
હાર બાદ કેટલાક ખેલાડીઓ દુ:ખી થઇને મેદાન પર સૂઈ ગયા હતા. જે ફોટોમાં જોઈ શકાય છે. દેખીતી રીતે, તેના પ્રથમ ખિતાબની શોધમાં, આટલા નજીક આવવું અને દૂર રહેવું દરેક ખેલાડીને દુખ પહોંચાડે છે.

આ સિઝનની શરૂઆતમાં ઐય્યર ઘાયલ થયો હતો અને તેથી જ પંતને કેપ્ટનશિપની તક મળી હતી. ઐય્યરના પાછા ફર્યા બાદ પણ કેપ્ટનશીપ પાછી મળી નહોતી. આ ફોટોમાં પોન્ટિંગ પોતાના કેપ્ટનને સાંત્વના આપતો જોવા મળી રહ્યો છે.

પંતે તેની કેપ્ટનશીપમાં ટીમ અહીં પહોંચી હતી. બધાએ તેની કેપ્ટન્સીની પ્રશંસા કરી. આનું પરિણામ એ આવ્યું કે જ્યારે વિરાટ કોહલીએ ટી20 વર્લ્ડ કપ બાદ રમતના સૌથી ટૂંકા ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટનપદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી ત્યારે ઘણા દિગ્ગજોએ પંતનું નામ ટીમ ઈન્ડીયાના આગામી કેપ્ટનોની યાદીમાં મૂક્યું. આઈપીએલનો ખિતાબ ન જીતવા બદલ પંતને કેટલો અફસોસ છે તે આ ફોટો પરથી સમજી શકાય છે.