબતમાં ખૂબ જ સભાન છે. તેઓએ ફિટનેસ માટે તેમની પસંદગીની અનેક ખાદ્યચીઝોને ત્યજી જ દીધી છે.

 

પ્રથમ મુલાકાત

કોહલીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી પર તસ્વીર શેર કરી હતી. જેમાં તેણે બટાકાને લઈને પોતાની યાદોને તાજી કરી લીધી હતી. તેમણે લખ્યુ, માય ડિયર બટાકુ, હું આ પત્ર તને એટલા માટે લખુ છુ, કારણ કે મને અહેસાસ થઈ ગયો છે કે મારો પ્યાર તારા માટે કેટલો સાચો છે.

 

મને અત્યાર સુધી આપણી પ્રથમ યાદ છે. જે દિવસે મેં તને આલુ પરાઠાની અંદર જોયેલ. મને યાદ છે કે, હું તને ગ્રોસરી સ્ટોર્સામાંથી સાચા ફેનની માફક લઈ આવ્યો હતો. મને હજુ પણ એ દિવસ યાદ છે કે હું તને થિયેટરમાં મળ્યો હતો અને તેને મારા હાથમાં લઈ રહ્યો હતો, તે લાલ કેચઅપ પહેરેલ.

 

તારા વિના જીવન અધૂરુ

કેપ્ટન કોહલીએ કહ્યુ કે, બટાકા વગર તો તેમનુ જીવન અધૂરુ છે. તેમણે લખ્યુ કે હવે મને અહેસાસ થયો છે, તારા વિના મારુ જીવન અધૂરુ છે. જેમ કે બટાકા વિના બટાકા કોબીઝ. તારી સાથે વટાણા પણ થયા કરતા હતા. જ્યારે ગયા છો, જીરુ પણ અધુરુ છે અને જીવન ફિકુ થઈ ગયુ છે. મને આપણો મસાલાદાર દિવસ યાદ આવી રહ્યા છે તો વળી કેપ્ટન વિરાટ કોહલીએ અંતમાં લખ્યુ હતુ કે હજુ તો કહાની બાકી છે. કારણ કે પ્યારનો કોઈ અંત નથી હોતો. આમ કોહલીની આ લાઈનનો મતલબ છે કે વિરાટના આ પ્રેમપત્રનો પાર્ટ 02 આવવાનો બાકી છે.

 

આ પણ વાંચો: Umesh Yadavના જીવનમાં તાન્યા વાધવા આવતા જ જેન્ટલ મેન બનવા લાગ્યો હતો, ફેશન ડિઝાઈનરે કર્યો હતો કમાલ