આ દેશી ફૂડ ખાવાનો શોખીન છે Suryakumar Yadav, ઘરે ખુદ પણ બનાવે છે આ વાનગી

|

Nov 09, 2022 | 11:34 AM

સૂર્યકુમાર યાદવ (Surya Kumar Yadav) દેશી ફૂડ લવર્સ છે. તેઓ તેને એટલો પ્રેમ કરે છે કે તેઓ તેને ખાવાથી પોતાને રોકી શકતા નથી ! આટલું જ નહીં, તેને તેની મનપસંદ વાનગી બનાવવાનું પણ પસંદ છે. તેના વિશે જાણો.

આ દેશી ફૂડ ખાવાનો શોખીન છે Suryakumar Yadav, ઘરે ખુદ પણ બનાવે છે આ વાનગી
આ દેશી ફૂડ ખાવાનો શૌખીન છે Suryakumar Yadav
Image Credit source: Instagram

Follow us on

ટી 20 વર્લ્ડકપ 2022માં ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ક્રિકેટર સૂર્યકુમાર યાદવનું શાનદાર પ્રદર્શન ચાલું છે. વર્લ્ડકપમાં શાનદાર પ્રદર્શનને લઈ સતત ચર્ચામાં રહેલા સૂર્યકુમાર યાદવ ક્રિકેટ ચાહકોમાં હોટ ફેવરિટ છે. શું તમે જાણો છો ‘SKY’ના નામથી મશહુર સૂર્ય કુમાર એક ફુડ લવર્સ પણ છે અને તે દેશી ફુડ ખાવાનો શોખીન છે. આ ફુડ એટલો પસંદ કરે છે કે, આને ખાવાથી પોતાને રોકી શકતો નથી. આટલું જ નહિ આ દેશી ફુડને કુક કરવાનું પણ પસંદ કરે છે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

 

આ દેશી ફુડનો દીવાનો છે સૂર્યકુમાર યાદવ

બિરાયાની એ ફુડ છે જે સૂર્યકુમાર યાદવની ઓલટાઈમ ફેવરિટ છે. તે આ ડિશ ખાવા પાછળ એટલો પાગલ છે કે, તેના ચીટ ડે પર પેટ ભરીને ખાવાનું પસંદ કરે છે. સૂર્યકુમાર કહે છે કે, જો સમય હોય તો તે પોતે પણ આ વાનગી બનાવવાનું પસંદ કરે છે. એક ઈન્ટરવ્યુમાં તેમણે આગળ કહ્યું કે, તેને લાગતું નથી કે, વેજ બિરયાની પણ કોઈ શબ્દ છે.

 

 

જાણો વેજ બિરયાનીને લઈ સૂર્ય કુમારે ઈન્ટરવ્યુમાં શું-શું કહ્યું

મુંબઈ ઈન્ડિયન્સ માટે આઈપીએલ દરમિયાન ટીમ દ્વારા તેનો ઈન્ટરવ્યુ લેવામાં આવ્યો હતો. ઈન્સ્ટાગ્રામ પર ઈન્ટરવ્યુમાં તેમણે કહ્યું કે, આઈ લવ મેકિંગ બિરયાની, તેમણે આગળ કહ્યું જો રવિવારના દિવસે હું ઘર પર હાજર હોઉં ત્યારે હું બિરયાની બનાવું છું અને આ વાનગી બનાવવામાં મને કોઈની પણ હેલ્પની જરુર નથી.

તેમણે આગળ કહ્યું કે, જે દિવસે ચીટ ડે અને કાંઈ પણ ખાવાની પરમીશન હોય તો હું સીધો બિરયાનીનો ઓડર કરું છું પછી ભલે કોઈ પણ બિરયાની હોય

વેજ બિરયાનીના સવાલ પર સૂર્યએ કહ્યું શું હોય છે વેજ બિરયાની, મે આ વિશે ક્યારે પણ સાંભળ્યું નથી.

સૂર્યકુમાર આઈપીએલમાં 100થી વધુ મેચ રમી ચૂક્યો છે અને તેમણે ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટી20 ક્રિકેટમાં ડેબ્યુ કર્યું હતુ. હાલમાં જાહેર કરાયેલ ટી 20 વર્લ્ડકપમાં મોસ્ટ ફેવરિટ બેટ્સેમન તરીકે છવાયો છે.

 

Next Article