IPL 2023 GT vs CSK: ફાઈનલના દિવસે અમદાવાદનું હવામાન કેવું રહેશે, વરસાદ પડશે તો જાણો કોણ જીતશે કોણ હારશે

|

May 28, 2023 | 11:32 AM

IPL 2023 ની ફાઇનલ મેચ 28 મે, રવિવારે ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે અમદાવાદમાં રમાશે. આ મેચમાં વરસાદ વિલન બની શકે છે.

IPL 2023 GT vs CSK: ફાઈનલના દિવસે અમદાવાદનું હવામાન કેવું રહેશે, વરસાદ પડશે તો જાણો કોણ જીતશે કોણ હારશે

Follow us on

IPL 2023ની ફાઇનલ મેચ રવિવાર 28 મેના રોજ ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે રમાશે. આ મેચ પર ફરી એકવાર વરસાદનું સંકટ મંડરાઈ રહ્યું છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનાર આ મેચમાં વરસાદની ખલેલ પડી શકે છે. અગાઉ આ મેદાન પર રમાયેલ ક્વોલિફાયર 2માં પણ વરસાદ નડ્યો હતો અને મેચની શરૂઆત અડધો કલાક મોડી થઈ હતી. હવે ફરી એકવાર ફાઈનલ મેચ પર વરસાદનો ખતરો છે. સૌથી મોટો સવાલ એ પણ છે કે જો વરસાદના કારણે મેચ રદ્દ થશે તો વિજેતા કોણ હશે?

આજનું રાશિફળ તારીખ 17-05-2024
Cannesમાં જ્યારે તૂટેલા હાથ સાથે રેમ્પ વોક કરવા ઉતરી ઐશ્વર્યા રાય બચ્ચન, જુઓ-Photos
ધૃતરાષ્ટ્રને કૌરવો ઉપરાંત પણ હતો એક પુત્ર, જાણો કોણ હતો એ
LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે

 

ફાઈનલ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ ગુજરાત સામે ટકરાશે. ટાઇટન્સની આ સતત બીજી ફાઇનલ મેચ છે. આ સાથે જ CSK રેકોર્ડ 10મી વખત ફાઇનલમાં પહોંચી છે. આ મેચ માટે હવામાનની આગાહી ચાહકોની ચિંતા વધારી શકે છે. એટલે કે આ મેચ પર વરસાદનો ખતરો છે. જો હવામાનની આગાહીની વાત કરીએ તો મેચ દરમિયાન વરસાદની 40 ટકાથી વધુ શક્યતા છે. જો વરસાદ થશે તો કોણ જીતશે તે પણ લોકોના મનમાં છે. પરંતુ તે પહેલા, ચાલો હવામાનની આગાહીને સંપૂર્ણ વિગતવાર જાણીએ.

હવામાનની આગાહી શું છે?

જો એક્યુવેધરના રિપોર્ટનું માનીએ તો અમદાવાદમાં બપોરે 1 વાગ્યાથી 4 વાગ્યા સુધી વરસાદની બહુ શક્યતા નથી. આ દરમિયાન માત્ર 14 ટકા વરસાદ જ જોવા મળી શકે છે. પરંતુ સાંજે 4 વાગ્યા પછી 11 વાગ્યા સુધી સતત 40 ટકાથી વધુ વરસાદની શક્યતા છે. આ મેચની ટોસ ભારતીય સમય અનુસાર સાંજે 7 વાગ્યે થશે અને લાઈવ એક્શન સાંજે 7.30 વાગ્યે શરૂ થશે. પરંતુ હવામાનની આગાહી સ્પષ્ટ કહી રહી છે કે વચ્ચે-વચ્ચે વરસાદ ચાલુ રહી શકે છે.

 

 

જો વરસાદને કારણે મેચ રદ્દ થાય તો વિજેતા કોણ?

જો મેચ શરૂ થયા પછી મેચમાં વિક્ષેપ આવે અને બીજી ઇનિંગ્સ પછી વરસાદ વિક્ષેપ પડે તો ડકવર્થ લુઈસ (DLS)નું પરિણામ આવી શકે છે.

જો પ્રથમ બોલ ફેંકી ન શકાય તો મહત્તમ સમયની રાહ જોવામાં આવશે અને એક ઓવરની મેચ પણ 12.50 સુધી કરી શકાશે.

5 ઓવરની મેચની પણ શક્યતા છે.

જો કોઈ પણ સંજોગોમાં મેચ ન થાય, તો લીગ તબક્કામાં ટોચ પર રહેનારી ટીમને વિજેતા જાહેર કરવામાં આવશે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article