IPL 2022 : એબી ડી વિલિયર્સે ધોનીના કેપ્ટન પદ છોડવાના નિર્ણય પર આપી મોટી પ્રતિક્રિયા

|

Mar 26, 2022 | 6:07 PM

મહેન્દ્ર સિંહ ધોની કેપ્ટનશિપ પદ પરથી હટી ગયા બાદ અનેક દિગ્ગજોઅ પોતાના મંતવ્ય આપ્યા હતા. ત્યારે સાઉથ આફ્રિકાના દિગ્ગજ ક્રિકેટર એબી ડી વિલિયર્સે પણ પોતાનો મત જણાવ્યો હતો.

IPL 2022 : એબી ડી વિલિયર્સે ધોનીના કેપ્ટન પદ છોડવાના નિર્ણય પર આપી મોટી પ્રતિક્રિયા
Dhoni and Ab de Villers

Follow us on

IPL (IPL 2022) ની 15મી સિઝનની શરૂઆત થાય તે પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) ના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni) એ કેપ્ટનશીપ છોડી તે ચર્ચા તમામ જગ્યાએ થઇ રહી છે. ધોનીએ આ IPL સિઝનમાંથી અચાનક કેપ્ટનશિપ પદ પરથી હટી ગયા બાદ ચેન્નાઈ સુપર કિંગ્સના મેનેજમેન્ટે તાત્કાલિક અસરથી રવિન્દ્ર જાડેજાને કેપ્ટનશિપની જવાબદારી સોંપી દીધી હતી. ઘણા દિગ્ગજ ખેલાડીઓ આ નિર્ણય પર સવાલ ઉઠાવી રહ્યા છે. પરંતુ દક્ષિણ આફ્રિકાના પૂર્વ કેપ્ટન એબી ડી વિલિયર્સે (AB de Villiers) એમએસ ધોનીના કેપ્ટનશીપ છોડવાના નિર્ણયનું સમર્થન કર્યું છે.

આઈપીએલમાંથી મહેન્દ્ર સિંહ ધોની કેપ્ટનશિપ પદ પરથી હટી ગયા બાદ અનેક દિગ્ગજોઅ પોતાના મંતવ્ય આપ્યા હતા. ત્યારે સાઉથ આફ્રિકાના દિગ્ગજ ક્રિકેટર એબી ડી વિલિયર્સે પણ પોતાનો મત જણાવ્યો હતો. ધોનીની કેપ્ટનશિપ પદ છોડવાને લઇને એબી ડી વિલિયર્સે કહ્યું કે, “મહેન્દ્ર સિંહ ધોનીએ સુકાની પદ છોડવાનો નિર્ણય યોગ્ય સમયે લેવામાં આવ્યો છે. તે પછી, તે હવે તેની બેટિંગ પર વધુને વધુ ધ્યાન આપી શકે છે.”

VUSport Scouts પર ડી વિલિયર્સે ધોનીના નિર્ણય વિશે કહ્યું, મને એમએસના નિર્ણયથી આશ્ચર્ય થયું નથી. હું તેના માટે ખરેખર ખુશ છું. આટલા લાંબા સમય સુધી તે બોજ વહન કર્યા પછી, લોકો એવું વિચારી શકે છે કે કેપ્ટન બનવું સરળ છે, પરંતુ તમે ખરેખર થાકી જાઓ છો. પરંતુ મને લાગે છે કે છેલ્લી IPL જીત્યા બાદ તેણે યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લીધો હતો. છેલ્લી સિઝન પહેલાની સિઝનમાં તેમને ઘણું નુકસાન થયું હતું. ટ્રોફી જીતીને પાછા આવવું અને પછી કહેવું કે ‘હું હજુ પણ રમીશ પણ અન્ય કોઈ કેપ્ટન હશે અને હું સપોર્ટ કરવા માટે ત્યાં હાજર રહીશ’ એ તેના માટે પરફેક્ટ છે.”

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

ડી વિલિયર્સે વધુમાં કહ્યું કે, હું એમએસ (ધોની) ને ફરીથી મોટા છગ્ગા મારતા જોવાનો આનંદ લેવા માટે ઉત્સાહિત છું. હવે વ્યૂહરચના વિશે વધુ વિચારવાનો નથી અને તે ફક્ત ત્યાં જઈને સિક્સર ફટકારી શકે છે અને તે જે શ્રેષ્ઠ પ્રદર્શન કરી રહ્યો છે તેનાથી સમગ્ર વિશ્વનું મનોરંજન કરી શકે છે અને તે છે ક્રિકેટ રમવું અને મેચ જીતવી.

રવિન્દ્ર જાડેજા પાસે કેપ્ટન તરીકે જરૂરી અનુભવ છે : એબી ડી વિલિયર્સ

એબી ડી વિલિયર્સે પણ રવીન્દ્ર જાડેજાને ચેન્નાઈ સુપર કિંગ્સની જવાબદારી આપવા અંગે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો અને કહ્યું કે, તે એક ક્લાસ પ્લેયર છે. એક કેપ્ટન તરીકે જરૂરી તમામ અનુભવ તેની પાસે છે. તમારી પાસે બ્રાવો, ધોની અને રોબિન ઉથપ્પા જેવા અનુભવી ખેલાડીઓ છે જે નિર્ણયોમાં મદદરૂપ થશે. વધુમાં, તે ટીમ માટે યોગ્ય નિર્ણયો લેવા માટે જરૂરી કરતાં વધુ મેચ રમ્યો છે.

આ પણ વાંચો : PBKS vs RCB IPL 2022 Match Prediction: શું નવા કેપ્ટન પંજાબ અને બેંગ્લોરની કિસ્મત બદલશે, પ્રથમ ટક્કરમાં તેની ઝલક જોવા મળશે

આ પણ વાંચો : IPL 2022 MI vs DC Live Streaming: જાણો તમે ક્યારે, ક્યાં અને કેવી રીતે મુંબઈ ઈન્ડિયન્સ-દિલ્હી કેપિટલ્સ મેચ જોઈ શકો છો

Next Article