Ranji Trophy 2022: ચિરાગ જાનીની બેવડી સદી બાદ જાડેજાના સ્પિનનો જાદુ, સૌરાષ્ટ ટીમનો ઇનિંગ્સથી શાનદાર વિજય

|

Feb 27, 2022 | 9:10 PM

Ranji trophy 2022: સૌરાષ્ટ્ર અંતિમ સિઝનમાં રણજી વિજેતા બન્યું છે. આ સિઝનની પ્રથમ મેચમાં તેને મુંબઈના હાથે પ્રથમ દાવમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

Ranji Trophy 2022: ચિરાગ જાનીની બેવડી સદી બાદ જાડેજાના સ્પિનનો જાદુ, સૌરાષ્ટ ટીમનો ઇનિંગ્સથી શાનદાર વિજય
Ranji trophy 2022 : અંતિમ સિઝનમાં પણ સૌરાષ્ટ્રે જીત મેળવી હતી

Follow us on

ડિફેન્ડિંગ ચેમ્પિયન સૌરાષ્ટ્રે (Saurashtra Cricket Team) રણજી ટ્રોફી 2022 (Ranji Trophy 2022) ના બીજા રાઉન્ડમાં એક દાવ અને 131 રનથી જંગી જીત નોંધાવી હતી. તેણે 27 ફેબ્રુઆરીએ અમદાવાદમાં રમાયેલી મેચમાં ઓડિશાને હરાવ્યું અને સાત પોઇન્ટ મેળવ્યા. ચિરાગ જાની (235)ની બેવડી સદીના કારણે સૌરાષ્ટ્રે 501 રન બનાવ્યા હતા. જવાબમાં ઓડિશાની ટીમ 165 અને 205 રન જ બનાવી શકી હતી. સૌરાષ્ટ્રના ડાબા હાથના સ્પિનર ​​ધર્મેન્દ્રસિંહ જાડેજાએ બંને દાવમાં અદભૂત બોલિંગ કરી અને કુલ 11 વિકેટ ઝડપી હતી. ઓડિશાની બીજી ઇનિંગમાં તેના બોલનો જાદુ વધુ ફેલાયો હતો અને તેણે 88 રનમાં સાત વિકેટ ઝડપી હતી. આવી સ્થિતિમાં સૌરાષ્ટ્રે એક દાવથી મેચ જીતી લીધી હતી.

મુંબઈના હાથે સિઝનની પ્રથમ મેચમાં પ્રથમ દાવના આધારે પછડાયા બાદ જયદેવ ઉનડકટની આગેવાની હેઠળની સૌરાષ્ટ્રની ટીમ માટે મોટો વિજય જરૂરી હતો. તેણે ઇનિંગ્સથી જીત મેળવી અને છને બદલે સાત પોઈન્ટ મેળવ્યા. રણજી ટ્રોફીના નિયમો મુજબ જે ટીમ મેચ જીતે છે તેને છ પોઈન્ટ મળે છે. પરંતુ ઇનિંગ્સ અથવા 10 વિકેટથી મેચ જીતવાથી બોનસ પોઇન્ટ મળે છે. આ કારણોસર સૌરાષ્ટ્રને સાત પોઈન્ટ મળ્યા છે.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

 

ધર્મેન્દ્ર સિંહે 16મી વખત 5 વિકેટ લીધી હતી

સૌરાષ્ટ્રના 501 રનના જવાબમાં ઓડિશાની ટીમ પ્રથમ દાવમાં 165 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ કારણે તેને ફોલોઓન રમવું પડ્યું. પરંતુ બીજી ઈનિંગમાં પણ તેની હાલત સારી ન હતી. ઓપનર શાંતનુ મિશ્રા સિવાય કોઈ બેટ્સમેન અડધી સદી પણ ફટકારી શક્યો નહોતો. તેણે સૌરાષ્ટ્રના ડાબા હાથના બોલરો જયદેવ ઉનડકટ, ચેતન સાકરિયા અને ધર્મેન્દ્રસિંહ જાડેજા સામે શરણાગતિ સ્વીકારી લીધી હતી.

જાડેજાએ 16મી વખત એક ઇનિંગમાં પાંચ વિકેટ લીધી અને ઓડિશાની ડ્રોની આશા ખતમ કરી નાખી. તેણે પ્રથમ દાવમાં 48 રન આપીને ચાર વિકેટ લીધી હતી. ધર્મેન્દ્રસિંહ જાડેજાએ હવે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 62 મેચમાં 250 વિકેટ ઝડપી છે.

 

પુજારાના ચાલ્યો

અગાઉ ચિરાગ જાનીની કારકિર્દીની પ્રથમ બેવડી સદીના કારણે સૌરાષ્ટ્રે મોટો સ્કોર બનાવ્યો હતો. જાનીએ 373 બોલનો સામનો કરીને 33 ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા હતા. તેમના સિવાય શેલ્ડન જેક્સન (75) અને અર્પિત વસાવડા (61)એ અડધી સદી ફટકારી હતી. ચેતેશ્વર પૂજારા આ દરમિયાન નિષ્ફળ ગયો અને માત્ર આઠ રન બનાવી શક્યો.

આ પણ વાંચોઃ IND vs SL: ભારતીય ટીમની બસમાંથી કારતુસ મળી આવતા ખળભળાટ, મોહાલી ટેસ્ટ માટે કોહલી સહિતના ખેલાડી ચંદીગઢ પહોંચ્યા છે

આ પણ વાંચોઃ IND vs SL: ભારતીય ટીમની બસમાંથી કારતુસ મળી આવતા ખળભળાટ, મોહાલી ટેસ્ટ માટે કોહલી સહિતના ખેલાડી ચંદીગઢ પહોંચ્યા છે

 

Published On - 8:08 pm, Sun, 27 February 22

Next Article