IPL 2021: ટૂર્નામેન્ટના પ્રથમ તબક્કામાં કઇ ટીમ કેટલી મેચ જીત્યુ કેટલી મેચ હાર્યુ, અહીં મળશે તમામ જાણકારી

|

Sep 14, 2021 | 9:18 AM

ઇન્ડીયન પ્રીમિયર લીગ (IPL) ની વર્તમાન સિઝનમાં મહેન્દ્રસિંહ ધોનીની કેપ્ટનશીપ ધરાવતી ટીમ ચેન્નાઇ સુપર કિંગ્સના પ્રદર્શન પર પણ સૌની નજર લાગેલી છે.

IPL 2021: ટૂર્નામેન્ટના પ્રથમ તબક્કામાં કઇ ટીમ કેટલી મેચ જીત્યુ કેટલી મેચ હાર્યુ, અહીં મળશે તમામ જાણકારી
IPL 2021

Follow us on

ઇન્ડીયન પ્રીમિયર લીગ (IPL) ની 14 મી સીઝન આ વર્ષે રમાઇ રહી છે. IPL-2021 (IPL-2021) કોરોના વાયરસને કારણે રોકવી પડી હતી. તે પછી હવે લીગની આ સીઝનનો બીજો તબક્કો 19 સપ્ટેમ્બરથી શરૂ થવા જઈ રહ્યો છે. બીજો તબક્કો સંયુક્ત આરબ અમીરાતમાં યોજાઈ રહ્યો છે. આવી સ્થિતિમાં, તમામ ક્રિકેટ ચાહકો ચોક્કસપણે જાણવા માંગે છે કે ફેઝ વન માં કઈ ટીમનું પ્રદર્શન કેવું રહ્યું. તો જાણી લો કે IPl 2021 ના ​​પહેલા તબક્કામાં કઇ ટીમ પ્રભુત્વ ધરાવે છે અને કઈ ટીમ અપેક્ષાઓ પર ખરી ઉતરી શકી નથી. પ્રથમ તબક્કામાં બે ટીમો દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સે 8-8 મેચ રમી હતી જ્યારે અન્ય તમામ છ ટીમોએ 7-7 મેચ રમી હતી.

IPL-2021 ના ​​પ્રથમ તબક્કામાં સૌથી સફળ ટીમ દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) હતી. જેણે તેમની 8 માંથી 6 મેચ જીતી હતી. જ્યારે ટીમ બે મેચમાં હારી ગઈ. ઋષભ પંતની આગેવાની હેઠળની દિલ્હીની ટીમે પંજાબ કિંગ્સને બે વખત હરાવીને ચેન્નાઈ સુપર કિંગ્સ, મુંબઈ ઈન્ડિયન્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ, કોલકાતા નાઈટ રાઈડર્સને આ સફરમાં હરાવી હતી. બે મેચમાં તે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને રાજસ્થાન રોયલ્સ સામે હાર મેળવી હતી.

બીજી બાજુ, ચેન્નાઈ સુપરકિંગ્સ (Chennai Superkings) ની વાત કરીએ તો મહેન્દ્રસિંહ ધોની (MS Dhoni) ના નેતૃત્વવાળી આ ટીમે 7 મેચ રમી અને પાંચ જીતી. જે ટીમો પરાજિત કરી તેમાં પંજાબ કિંગ્સ, રાજસ્થાન રોયલ્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, સનરાઈઝર્સ હૈદરાબાદનો સમાવેશ થાય છે. ચેન્નાઈની ટીમે મુંબઈ ઈન્ડીયન્સ અને દિલ્હી કેપિટલ્સના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

કોહલીની કેપ્ટનશિપ આ વખતે રંગ લાવી રહી છે

વિરાટ કોહલીની આગેવાનીવાળી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે (Royal Challengers Bangalore) આઈપીએલ -2021 માં સાતમાંથી પાંચ મેચ જીતીને સારી શરૂઆત કરી હતી. RCB એ મુંબઈ ઈન્ડીયન્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ, કોલકાતા નાઈટ રાઈડર્સ, રાજસ્થાન રોયલ્સ અને દિલ્હી કેપિટલ્સને હરાવ્યા હતા. જ્યારે તેને ચેન્નાઈ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો.

અત્યારે મુંબઈ ઈન્ડીયન્સ (Mumbai Indians) પોઈન્ટ ટેબલની વચ્ચે જોવા મળી રહ્યું છે. રોહિત શર્માના નેતૃત્વવાળી આ ટીમે 7 માંથી ચાર મેચ જીતી છે. જેમાં તેણે કલકત્તા નાઈટ રાઈડર્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ, રાજસ્થાન રોયલ્સ અને ચેન્નઈ સુપર કિંગ્સને હરાવ્યા છે. બીજી બાજુ, મુંબઈ એ દિલ્હી કેપિટલ્સ, પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે હારનો સામનો કરવો પડ્યો હતો.

હૈદરાબાદની સૌથી ખરાબ હાલત

સંજુ સેમસનની આગેવાનીમાં રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) ની ટીમે 7 માંથી ત્રણ મેચ જીતી હતી. ટીમે દિલ્હી કેપિટલ્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદને હરાવ્યા હતા જ્યારે તેઓ મુંબઈ ઈન્ડીયન્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, ચેન્નાઈ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સ સામે હારી ગયા હતા. બીજી બાજુ પંજાબ કિંગ્સ (Punjab Kings) ને આઠ મેચમાં માત્ર ત્રણ જીત મળી હતી. જેમાં તેણે રાજસ્થાન રોયલ્સ, મુંબઈ ઈન્ડીયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને હરાવ્યા હતા. પંજાબને દિલ્હી કેપિટલ્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ, ચેન્નાઈ સુપર કિંગ્સે હરાવ્યું હતું. દિલ્હીએ તેને બે વાર હરાવ્યો. કોલકાતા નાઈટ રાઈડર્સે (Kolkata Knight Riders) 7 માંથી બે મેચ જીતી છે.

કોલકાતાએ માત્ર બે મેચ જીતી હતી

ઇઓન મોર્ગનની આગેવાની હેઠળની ટીમ માત્ર સનરાઇઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) અને પંજાબ કિંગ્સને હરાવી શકી હતી. જ્યારે તે મુંબઈ ઈન્ડીયન્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, ચેન્નાઈ સુપર કિંગ્સ, રાજસ્થાન રોયલ્સ અને દિલ્હી કેપિટલ્સ સામે હારી ગઇ હતી. સૌથી ખરાબ સ્થિતી સનરાઇઝર્સ હૈદરાબાદની હતી તેણે 7 માંથી માત્ર 1 મેચ જીતી હતી. તેને આ જીત પંજાબ કિંગ્સ સામે મળી, જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, મુંબઈ ઈન્ડીયન્સ, ચેન્નઈ સુપર કિંગ્સ, દિલ્હી કેપિટલ્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ અને રાજસ્થાન રોયલ્સે તેને હરાવ્યા હતા.

 

 

આ પણ વાંચોઃ T20 World Cup: ટીમ ઇન્ડીયાની પસંદગીને લઇને ઇંગ્લેન્ડમાં રહેલા પૂર્વ દિગ્ગજે કહ્યુ, આ ખેલાડીનુ નામ ટીમમાં નહી જોઇ ઝટકો લાગ્યો

 

આ પણ વાંચોઃ T20 World Cup: ટીમ ઈન્ડીયાથી બહાર રાખવાને લઈને હવે યુઝવેન્દ્ર ચહલનું પણ દર્દ છલકાયુ, સાથ આપવા બદલ પત્નિ ધનશ્રીનો આભાર માન્યો

Next Article