
વિજય હજારે ટ્રોફી 2025-26ની 2 ક્વાર્ટર ફાઈનલ મેચ 12 જાન્યુઆરીના રોજ રમાય હતી. મુંબઈ અને કર્ણાટકનો સામનો થયો તેમજ સૌરાષ્ટ્ર અને ઉત્તરપ્રદેશની વચ્ચે ટકકર થઈ હતી. બંન્ને મેચ બેંગ્લોર સ્થિત બીસીસીઆઈના સેન્ટર ઓફ એક્સીલેન્સમાં રમાય હતી. બંન્ને મેચ વરસાદના કારણે રમાઈ ન હતી.બંન્ને મેચનું પરિણામ વીજેડી મેથડ દ્વારા કાઢવામાં આવ્યો હતો. કર્ણાટકે વીજેડી મેથને લઈ 55 રનથી આ મેચ જીતી. જ્યારે સૌરાષ્ટ્રે ઉત્તરપ્રદેશ વિરુદ્ધ વીજેડી મેથેડના કારણે 17 રનથી મેચ પોતાને નામ કરી હતી. હવે તમારા મનમાં એક સવાલ આવતો હશે કે, આ વીજેડી મેથડ શું છે. તો ચાલો આપણે વિસ્તારથી જાણીએ.
VJD method એક એવી મેથડ છે. જે વરસાદના કારણે નાની લિમિટેડ ઓવરની મેચમાં ટાર્ગેટને નક્કી કરવામાં આવે છે. આને કેરળના સિવિલ એન્જિયનર વી જયદેવને બનાવ્યો હતો. આ ડીએલએસ મેથડ (ડકવર્થ લુઈસ અને સ્ટર્ને)નો અલ્ડટરનેટિવ વિકલ્પ છે. વીજેડી મેથેડ પહેલા ઈન્ડિયન ક્રિકેટ લીગ અને તમિલનાડુ પ્રીમિયર લીગમાં આનો ઉપયોગ થઈ ચૂક્યો છે. તમને જણાવી દઈએ કે, વીજેડી મેથડ પર આઈપીએલની ચોથી અને પાંચમી સીઝનમાં યુઝ કરવા માટે વિચાર કરવામાં આવ્યો હતો. એક વખત આઈસીસીએ પણ ડીએલએસ મેથડના વિકલ્પના રુપમાં વીજેડી મેથડને અપનાવવા વિશે વિચાર્યું હતુ.
નક્કી કરવા માટે ડર્કવર્થ લુઈસના નિયમનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ ભારતમાં ઘરેલું ક્રિકેટમાં વી જયદેવન પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે વીજેડી પદ્ધતિને કેરળના એન્જિન્યરે વી. જયદેવને બનાવ્યો હતો. આને પહેલી વખત 2007માં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે મંજુરી આપી હતી.
વીજેડી પદ્ધતિમા ઓવરની સંખ્યા,ગુમાવેલી વિકેટની સંખ્યા અને મેચ બંધ રાખતી વખતે રન રેટને ધ્યાનમાં રાખવામાં આવે છે. આ બીજી બેટિંગ કરનારી ટીમ પાસેઉપલબ્ધ સંશાધન જેમ કે ઓવરની સંખ્યા અને વધેલી વિકેટને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. ડર્કવર્થની તુલનામાં વીજેડી પદ્ધતિનો એક ફાયદો એ છે કે, તે ખુબ જટિલ અને સમજવામાં સરળ છે.