IPL 2022: ઇરફાન પઠાણે કહ્યુ વિરાટ કોહલીના સ્થાનને આ રીતે RCB ભરશે, બતાવ્યો બેંગ્લોરનો પ્લાન

|

Nov 29, 2021 | 11:15 AM

વિરાટ કોહલી (Virat Kohli) એ આઇપીએલ 2021 ની સિઝન દરમ્યાન જ RCB ની કેપ્ટનશિપ છોડવાની વાત કહી હતી, જોકે તેણે ટીમ સાથે જોડાઇ રહેવાનુ કહ્યુ હતુ.

IPL 2022: ઇરફાન પઠાણે કહ્યુ વિરાટ કોહલીના સ્થાનને આ રીતે RCB ભરશે, બતાવ્યો બેંગ્લોરનો પ્લાન
Virat Kohli-Glenn Maxwell

Follow us on

IPL 2022 ના મેગા ઓક્શન (Mega Auction) ને લઇને હાલમાં તમામ આઠેય ટીમોમાં કશ્મકશ ચાલી રહી છે. આવતીકાલે મંગળવારે રિટેન ખેલાડીઓની યાદી BCCI ને સોંપવાનો અંતિમ દિવસ છે. આ પહેલા ખેલાડીઓને જાળવવા અને મુક્ત કરવાને લઇ માથાકૂટો સ્વાભાવિક મેનેજમેન્ટને વર્તાઇ રહી છે. આ દરમિયાન સૌની નજર વિરાટ કોહલી (Virat Kohli) ની ટીમ RCB પર છે. પૂર્વ ભારતીય ઓલરાઉન્ડર ઇરફાન પઠાણે (Irfan Pathan) રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ના કેપ્ટન પદ માટે એ ત્રણ ખેલાડીઓમાંથી પસંદ કરવાની સંભાવના નકારી છે. જે ત્રણ ખેલાડીઓને રિટેન કરવામાં આવ્યા છે.

વિરાટ કોહલી એ IPL 2022 ની સિઝન પહેલા જ બેંગ્લોરની ટીમની કેપ્ટનશિપ છોડી દીધી હતી. તેણે આ માટે IPL 2021 ના દરમ્યાન જ ઘોષણા કરી દીધી હતી. હવે RCB એ કેપ્ટનશિપ સોંપવા માટે યોગ્ય ચહેરા માટે પ્રયાસ હાથ ધર્યા છે. ઇરફાન પઠાણનુ માનવુ છે કે, જે ત્રણ ખેલાડીઓને રિટેન કરવામાં આવ્યા છે, તેમાંથી કોઇ પણ કેપ્ટન નહી હોય. પઠાણે કહ્યુ કે, ફેન્ચાઇજી આઇપીએલ ઓક્શનમાંથી જ નવા કેપ્ટનને શોધશે.

હાલમાં કાનપુર (Kanpur Test) માં રમાઇ રહેલી ભારત અને ન્યુઝીલેન્ડ ટેસ્ટ સિરીઝ દરમ્યાનના બ્રેક દરમ્યાન એક શોમાં ઇરફાન પઠાણે આ વાત કહી હતી. આરસીબીના સંભવિતોને લઇને વાત કરતા ઇરફાન પઠાણે કહ્યુ હતુ કે, આરસીબીના ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલને રિટેન કરવો જોઇએ. જે પાછળની સિઝનમાં તેમનો ટો સ્કોરર હતો. સાથે જ એ પણ કહ્યુ હતુ કે, તે ટીમનો કેપ્ટન નહીં બનવો જોઇએ.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

મેક્સવેલને લઇ કહ્યુ આમ

આગળ વાત કરતા ઇરફાન પઠાણે કહ્યુ હતુ કે, મને લાગે છે કે હરાજીમાંથી જ કોઈ એવી વ્યક્તિ હશે જે આરસીબીની કેપ્ટનશીપ મેળવી શકે કારણ કે મારા મગજમાં જે પણ ચાર ખેલાડીઓ છે, વિરાટ દેખીતી રીતે કેપ્ટન બનશે નહીં કારણ કે તેણે જાહેરાત કરી છે. ગ્લેન મેક્સવેલ છે પરંતુ તમે તેને કેપ્ટનશિપ આપવા માંગતા નથી. કારણ કે તે પોતાની સ્ટાઇલનો એક ફ્રી ક્રિકેટર છે અને તેને આ પ્રકારની જવાબદારી આપવા નથી માંગતા. તમે ઇચ્છો છો કે તે મુક્તપણે રમે.

પઠાણનુ માનવુ છે કે, આરસીબીએ બોલીંગ વિભાગ માટે યુઝવેન્દ્ર ચહલ અને મોહમ્મદ સિરાજને રિટેન કરવા -જોઇએ, તે ત્રીજો ખેલાડી હોવો જોઇએ , જેને ટીમ રિટેન કરી શકે છે. ચોથા પ્લેયરના રુપમાં તેણે સિરાજની સાથે જવાનુ કહ્યુ હતુ. સાથે જ કહ્યુ તેમને કેપ્ટન મળી શકે છે પરંતુ આ માટે તેઓએ હરાજીમાં જવુ પડશે. તેમણે આ હિસ્સા માટે આકરી મહેનત કરવાની જરુર છે.

આ પણ વાંચોઃ IND vs NZ: ટીમ ઇન્ડિયા સંકટમાં મુકાતા દેખાડ્યો દમ, ટીકાકારોના નિશાને રહેલા બેટ્સમેને 4 વર્ષ બાદ ખરા સમયે ફીફટી નોંધાવી

આ પણ વાંચોઃ IND vs NZ: મુંબઇ ટેસ્ટને લઇ ટીમ ઇન્ડિયા સામે ધર્મ સંકટ, વિરાટ કોહલી માટે કોણ આપશે કુર્બાની

 

 

Published On - 10:04 am, Mon, 29 November 21

Next Article