ઈન્ડિયન પ્રીમિયર લીગ ની આગામી સિઝનને લઈ તૈયારીઓ શરુ થઈ ચુકી છે. હવે મીની ઓક્શન પણ થનારુ છે અને આ માટે ખેલાડીઓના રજીસ્ટ્રેશન પણ થઈ ચૂક્યા છે. આ દરમિયાન આગામી સિઝનમાં ફુટબોલની રમતની માફક એક મહત્વનો નિયમનો ઉપયોગ થશે. આ માટે અગાઉ થી જ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવ્યુ હતુ. આ નિયમ એટલે કે ઈમ્પેક્ટ પ્લેયર. આ નિયમના ઉપયોગ વડે ટીમની જરુરિયાચ મુજબ કોઈ પણ એક ખેલાડીને મેચ ચાલુ હોવા દરમિયાન જ બદલી શકાશે. પરંતુ હવે બીસીસીઆઈ આ નિયમમાં એક શરત રાખી રહ્યુ છે. જે શરત હવે ટીમો માટે થોડી નિયમને જાહેર કરતા વેળાની છવાયેલી ખુશીઓમાં થોડો ઘટાડો કરી શકે છે.
ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા ‘ઈમ્પેક્ટ પ્લેયર’ નિયમના ઉપયોગની શરુઆત ઘરેલુ ક્રિકેટમાં અજમાવ્યો હતો. ત્યાર બાદ થોડાક સમય બાદ આ નિયમને હવે આઈપીએલમાં પણ લાગુ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. બોર્ડ દ્વારા ઘરેલુ ટૂર્નામેન્ટ સૈયદ મુશ્તાક અલી ટી20 ટ્રોફીમાં આ નિયમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેમાં સફળતા મળ્યા બાદ બોર્ડ દ્વારા આ જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ હવે બોર્ડ દ્વારા એમાં એક શરત રાખવામાં આવી રહી છે.
Time for a New season 😃
Time for a New rule 😎
How big an “impact” will the substitute player have this edition of the #TATAIPL 🤔 pic.twitter.com/19mNntUcUW
— IndianPremierLeague (@IPL) December 2, 2022
નિયમમાં હવે શરત મુકવામાં આવી છે જે આમ તો આપીએલ ની ટીમનો માટે ખુશીઓમાં અંકુશ મુકી દેશે. આ પહેલા જ્યારે નિયમને જાહેર કરવામાં આવ્યો ત્યારે સ્વાભાવિક જ ટીમનો ખુશી સમાતી નહીં હોય. કારણ કે એક વધારાનો બોલર અથવા બેટ્સમેનને તક આપનારો આ નિયમ રમતને ખૂબ જ રોમાંચક બનાવનાર છે. મીડિયા અહેવાલ મુજબ બીસીસીઆઈએ માત્ર ભારતીય ખેલાડીઓ પર ઈમ્પેક્ટ પ્લેયરનો નિયમ લાગુ કરવાની જોગવાઈ કરી છે. એટલે કે આ નિયમનો ઉપયોગ વિદેશી ખેલાડીઓને પ્લેઈંગ ઈલેવનમાં લાવવા માટે થઈ શકે નહીં.
જો કે બોર્ડે હજુ સુધી નિયમની સ્પષ્ટતા અને તેના ઉપયોગની શરતોની ઔપચારિક જાહેરાત કરી નથી, પરંતુ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે બોર્ડે ફ્રેન્ચાઇઝીઓને કહ્યું છે કે પ્લેઇંગ 11ને બદલે પ્લેઇંગ 12માં જણાવવું પડશે. શરૂઆત. ખેલાડી ભારતીય હોવો જોઈએ. એટલે કે વિદેશી ખેલાડીની જગ્યાએ વિદેશી ખેલાડીને બોલાવી શકાય નહીં અને ભારતીય ખેલાડીની જગ્યાએ વિદેશી ખેલાડીને સામેલ કરી શકાય નહીં.
જો કે, રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જો કોઈ ટીમ પ્લેઈંગ ઈલેવનમાં માત્ર 3 વિદેશી ખેલાડીઓને રાખે છે, તો તે 12મા ખેલાડીને વિદેશી ખેલાડી તરીકે બદલી શકાય છે કે નહીં તે અંગે સ્થિતિ સ્પષ્ટ નથી. જોકે એમ મનાય છે. કે પ્લેઈંગ ઈલેવનમાં 3 વિદેશી ખેલાડી રાખવાનો નિયમ જળવાઈ રહે એટલા માટે આ શરત રાખી હોઈ શકે છે.
Published On - 9:15 am, Fri, 9 December 22