Asia Cup: કેએલ રાહુલ-શ્રેયસ અય્યર એશિયા કપમાં નહીં રમે! જાણો શું છે કારણ

|

Aug 02, 2023 | 10:19 PM

BCCIએ થોડા દિવસો પહેલા ઈજાગ્રસ્ત ખેલાડીઓ અંગે મેડિકલ અપડેટ જાહેર કર્યું હતું, જેમાં શ્રેયસ અય્યર અને કેએલ રાહુલની ફિટનેસ વિશે જણાવવામાં આવ્યું હતું કે બોર્ડની મેડિકલ ટીમ બંનેની ફિટનેસમાં થયેલા સુધારાથી ખુશ છે. છતાં બંને એશિયા કપ પહેલા ફિટ થઈ જશે કે નહીં તે અંગે સવાલો ઊભા થયા છે.

Asia Cup: કેએલ રાહુલ-શ્રેયસ અય્યર એશિયા કપમાં નહીં રમે! જાણો શું છે કારણ
KL Rahul & Shreyas

Follow us on

એશિયા કપ (Asia Cup)માં એક મહિનાથી પણ ઓછો સમય બાકી છે અને તેના એક મહિના પછી વર્લ્ડ કપ શરૂ થશે. ટીમ ઈન્ડિયા (Team India) આ બંને ટૂર્નામેન્ટની તૈયારીમાં વ્યસ્ત છે અને વેસ્ટ ઈન્ડિઝ સામેની ODI શ્રેણીમાં પ્રયોગના તબક્કામાંથી પસાર થઈ છે. આ પ્રયોગો તેમણે એશિયા કપમાં પણ ચાલુ રાખવા પડશે. કારણ કે ટીમના બે સ્ટાર ખેલાડીઓ કેએલ રાહુલ (KL Rahul) અને શ્રેયસ અય્યર (Shreyas Iyer)ને એશિયા કપ પહેલા સંપૂર્ણ ફિટ થવામાં મુશ્કેલી પડી રહી છે.

રાહુલ-શ્રેયસ સંપૂર્ણ ફિટ નથી?

ક્રિકેટ વેબસાઈટ ક્રિકબઝના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ મહિનાના અંતમાં શરૂ થનારી ટૂર્નામેન્ટમાં આ બે મિડલ ઓર્ડર બેટ્સમેન માટે રમવું ઘણું મુશ્કેલ છે. તેનું કારણ એ છે કે બંને હજુ સંપૂર્ણ રીતે ફિટ નથી. શ્રેયસ અય્યર માર્ચથી ક્રિકેટના મેદાનની બહાર છે, જ્યારે રાહુલ મે મહિનામાં IPL દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો, ત્યારબાદ તે પોતાને સંપૂર્ણ રીતે ફિટ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. જો કે, તાજેતરના અહેવાલો પરથી એવું લાગી રહ્યું છે કે એશિયા કપ સુધી બંને માટે ફિટ રહેવું મુશ્કેલ છે.

કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 19-09-2024

BCCIએ ફિટનેસ અપડેટ આપ્યું

લગભગ બે અઠવાડિયા પહેલા (21 જુલાઈ), ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે તેના કેટલાક ખેલાડીઓ અંગે મેડિકલ અપડેટ જારી કર્યું હતું. જેમાં કેએલ રાહુલ અને શ્રેયસ વિશે પણ માહિતી આપવામાં આવી હતી. બોર્ડે જણાવ્યું હતું કે બંને બેટ્સમેનોએ નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)માં બેટિંગ પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે અને બંને પોતાની સ્ટ્રેન્થ અને ફિટનેસ પર કામ કરી રહ્યા છે. બોર્ડે એમ પણ કહ્યું હતું કે NCAની મેડિકલ ટીમ બંનેની ઝડપી રિકવરીની સંતુષ્ટ છે.

શ્રેયસ-રાહુલે વીડિયો પોસ્ટ કર્યો

માત્ર BCCI જ નહીં, પરંતુ શ્રેયસ અને રાહુલે પોતે પણ તાજેતરના સમયમાં ઈન્સ્ટાગ્રામ પર તેમની ફિટનેસ ડ્રીલ અને બેટિંગ પ્રેક્ટિસની તસવીરો અને વીડિયો શેર કર્યા છે. રાહુલે બુધવાર, 2 ઓગસ્ટે જ એક વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં તે બેટિંગ સિવાય કીપિંગ કરતો પણ જોવા મળ્યો હતો.

વર્લ્ડ કપમાં તક મળશે?

જો કે, તેમ છતાં, બંનેની ફિટનેસ શંકાના દાયરામાં છે અને બોર્ડની અંદર એક અભિપ્રાય છે કે આ બંનેને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પાછા લાવવા માટે ઉતાવળ કરવી યોગ્ય નથી. આવી સ્થિતિમાં આ બંને માટે એશિયા કપમાં રમવું લગભગ અશક્ય લાગે છે. બે દિવસ પહેલા બોર્ડે આયર્લેન્ડ પ્રવાસ માટે T20 ટીમની જાહેરાત કરી હતી, જેમાં જસપ્રીત બુમરાહ અને પ્રસિદ્ધ કૃષ્ણા પરત ફર્યા હતા પરંતુ રાહુલ અને શ્રેયસને જગ્યા મળી ન હતી. જો કે, રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વર્તમાન પરિસ્થિતિ હોવા છતાં, બંને બેટ્સમેન વર્લ્ડ કપ પ્લાનનો ભાગ છે.

મિડલ ઓર્ડર કોણ સંભાળશે?

વર્લ્ડકપ 5 ઓક્ટોબરથી શરૂ થવાનો છે જ્યારે ભારતની પ્રથમ મેચ 8 ઓક્ટોબરે યોજાશે. ટીમ ઈન્ડિયાને પણ બંનેની ખૂબ જ જરૂર છે કારણ કે આ બંને વનડે ફોર્મેટમાં મિડલ ઓર્ડરના મહત્વના ખેલાડી છે. ઈજાગ્રસ્ત થતા પહેલા અય્યર ચોથા નંબર પર અને રાહુલ પાંચમા નંબરે બેટિંગની જવાબદારી સંભાળી રહ્યો હતો. રાહુલ વિકેટકીપિંગ પણ કરી રહ્યો હતો અને સારા ફોર્મમાં પણ હતો.

આ પણ વાંચો : IND vs WI: ટીમ ઈન્ડિયાના 6 ખેલાડીઓ ભારત પરત ફરશે, આ 11ને મળશે પ્રથમ T20માં રમવાની તક

ટીમ ઈન્ડિયાની યોજનાને ફટકો

હવે આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયાની યોજનાઓ માટે આ એક મોટા ફટકા સમાન છે કારણ કે ટીમ મિડલ ઓર્ડરમાં જ વેરવિખેર થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. સાથે જ એ પણ સ્પષ્ટ થઈ ગયું છે કે એશિયા કપમાં ટીમ ઈન્ડિયાએ એ જ પ્રયોગો અમલમાં મૂકવા પડશે જે વેસ્ટ ઈન્ડિઝ સામેની વનડે શ્રેણીમાં કર્યા હતા. એટલે કે ચોથા અને પાંચમા સ્થાન માટે સૂર્યકુમાર યાદવ, ઈશાન કિશન અને સંજુ સેમસન વચ્ચે સ્પર્ધા થશે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article