Virat Kohli: વન ડે કેપ્ટનશિપથી હટાવવા પહેલા વિરાટ કોહલી સાથે વાત સુદ્ધાં નહોતી કરી, ગેરહાજરીમાં જ લઇ લેવાયો હતો નિર્ણય!

વિરાટ કોહલી (Virat Kohli) ને 8 ઓક્ટોબરે ODIની કેપ્ટન્સીમાંથી હટાવી દેવામાં આવ્યો હતો, જે બાદ એક મોટા સમાચાર સામે આવ્યા છે.

Virat Kohli: વન ડે કેપ્ટનશિપથી હટાવવા પહેલા વિરાટ કોહલી સાથે વાત સુદ્ધાં નહોતી કરી, ગેરહાજરીમાં જ લઇ લેવાયો હતો નિર્ણય!
| Edited By: | Updated on: Dec 10, 2021 | 9:49 PM

જ્યારથી વિરાટ કોહલી (Virat Kohli) ને ODIની કેપ્ટનશીપથી હટાવી દેવામાં આવ્યો ત્યારથી ભારતીય ક્રિકેટ જગતમાં હલચલ મચી ગઈ છે. ચાહકોને આશ્ચર્ય છે કે વિરાટ કોહલી જેવા ખેલાડીને અચાનક ODI કેપ્ટનશીપથી કેવી રીતે હટાવી દેવામાં આવ્યો. હવે આ મામલે એક મોટા સમાચાર સામે આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વિરાટ કોહલીએ તેને કેપ્ટન્સીથી હટાવ્યા પહેલા તેની સાથે વાત પણ કરી ન હતી. જે મીટીંગમાં વિરાટ કોહલીને હટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો તેમાં તે પોતે હાજર નહોતો.

તેની ગેરહાજરીમાં, પસંદગીકારોએ આ નિર્ણય લીધો અને વિરાટ કોહલીને પણ તેની ODI કેપ્ટનશિપની અચાનક વિદાયની જાણ થઈ. એક મીડિયા અહેવાલ મુજબ, વિરાટ કોહલી પોતે ODI કેપ્ટનશીપ છોડવાનું વિચારી રહ્યો હતો પરંતુ પસંદગીકારોએ તેની જાહેરાત પહેલા જ આ નિર્ણય લઈ લીધો હતો.

જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, ‘વિરાટ કોહલી પોતે ODIની કેપ્ટનશીપ છોડવા અંગે નિવેદન આપવાનો હતો. 8 ડિસેમ્બરના રોજ, વિરાટ કોહલીએ દક્ષિણ આફ્રિકા ટેસ્ટ શ્રેણી માટે ટીમની પસંદગી કરવા માટે પસંદગીકારો સાથે બેઠક કરી હતી.

કોહલી આ બેઠકમાં વર્ચ્યુઅલ રીતે સામેલ હતો. પસંદગી પામેલા ખેલાડીઓના નામ તેની સામે વાંચવામાં આવ્યા અને તેણે કોઈ વાંધો વ્યક્ત કર્યો ન હતો. વિરાટ કોહલીને કહેવામાં આવ્યું હતું કે રોહિત શર્મા (Rohit Sharma) ને ટેસ્ટનો ઉપ-કેપ્ટન બનાવવામાં આવી રહ્યો છે, તેથી તે પણ આ માટે રાજી થઈ ગયો. આ મીટિંગમાં જય શાહ (Jay Shah) અને સૌરવ ગાંગુલી (Sourav Ganguly) પણ હાજર હતા.

 

વિરાટ કોહલીની પીઠ પાછળ લેવાયો નિર્ણય

રિપોર્ટ અનુસાર, ટીમ ઈન્ડિયાની પસંદગી બાદ જ્યારે વિરાટ કોહલી સિલેક્ટર્સની મીટિંગમાંથી નીકળી ગયો હતો, ત્યારે ODI કેપ્ટનના મુદ્દે વોટિંગ કરવામાં આવ્યું હતું. રોહિત શર્માની ODI ટીમની કમાન સંભાળશે તે નક્કી હતું. અહેવાલો અનુસાર, આ મીટિંગમાં ન તો વિરાટ, ન તો ગાંગુલી કે ન તો જય શાહ હાજર હતા. મતલબ, વિરાટની ગેરહાજરીમાં, પસંદગીકારોએ તેને જાણ કર્યા વિના જ તેને ODI કેપ્ટન પદ પરથી હટાવી દીધો. જો કે વિરાટ કોહલીને કેપ્ટનશિપ છોડવા માટે 48 કલાકનો સમય આપવામાં આવ્યો હતો, પરંતુ એકવાર પસંદગીકારોએ તેને હટાવતા પહેલા તેની સાથે વાત કરવાનું યોગ્ય ન માન્યું.

જો કે, મીડિયા રિપોર્ટમાં એ વાત પણ સામે આવી છે કે રોહિત શર્મા એકમાત્ર T20 કેપ્ટન બનવા તૈયાર નથી. તેણે પસંદગીકારોની સામે એક શરત મૂકી હતી કે તે ટી-20 અને વનડે ટીમની કમાન સંભાળવા માંગે છે. આ પછી, BCCIએ ODI અને T20 ફોર્મેટની કમાન રોહિત શર્માને સોંપી દીધી.

 

 

આ પણ વાંચોઃ  Virat Kohli: વિરાટ કોહલીને કેપ્ટન પદે થી હટાવવાના નિર્ણયને લઇ દિગ્ગજને આશ્વર્ય, કહ્યુ, ટીમને બનાવવી મુશ્કેલ છે, તોડી દેવી ખૂબ જ સરળ

 

આ પણ વાંચોઃ PAK vs WI: વેસ્ટ ઇન્ડિઝ ટીમની સુરક્ષા માટે પાકિસ્તાને 46 DSP સહિતનો વિશાળ કાફલો તૈનાત કર્યો, ન્યુઝીલેન્ડ વાળી થવાનો ડર!

Follow Us